SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ તેજવી લલાટે નીરખતાંજ ખરતરગચ્છાધિપતિએ વિચાર્યું કે પિતાના જ્ઞાન અને વિદ્યાના વારસા માટે આ એક સુપાત્ર સ્થાન છે. એમ વિચારી તેઓ મ્યાનામાંથી નીચે ઉતરી અજરામરજી સ્વામીના ગુરૂદેવ પાસે આવ્યા. અને કેટલીક વાતચીત થઈ. તેમાં શ્રી અજરામરજીને સંસ્કૃતાદિ વિદ્યા મેળવવાનો સુયોગ સધાયે; અને ક૯૫ સાચવીને અમુક વર્ષ સુધી તેમને માટે સુરત રહેવાનું નક્કી થયું. એટલે શ્રી અજરામરજી સ્વામી ખરતર ગચ્છના શ્રી પૂજ્ય પાસે રહ્યા અને સંસ્કૃતાભ્યાસ શરૂ કર્યો. તેમાં તેમણે વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, સાહિત્ય, નાટક, ચંપુ, છંદ, સંગીત અને જ્યોતિષ વગેરેને ક્રમેકમે અભ્યાસ કરી લીધું. ઉપરાંત ન્યાયમાં દીપિકા, મુક્તાવલિ, દિનકરી આદિ પ્રકરણગ્રંથ અને જગદીશ ગદાધરના ગહન ગ્રંથની સાથે ન્યાયાવતાર, રત્નાકરાવતારિકા અને સ્યાદવાદ રત્નાકર વગેરે જેનેના ન્યાયગ્રંથને સંપૂર્ણ અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ તેની સાથે સાંખ્ય, ગ, વેદાંત અને બૌદ્ધના દાર્શનિક ગ્રંથને પણ અનુભવ મેળવ્યું. તેમાંના કેટલાક પુસ્તકે પોતે ભણતા ગયા અને કેટલાક લખતા ગયા (જેની પ્રતે શ્રી અજરામરજી સ્વામીના હસ્તાક્ષરથી લખાયેલી હાલ લીંબડીના પુસ્તક ભંડારમાં મોજુદ છે. તેમાંના કેટલાક ગ્રંથો ઉપર તે ભણતી વખતે સ્વામીજીએ ટીપ્પણું પણ ભરેલી છે.) અભ્યાસની પૂર્ણાહુતિ સમયે શ્રીપૂજ્ય પોતાની પાસે ચંદ્રમસિમાંની કેટલીક અર્થસૂચક અને ભવિષ્ય સૂચક ન હતી, તે સર્વ સ્વામીજીને ખુલ્લા દિલથી જણાવી. તે સાથે પોતાની પાસેના ચમત્કારીક ગુપત આન્નાના પાનામાંની કુંચીઓ પણ બતાવી. તેઓશ્રી ગોપીપુરા, હરીપુરા, સંગ્રામપુરામાં ક૫તાં છ ચાતુમસ રોકાઈ ૨૩ વર્ષની ઉંમરે મહાન પ્રૌઢ પંડિત બની સં. ૧૮૩૨માં સુરતથી વિહાર કરી લીંબડી પધાર્યા. તે વખતે લીંબડી સંઘમાં અગ્રેસર તરીકે શેઠ નાનજી ડુંગરશીના કુટુંબના પ્રતિષ્ઠિત ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ હતા. સ્વામીજીએ તે વખતે પોતાની અદ્ભુત અને અમૃતમય વાણીથી લીંબડી શ્રી સંઘને ધર્મોપદેશ આપે હતે. ખેતશી શેઠે મહારાજશ્રીને લીંબડીમાં ચાતુર્માસ કરવાની વિનંતિ કરી, પરંતુ તેમને કેટા સંપ્રદાયના માળવામાં બિરાજતા પૂજ્યશ્રી દોલતરામજી મહારાજ પાસે આગમજ્ઞાન મેળવવાની તીવ્રછા હતી, તેથી તેઓ લીંબડી સંઘની વિનંતિ સ્વીકારી શક્યા નહિ. તેથી ખેતશી શેઠે કહ્યુંઃ સ્વામિન્ ! આપ અહિં બિરાજે. આગમધર શ્રીમાન દોલતરામજી મ.ને આપને અહિં સમાગમ થાય તે માટે હું પ્રબંધ કરીશ. એમ કહી ખેતશી શેઠે એક શ્રાવકને માળવામાં ૫. દોલતરામજી મ.ને લીંબડી પધારવાની વિનંતિ કરતે એક પત્ર લખી આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy