SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર રવાના કર્યો. તે વખતે દોલતરામજી મ. બુંદીકટા હતા. ત્યાં જઈ શ્રાવકે પત્ર આપે. એટલે મહારાજશ્રીએ લીંબડી સંઘની વિનંતિ માન્ય કરી ગુજરાત તરફ વિહાર કર્યો. દોલતરામજી મ. અને વિનંતિ કરવા ગયેલ શ્રાવક બંને અમદાવાદ પહોંચ્યા, ત્યારે તે શ્રાવક મહારાજની રજા લઈ લીંબડી આવ્યો અને શ્રીમાન શેઠને “મહારાજ સાહેબ પધારે છે” એવી વધામણી આપી. આથી હર્ષ પામી શેઠે લીંબી સંઘની વતી તેને વધામણીના બદલામાં સાડાબારસો રૂપીઆ આપ્યા ! પછી દોલતરામજી મ. લીંબડી પધાર્યા, તે વખતે સ્વામીજી તથા શ્રી સંઘમાં ભારે ઉત્સાહની લાગણી વ્યાપી રહી હતી; શ્રી સંઘે ખૂબ સત્કારપૂર્વક મહારાજશ્રીને નગરપ્રવેશ કરાવ્યા. પછી કેટલાંક જ્ઞાનખાતાઓ તપાસ્યા. તેમાં સ્વામીજીએ પૂ. દેલતરામજી મ. ને કેટલાંક ઉપચગી ગ્રંથો ભેટ કર્યા હતા. આમ બે વર્ષ સુધી જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનચર્ચા ચાલ્યા પછી સ્વામીજી પૂ. દોલતરામજી મ. સાથે કાઠીયાવાડના જુદાજુદા ગામમાં ફર્યા અને પુનઃ તેઓ લીંબડીમાં પધાર્યા. કેટલાક વખત રહ્યા પછી માળવા તરફ વિહાર કરી જવા ઈચ્છતાં પૂજ્યશ્રી દેલતરામજી મ. ને ખૂબ સન્માનપૂર્વક લીંબડીના ચતુર્વિધ સંઘે વિદાયગીરી આપી. આમ ૨૭ વર્ષની ઉમ્મરે સ્વામીજીએ વિદ્યાર્થી અવસ્થા પૂર્ણ કરી. ત્યાંથી વિહાર કરી શ્રી અજરામરજી સ્વામી જામનગર પધાર્યા. અમુક માસ તે પ્રદેશમાં વિચરો ત્યાંના લોકેને ધર્મદેશના દ્વારા અપૂર્વ લાભ આપે. તે વખતે કચ્છ-માંડવી બંદરના નગરશેઠ શ્રી. કલ્યાણજી જેઠાભાઈ મહારાજશ્રીના દર્શને જામનગર આવેલા, તેમણે સ્વામીજીને વિનંતિ કરી કે રતલામ નિવાસી “ગેરૂલાલ” નામે એક બ્રાહ્મણ, જે અમારા આડતીયે છે તેને “તેરાપંથની ચુસ્ત શ્રદ્ધા છે. તે અમુક માસ થયા વાગડ રસ્તે થઈ કચ્છમાં આવેલ છે. તેણે કુયુક્તિથી દયા, દાન વિષે ઘણા સાધુ-શ્રાવકની મૂળ માન્યતામાં વિભ્રમ પેદા કરાવ્યો છે. માટે આ વખતે આપશ્રીની કચ્છમાં ખાસ જરૂર છે. કૃપા કરી પધારશે તે ઘણે ઉપકાર થશે. આ ઉપરથી સ્વામીજી જામનગરથી વિહાર કરી મેરખી રસ્તે થઈ કચ્છમાં પધાયો. ત્યાં સં. ૧૮૩૬-૩૭-૩૮ એમ ત્રણ ચોમાસા કરી તેરાપંથીની શ્રદ્ધા સદંતર દૂર કરી. (માત્ર વાગડમાં બેલા અને ફતેગઢ, જ્યાં સ્વામીજી જઈ શકયા ન હોવાથી, તેરાપંથીની શ્રદ્ધા રહેવા પામી હતી.) કચ્છની આ મુસાફરી દરમ્યાન ધોળકાના રહિશ તલકશીભાઈ અને કુતિયાણાના રહિશ, વિશા ઓશવાળ નાગજીશાહ તથા તેમના પુત્ર દેવરાજ ભાઈ, એમ ત્રણ જણ સ્વામીજીનો સાધ સાંભળી, વૈરાગ્ય પામી, દિક્ષાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy