SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જાણિ છું. હવે મને સમજાયું છે કે “દીક્ષા” એજ જીવન પથનું ઉજવળ કર્તવ્ય છે. માટે મને વિતરાગ ધર્મની સાચી દીક્ષા લેવાની અનુમતિ આપે, એટલે હું ભ૦ મહાવીરના કથનાનુસાર વતી આજના યતિવર્ગના શિથિલાચાર સામે દાખલો બેસાડું. વીરજી વોરા સમજ્યા કે “લવ યતિઓથી અલગ રીતે જ શુદ્ધાચારે વર્તવા માગે છે, તેથી તેમણે કહ્યું:- ભાઈ, અત્યારને સમય બહુ બારીક છે, આ પંચમકાળમાં તમે કહો છો તે શુદ્ધાચાર પાળ બહુ દુષ્કર છે, તેથી તારે જે દીક્ષાજ લેવાની તીવ્ર અભિલાષા હોય તે તું “વરજાંગજી ચતિ” પાસેજ દીક્ષા લે. અને આચાર પાલન તો તારે જેવું રાખવું હશે તેવું રાખી શકાશે. પણ આ વાત લવજીને રૂચતી ન હતી. તે સમ તો કે “વૈભવી જીવન ગુજારનારના મોટા દળ વચ્ચે રહી શુદ્ધાચારના મનોરથે પણ સંગવશાત્ તણાઈ જવાને વખત આવે, સહવાસની અસર ભાગ્યેજ થયા વગર રહી શકે” આ માન્યતા વચ્ચે “વીરજી વેરા અને લવજી” નો મત આમ કેટલાય વખત સુધી એક ન થયે. વખત વ્યતિત થતો જતો હતે. લવજીને સંસારમાં રહેવું પ્રાય: વિષમય થઈ પડયું હતું. વીરજી વોરા પોતાના કુળગુરૂ “વરજાંગજી યતિ” સિવાય બીજા કોઈની પાસે કે સ્વતંત્ર દીક્ષાની અનુમતિ આપવા કઈ રીતે તૈયાર ન હતા. તેથી વખત વિચારી “લવજીએ હાલ તરત “વરજાંગજી” પાસે દીક્ષા લેવાનું ઉચિત માન્યું એટલે દીક્ષાની અનુમતિ મળી ગઈ. એટલું જ નહિ પણ વીરજી વેરાએ ઘણું દ્રવ્ય ખચીને ખૂબ ધામધુમપૂર્વક “લવજી” ને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. દીક્ષા લીધા પછી જેમ ધર્મસિંહજી મુનિને પિતાના ગુરૂ સાથે “શુદ્ધાચાર પાલન” માટે વિવાદ થયો હતો, તેમ લવજી મુનિ અને તેમના ગુરૂને તે પ્રમાણે થયા. ખૂબ વાટાઘાટને અંતે શ્રી લવજી ત્રાષિની ભવ્ય આકાંક્ષાઓ ફળી અને તેમણે ખંભાતમાં સં. ૧૯૯૨માં વિતરાગ ધર્મની શુદ્ધ દીક્ષા સ્વયંમેવ અંગીકાર કરી. ( તે વખતે ભાણજી અને સુખાજી નામના બે યતિઓ તેમની સાથે શુદ્ધ દીક્ષા પાળવા જોડાયા હતા.) પુનઃ દીક્ષા લીધા પછી લવજીઋષિ ખંભાતમાં રસ્તા પર બેસી જાહેર ઉપદેશ આપવા લાગ્યા. ઘણા લોકો તેમને ઉપદેશ સાંભળવા આવતા, અને સિદ્ધાંતનું યથાતથ્ય સ્વરૂપ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની તેમની ખૂબ પ્રશંસા કરતા. દિન પ્રતિદિન લવજી ઋષિના આ મહાન ત્યાગની પ્રશંસા સ્થળે સ્થળે વધતી જતી હતી. તે એટલે સુધી કે તેમની પ્રશંસાની વાત સુરતમાં વીરજી વોરાને કાને પહોંચી. લવજીષિ ગુરુને ત્યાગ કરી ગયા હોવાથી, વીરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy