SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ તેઓની પાટે ૭મા આચાર્ય શ્રી અજરામરજી સ્વામી બિરાજ્યા. જ્ઞાતે વિશા ઓશવાળ, પડાણાના રહિશ, જન્મ સં. ૧૮૦૯. માતા કંકુબાઈની સાથે ગંડલ મુકામે સં.૧૮૧ન્ના મહા શુદિ ૫ ગુરૂવારે દીક્ષા લીધી. સં ૧૮૪૫માં આચાર્ય પદે આવ્યા અને સં. ૧૮૭૦ના શ્રાવણ વદિ ૧ શ્રી લીંબડી મધ્યે સંથારો કરી સ્વર્ગે પધાર્યા. પરમ પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીનું જીવન ચરિત્ર * જૈનશાસન પ્રભાવક પૂજ્યાચાર્ય શ્રી અજરામરજી સ્વામીનો જન્મ કાઠીયાવાડમાં જામનગર પાસે આવેલા “પડાણ” નામક ગામમાં થયો હતો. જ્ઞાતે વિશા ઓશવાળ, તેમના પિતાશ્રીનું નામ માણેકચંદ શાહ, માતાનું નામ કંકુબાઈ. જન્મ સં. ૧૮૦૯ પૂર્વ જન્મના ઉચ્ચ સંસ્કાર સ્વામીજીમાં ઉતરેલા હાઈ બાળવયથી જ તેઓ તેજસ્વી અને પ્રભાવશાળી લાગતા હતા. તેમની પાંચ વર્ષની ઉંમર થતા, માણેકચંદ શાહ સ્વર્ગવાસ પામ્યા, તેથી તેમને ઉછેરવાનું કાર્ય માતાને સાથે આવી પડયું. માતા પણ સંસ્કારી હોઈ તેમને ગામઠી નિશાળમાં ભણવા મોકલ્યા ત્યાં તેમણે પોતાની વિચિક્ષણ બુદ્ધિના ચોથે ચેડાંજ વર્ષમાં ગુજરાતી અભ્યાસ સંપૂર્ણ કરી લીધો. ત્યારબાદ ધાર્મિક સંસ્કારોથી પ્રેરાયેલા આ બંને માતા અને પુત્ર નજીકના કુટુંબી જનોને જાણ કરીને ગોંડલ આવ્યા. તે વખતે ત્યાં પૂ. શ્રી હીરાજી સ્વામી તથા કાનજી સ્વામી આદિ ઠાણા ચાતુર્માસ બિરાજતા હતા. તેમની પાસે જઈ બંનેએ વંદન કર્યું અને પિતાની સંસાર પરની અરૂચિ અને ત્યાગનો અભિલાષ તેઓશ્રીની પાસે વ્યક્ત કર્યો. વૈરાગ્ય ભાવથી રંગાયેલા આ બંનેને જોઈ મહારાજશ્રીએ તેઓને અમુક વખત સુધી ગોંડલમાં રહી શાસ્ત્રાભ્યાસ કરવાની સૂચના કરી. શ્રી અજરામરજીના માતુશ્રી પરિપકવ વયના હોઈ સાધારણ અભ્યાસ કરી શકયા; પરંતુ શ્રી અજરામરજી તીવ્ર બુદ્ધિવાન હતા, તેથી તેમણે બાર માસને અભ્યાસ ચાર માસમાં જ કરી લીધો. આથી ગુરૂ અતિ પ્રસન્ન થયા. શ્રી અજરામરજીને ચહેરે સુંદર અને આકર્ષક હતો. પ્રથમ પગલે જ તેમના દઢ મનોબળની આ સ્થળે એક સેટી થઈ હતી. એવું બન્યું કે એક વાર શ્રી અજરામરજી (દીક્ષાના ઉમેદવાર) એક શ્રાવકને ઘેર જમવા જતા હતા, * શ્રી અજરામરજી સ્વામીનું ચરિત્ર પ્રથમ મને મહુમ પૂજ્ય શ્રી લાધાજી સ્વામીના શિષ્ય મુનિ શ્રી છોટાલાલજીએ લખી મેલેલું, તે ઘણું લંબાણુ હોવાથી લઈ શકાયું નથી અને ત્યારબાદ આ ચરિત્ર સ્વ. મહાપુરુષ શ્રી મંગળજી સ્વામીના શિષ્યરત્ન તપસ્વી શ્રી શામજી સ્વામીએ મોકલ્યું, જે અત્ર લેવામાં આવે છે. આ બંને ચરિત્રને ખ્યાલ આપનાર બંને મુનિશ્રીને હું આભારી છું. –લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy