SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ તે વખતે રસ્તા પરની એક હવેલીમાં બેઠેલા મહધારી એક મહંતે તેમનું તેજસ્વી લલાટ જોઈને ખેાલાવ્યા અને તેમની સાથે વાર્તાલાપ કરતાં પેાતાના શિષ્ય મનવાની માગણી કરી. તે સાથે જો અજરામરજી તેમના શિષ્ય થાય તેા મહંતે પોતાની ગાદીને વારસા તેમને સોંપવાનું વચન આપ્યું. જવાખમાં અજરામરજીએ તે મહુ'તને લક્ષ્મીની ચપળતા, અને આયુષ્યની ક્ષણ ભંગુરતાના માધ કરી પેાતે એવી લાલસામાં લેશ પણ ખરડાવા નથી માગતા, તેનું સ્પષ્ટ કથન કર્યું આ સાંભળી મહંત ઠંડાગાર બની ગયા એટલુંજ નહિ પણ શ્રીઅજરામરજીના દઢ મનેાખળ માટે તેમની પ્રશ ંસા કરવા લાગ્યા. ત્યાંથી અજરામરજી ઉપાશ્રયે આવ્યા અને અનેલી બીના શુરૂ મહારાજને નિવેદન કરી. ગુરૂ મહારાજ પણુ આ સાંભળી હર્ષોં પામ્યા. જ્ઞાનાભ્યાસ કરતાં ચાતુર્માંસ પૂર્ણ થયું. એટલે શ્રી અજરામરજીના માતુશ્રીએ અભ્યાસ કરવા માટે આયેંજી સાથે વિહાર કર્યો અને શ્રી અજરામરજી એ હીરાજી મહારાજ સાથે વિહાર કર્યા. ત્યારબાદ કેટલાક વખત શાસ્ત્રાભ્યાસ કરી શ્રી અજરામરજીએ સં. ૧૮૧૯ માં પૂજ્ય શ્રી હીરાજી મ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી; પણુ ગુરૂશ્રીએ તેમને કાનજી સ્વામીને શિષ્ય તરીકે સાંપ્યા. દીક્ષા લઈ ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળતાં આ નવ દીક્ષિત મુનિ હરહમેશ જ્ઞાનાભ્યાસમાં મચ્યા રહેતા; તેથી તેમને ઘણાં સૂત્રનું જ્ઞાન થઈ ગયું. તેમાં તેમણે શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગના પ્રથમ શ્રુત સ્ક ંધ, સુયગડાંગના પ્રથમ શ્રુત સ્કેવે, નંદિસૂત્ર, અને અનુયાગદ્વાર એ છ સૂત્રેા ઉપરાંત ચાર છે વગેરે સમજણુ પૂર્વક કંઠસ્થ કરેલાં. તે સિવાયના કેટલાંક આગમાની મહારાજ પાસે વાચના લીધેલી. આ પ્રમાણે છ વર્ષ સુધી સતત્ શાસ્ત્રાભ્યાસ કર્યા પછી તેઓને જિનાગમેાની સંસ્કૃત ટીકાઓ વાંચવાની જીજ્ઞાસા ઉદ્ભવી. ગુરુ તે અરસામાં એટલે સ. ૧૮૨૬ની સાલમાં પૂજ્ય શ્રી હીરાજી સ્વામી, કાનજી સ્વામી અને અજરામરજી સ્વામી એ ત્રણે મુનિવરી સૂરત તરફ વિહાર કરતાં, નર્મદા નદી ઉતરીને તેના કાંઠાપર એક વૃક્ષ નીચે વિશ્રાંત લેવા બેઠા, તે વખતે તેમની પાછળ પાછળ ચાલ્યા આવતા સુરતનિવાસી ખરતર ગચ્છના પંડિત પૂજ્યશ્રી ગુલાખચંદજી મહારાજે ચાનામાં બેઠા બેઠા જમીન પર નજર કરતાં જતા હતા, તેવામાં તેમની ષ્ટિએ જમીન પર કેાઈ ભાગ્યશાળી પુરુષના પગલાં પડેલાં જણાયા; તેથી તેમણે વિચાર્યુંકે આ પગલાં વાળા કાઈ મહાભાગી પુરુષ છે, માટે મારે તેને મળવુ જોઇએ. એમ વિચારી મ્યાના આગળ ચલાતાંજ તેમની દૃષ્ટિ વૃક્ષ નીચે બેઠેલા ઉક્ત ત્રણ મુનિવરા પર પડી. તેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy