SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વોરાને તેમના પર દ્વેષ તો થયેજ હતું, અને તેમાંયે પણ જ્યારે તેમની પ્રશંસા સાંભળી; ત્યારે તે વીરજી વોરાને ઠેષાગ્નિ ઘતાગ્નિની જેમ વધુ તીવ્ર બને. તે મનમાં બડબડયા કે અરે! શું ચતિવર્યને અવિનય ! શું ગુરુએ આપેલાં જ્ઞાનનું અજીરણ? તેને આ ઉપગ ! જે ગુરુએ તેને જ્ઞાન આપી ભણાવે, તેને ઉપકાર ન માનતાં, તેનાથી વિરૂદ્ધ વતી’ નો પંથ કાઢવા લવજી તૈયાર થયો? હમણાંજ હું તેને તેને યોગ્ય બદલે આપું છું. એ વિચાર કરી વીરજી વોરાએ “ખંભાતના નવાબ” પર એક ચીઠી લખી માણસને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે “મારે દોહિત્ર ( દીકરીનો દીકરો) તેના ગુરૂથી જુદા પડી, ગુરૂને ઉતારી પાડવા છેટે ઉપદેશ આપે છે, માટે ત્યાં આવેલા લવજી નામના યતિને ગામમાંથી કાઢી મૂકશે. એવી મારી નમ્ર અરજ છે.” વીરજી વેરાનું આસપાસના તમામ રાજ્યમાં સારું માન હતું, તેથી નવાબે વજીરને બોલાવીને કહી દીધું કે “લવજી” નામક એક સેવડા (સાધુ) ઈધર ઘુમતે હૈ ઔર તક જુઠા ઉપદેશ દેતા હૈ “ઉનકો યહાં ભેજે” નવાબને આ હૂકમ લઈ વછર જ્યાં “લવજીમુનિ” બોધ આપતા હતા, ત્યાં આવ્યો અને નવાબને હૂકમ સંભળાવ્યો. એટલે તરતજ ઉપદેશ બંધ કરી લવજીમુનિ વજીર સાથે નવાબ પાસે આવી નિડરપણે ઉભા રહ્યા. ચારિત્ર અને બ્રહ્મચર્ય રૂપી તપનું તેજ શું કામ નથી કરતું! મુનિના તેજમાં બાદશાહ અંજાઈ ગયે. તે એકપણ શબ્દ સામસામ લવજી મુનિને ન કહી શક્ય, પણ વીરજી વોરા જેવા પ્રતિષ્ઠાપાત્ર ગૃહસ્થ અને એક વખતના પોતાના સહાયક શેઠના કાર્યને ગ્ય અમલ થવો જોઈએ, એમ વિચારી નવાબે વજીરને ધીરેથી કહ્યું -“એ સેવડેકુ દરવાજેકી દેવડી પર પરહેજ કર દો ” એટલું કહી નવાબ અંતઃપુરમાં ચાલ્યા ગયે. વજીર લવજી મુનિને દરવાજા પાસે લઈ ગયે અને ત્યાં પરહેજ કરાવી પહેરાવાળાને હુકમ આપે કે આને ક્યાંઈ બહાર જવા ન દેશે. એ પ્રમાણે બદમસ્ત કરી વજીર પોતાના કામ પર ચાલ્યા ગયા. લવજી મુનિ ત્યાં બેઠા થકા લગાર પણ આર્તધ્યાન નહિ ધરતાં, માત્ર ધર્મધ્યાન ધયાવા લાગ્યા અને સ્વાધ્યાય કરવામાં આખો દિવસ અન્નજળ વિના વિતાવ્યો. આમ બે દિવસ પસાર થયા, લવજી મુનિની શાંત અને સ્વાધ્યાય યુક્ત દશા બેગમ સાહેબની એક દાસી જે વારંવાર દરવાજામાંથી પસાર થતી હતી, તેના જોવામાં આવી. તે મુનિની શાંત મને દશા જોઈને ચકિત થઈ ગઈ; એટલું જ નહિ પણ તેને આ તપસ્વીની તપશ્ચર્યા પર ભક્તિ રાગ થયે. આથી તેણે બેગમ સાહેબાને તક * બીજી પઢાવલીમાં તેમની દીક્ષા ૧૭૦પની લખાયેલી છે. એમ પણ બન્યું હોય કે તિવર્ગની દીક્ષા સં. ૧૬૯૨માં લીધી હોય અને પછી શુદ્ધ માર્ગની પુનઃ દીક્ષા ૧૭૦૫ માં લીધી હોય. તત્વ કેવળી ગમ્ય. –લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy