SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પ્રબળ પક્ષની ખટપટને લીધે જ્યારે અમદાવાદના સુબા તરફથી તેમને કનડગત થવા લાગી, ત્યારે તેમાં તેમણે દિલ્હીના બાદશાહને દયાળુ માની, તેની પાસે ફરીયાદ કરવા ગયા; પરંતુ સામાવાળાએ એટલી બધી લાગવગ ચલાવી હતી કે ત્યાં લવ ઋષિના અનુયાયીઓને બાદશાહની મુલાકાત થઈ શકી નહિ. એટલું જ નહિ પણ ઉલટું અધિકારી વર્ગના હુકમથી તેમને દિલ્હી શહેરની બહાર નીકળી જવાને હૂકમ મળે. આ રીતે લવજી ઋષિના અનુયાયીઓને ખૂબ સહન કરવું પડયું. તેથી તેઓ શહેરની બહાર નીકળી નજીકના કઈ કબ્રસ્તાનમાં ઉતારે કરીને રહ્યા, પણ તેઓ પોતાના ધર્મથી તે જરાયે ડગ્યા નહિ. પરંતુ “સત્યને જ આખર જય છે ” એ નગ્ન સત્ય આજના જગતને સમજાવવા જવું પડે તેમ નથી. દૈવયોગે એવું બન્યું કે ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ખુદ બાદશાહના માનીતા કાજીના એકના એક દીકરાને સપડંશ થયે. તેને બચાવવાને અનેક મંત્ર પ્રાગે તેણે કરાવ્યા, પરંતુ આરામ ન થયે, તેથી તે પુત્રને જનાનામાં નાખીને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યું. આ વાતની આ સ્થળે ઉતારે કરીને રહેલા શ્રાવકોને ખબર પડી. તેમણે વિચાર્યું કે આપણે પરમ પવિત્ર નવકારમંત્રનું શરણું લઈને કાજીના પુત્રનું ઝેર ઉતારવાનો પ્રયોગ કરીએ. જે સત્ય ધર્મના પ્રભાવે ગાનુયોગે તેનું ઝેર ઉતરી જાય તો આપણે ધર્મ સંકટમાંથી બચીચે આપણા માટે ફક્ત આ એક અનુકુળ મેક્કો (તક) આવ્યું છે. અખતરે કર વધુ ઈષ્ટ છે. એમ સૌએ અરસ્પરસ નકકી કરી જ્યારે કાજીના પુત્રને તે સ્થળે લાવવામાં આવ્યો, ત્યારે તેમાંના એક ધર્મિષ્ઠ અને ચારિત્રવાન શ્રાવકે ઝેર ઉતરાવવા માટે કાજીને નમ્ર વિનંતિ કરી. કાજી તો નિરાશજ થઈ ગયેલો હતો, છતાં છેલ્લી તક જતી ન કરવાનું તેણે ગ્ય માન્યું. હૃદયના એકતાર સાથે ઉચ્ચારાયેલે “નવકારમંત્ર” કાજીને માટે અને લવજીઋષિના ધર્મ માટે ભિભૂત થયો. પવિત્ર શબ્દચારના પ્રભાવે થોડા જ વખતમાં કાજીના પુત્રનું ઝેર બીલકુલ ઉતરી ગયું અને તે સચેતન થઈ જાગૃત થયે. કાજીના હર્ષનો પાર ન રહ્યો. બધા શ્રાવકને ઉપકાર માની કાજી તેમને પોતાને ઘેર લઈ ગયો, અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી બધાને જમાડયા. પછી કાજીએ તેઓને આગમનનું કારણ પૂછયું. એટલે તેમણે પોતાની બધી વાત અથ ઇતિ કહી સંભળાવી. પ્રત્યુત્તરમાં કાજીએ તેમને દિલાસો આપી હમેશને માટે તેમને દુઃખ મૂક્ત કરાવી આપવાનું વચન આપ્યું. ત્યાંથી તે બધાને કાછ કચેરીમાં તેલ ગયે, અને બાદશાહને કહ્યું કે મારા પુત્રને જીવન તદાન આપનાર આ ગુજરાતી ગૃહસ્થ છે. જેઓ ધર્મ સંકટમાં આવેલ હોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy