SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જહાંપનાહને અરજ કરવા આવ્યા છે. આ સાંભળી ખુશ થઈ બાદશાહે તેમની અરજ સાંભળી, તે ઉપરથી તેણે કાજીને કહી દીધું કે જલદીથી અમદાવાદ જઈ આ લોકોનું દુઃખ હંમેશને માટે બંધ થઈ જાય તે પ્રબંધ કરે. બાદશાહને આ હુકમ સાંભળી કાજી બધા શ્રાવકોને લઈ લશ્કરી ટુક સાથે અમદાવાદ આવ્યો. અને જુલમ કરનારાઓને યોગ્ય નસિયત આપી, હંમેશને માટે લવજી ઋષિના અનુયાયીઓ પર થતો ત્રાસ બંધ કરાવ્યો, એટલું જ નહિ પણ કાજીએ આ નવા ધર્મને સ્વીકાર કર્યો. ત્યારપછી નિર્વિને લવજી ઋષિના ધર્મને પ્રચાર ગુજરાતમાં ઉત્તરોત્તર વધતો ગયો. શ્રી લવજી ઋષિ પિતાની પાટે પિતાના વિનયવંત શિષ્ય શ્રી સમજી ત્રાષિને સ્થાપી સંથારે કરી સ્વર્ગે ગયા. ત્યારબાદ સમજી ઋષિ ફરતા ફરતા બુરાનપુર પધાર્યા, ત્યાં તેમણે ઘણુઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. તેમને ત્યાં “કાનજીનામના એક શિષ્યને લાભ થયો. લાહોરી ઉત્તરાધિકારી લીંકાગચ્છના હરદાસજી નામના આત્માથી યતિ એક વાર ગુજરાતમાં આવેલા, ત્યાં તેમને સમજી ત્રાષિને સમાગમ થયે; બંનેને માંહોમાંહે ખૂબ ધર્મ ચર્ચા થઈ, તેમાં હરદાસજીને ખૂબ સંતોષ થવાથી તેઓ તેમના શિષ્ય થયા, અર્થાત તેમણે શુદ્ધ ધર્મની દીક્ષા લીધી. કેટલીક વખત ગુરૂ સાથે રહી, જ્ઞાન ગ્રહણ કર્યા પછી તેઓ પંજાબ તરફ ગયા. ક્રમે ક્રમે તેમને પરિવાર વચ્ચે. હાલ તે પંજાબ સંપ્રદાય તરીકે ઓળખાય છે. કાનજી ત્રષિનો પરિવાર હાલ માળવા, મેવાડ અને દક્ષિણ તરફ વિચરે છે. કાનજી ત્રાષિના શિષ્ય તારાચંદજી ઋષિ થયા. તેમનો પરિવાર ગુજરાતમાં “ખંભાત સંપ્રદાય” તરીકે ઓળખાય છે. છઠ છઠના "ારણ કરતાં સમજી ઋષિ ઘણુ વખતે ફરી એક વાર બુરાનપુર ગયેલા, ત્યાં કોઈ પતિની ખટપટથી એક રંગરેજને હાથે તેમને વિષ મિશ્રિત લાડુ વહોરાવવામાં આવેલા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. આ વાતની ખબર પડવાથી જનતામાં યતિઓના આચાર વિચારો પર અભાવ થયે, અને તેઓ સાધુમાળી જૈન બન્યા. ( એક બીજી પટાવલીમાં લખાયેલું છે કે આ ઘટના શ્રી લવજી ઋષિના સંબંધમાં બનેલી હતી.) લવજી ઋષિ સંબંધમાં દરિયાપુરી સં. ની પટ્ટાવળી જણાવે છે કે –શ્રી લવજી ઋષે શ્રી ધર્મસિંહ મુનિને અમદાવાદમાં મળ્યા હતા. તેઓ બંને વચ્ચે શાસ્ત્ર ચર્ચા થઈ હતી. તેમાં છ કોટી, આઠ કોટી બાબતમાં, સામાયક સંબંધમાં, આયુષ્ય તૂટવાની માન્યતામાં અને બીજી કેટલીક બાબતમાં મતભેદ ઉત્પન્ન થવાથી તેઓ બંને ભેગા રહી શક્યા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy