SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ભાગ્યશાળી બાઈની કુક્ષિએ જન્મ થયો હતો. સ્થિતિ સાધારણ સારી હતી, પરંતુ દેવના કોઈ પ્રકારે આ બાઈને ભાગ્યરવિ ઝાંખો હતો, તેથી થોડાક વખત પછી તેમના પતિનું અવસાન થયું, એટલું જ નહિ પણ લક્ષ્મી પણ તેમની પાસેથી ચાલી જવા પામી હતી. આ વખતે તેઓ તદૃન આશ્રય રહિત બન્યા હતા તેથી વીરજી વોરાએ પિતાની પુત્રી અને ભાણેજને પિતાને આશ્રયે લીધા હતા. કુલબાઈ પિતાના પિતાને ત્યાં રહી ધર્મધ્યાનમાં વખત વ્યતીત કરતી અને પુત્રને ઉછેરતી હતી. જેમ જેમ પુત્ર માટે થતો ગયો, તેમ તેમ તેનામાં બુદ્ધિ, ચાતુરી આદિ ગુણે વિકસિત થતા જતા હતા, સંધ્યા સમયે જ્યારે માતા પ્રતિક્રમણાદિ સ્વાધ્યાય કરતી ત્યારે તેનો પુત્ર “લવજી” ચૂપચાપ એક સ્થળે બેસી એ બધું મનન કરતો હતો. તેની સ્મરણ શક્તિ એટલી બધી સતેજ હતી કે સામાયિક પ્રતિક્રમણાદિ સ્વાધ્યાય તેને થોડા જ વખતમાં કંઠસ્થ થઈ ગયું. એક વાર માતા પુત્ર ઉભય વરજાંગજી ગુરૂને દર્શન ગયા. વાતચીતમાં કુલબાઈએ “લવજી” ને સામાયકાદિ વિધિ ગુરૂ પાસે શીખી લેવાનું સૂચન કર્યું ત્યારે “લવજીએ કહ્યું કે મને તે બધું લગભગ કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી માતાએ આશ્ચર્યથી પૂછ્યું કે કયારે ? પુત્રે જવાબ આપ્યો:–માતા ! તમારી હંમેશની સ્વાધ્યાયથી મને એ બધું યાદ રહી ગયું છે. આ સાંભળી પરીક્ષા કરવા માટે માતાએ તેને ગુરૂ પાસે બોલી જવાનું કહ્યું, એટલે વિચિક્ષણ લવજી તે બધું કડકડાટ ગુરૂ પાસે બોલી ગયે. બસ. ગુરૂજીના હદયનું આકર્ષણ “લવજી પ્રત્યે થઈ ગયું. તેમણે વિચાર કર્યો કે જે આ બુદ્ધિશાળી બાળક મારી પાસે દીક્ષા લે તો શાસનનો ઉદ્ધાર કરે, એમ વિચારી તેમણે તે બાળકના સામુદ્રિક ચિન્હો જોયાં, તો પ્રભાવશાળી જણાયા. ત્યાર પછી એક પ્રસંગે ગુરૂએ વીરજી વોરાને કહ્યું કે લવજીને મારી પાસે ભણવા મૂકે તે તે ઘણે હોંશિયાર થશે. વીરજી વેરાને પણ આ વાત રૂચી અને વરજાંગજી યતિની ઇચ્છા સ્વીકારી. લવજી તે દિવસથી “વરજાંગજી પાસે શાસ્ત્રાધ્યયન કરવા લાગ્યું. જેમ જેમ તેને શાસ્ત્રોનું રહસ્ય સમજાતું ગયું, તેમ તેમ તેને આત્માની ઉન્નતિને રસ્તો સૂઝતો ગળે, એટલું જ નહિ પણ ધર્મસિંહજી મુનિની જેમ તેને તે વખતના યતિઓનું વર્તન શાસ્ત્ર વિરૂદ્ધનું લાગ્યું. તે સાથે તેણે વિતરાગ ધર્મની સાચી દીક્ષા અંગીકાર કરવાને મન સાથે દ્રઢ સંકલ્પ કર્યો. ઘેર આવી તેમણે વીરજી વોરાને કહ્યું –તમે મને જ્ઞાનદાનનો જે અમૂલ્ય લહાવે લેવાની તક આપી છે, તે માટે હું તમારા જીવનભર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy