SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉભે રહ્યો, અને વીરજી વોરાના જવાનો માર્ગ રોકવા લાગ્ય, આથી વિરજી વોરાએ ધાર્યું કે આ સર્પને દુધ પીવાની ઈચ્છા થઈ હોય તેમ લાગે છે. તેથી તેમણે તે દુધની તાંબડી સપના માં આગળ મૂકી; એટલે તે સર્પ તેમાંનું બધું દુધ પી ગયો. પછી વીરજી વેરાએ પાછું ફરવા માંડયું, ત્યારે પણ સપ તેમની આડે આવી ઉભે રહ્યો, ડીક વાર પછી તે સર્પ વીરજી વોરાના વસ્ત્રને એક છેડે પોતાના મહોંમાં લઈને તેમને કઈ જગ્યાએ લઈ જવાનો સંકેત કરતા ન હોય તે વતાવ કરવા લાગ્યો. આથી વીરજી વેરાએ સપની પાછળ પાછળ ચાલવા માંડ્યું. સર્ષ તેમને નદી કિનારે લઈ ગયે અને પછી ત્યાં પડેલી એક શિલાને ભરડે દઈ સર્પે તે શિલા ઉંચી કરી, એટલે ત્યાં એક મેટું ભંયરું દેખાયું, તેમાં તે વીરજી શેઠને લઈ ગયે. તે વખતે સર્ષે પિતાની પાસેને મણિ કાઢી પિતાના માથા પર મૂકે, એટલે ભોંયરામાં પ્રકાશ થયો. આગળ જતાં પુષ્કળ ધનથી ભરેલો એક ભંડાર દેખાય; તે સાથે ત્યાં દેવતાઈ ભુંગળ વાગતી સંભળાઈ. આ બધું ધન જાણે સર્પ વીરજી વેરાને અર્પણ ન કરતે હોય, તેમ તેણે પોતાની ફેણ વીરજી વેરાને માથે ધરીને ખુશી બતાવી. આ સઘળું ધન ગણતાં છપ્પન ક્રોડ સેનિયા હતા એમ કહેવાય છે. તેથી છપ્પન ઉપર ભૂંગળ વાગતી હતી. હાલમાં ગોપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે, ત્યાંથી રાંદેરનો પૂલ બંધાયેલો છે ત્યાં સુધી ભોંયરું હતું એમ કહેવાય છે. તે સર્વ ધન વીરજી વોરાએ ગ્રહણ કરેલું, તેથી તે સમૃદ્ધિવાન થયા હતા, અને મેટો વેપાર કરતા હતા. તેમને નગરશેઠની પદવી મળી હતી. તેઓ ઘણું રાજાઓને મદદ કરતા, તેથી રાજ તરફથી પણ તેમને ખૂબ માન મળતું, વીરજી શેઠ લંકાગછીય જૈન હોવાથી દિવાળીના દિવસે પૌષધ કરતા, અને એકમને દિવસે શારદાપૂજન કરતા, તેથી ગામ લોકે પણ વીરજી વેરાનું જ અનુકરણ કરતાં, તેજ પ્રમાણે અત્યારે પણ સુરતમાં તે મુજબ પૂજન થાય છે અને તે પડવાને “વીરજી વોરાને પડો.” કહેવાય છે. (આ બીના પૂજ્યશ્રી અલખ ઋષિજી મ. તરફથી મને મળેલી, તે આધારે દાખલ કરી છે.) લકાગચ્છની ત્રણ શાખાઓ પૈકી કેશવજી ગચ્છની શાખાને વીરજી વેરા માનતા હતા. તે વખતે તે ગ૭ના વરજાંગજી નામના યતિ ત્યાં બિરાજતા હતા. તેઓ સાધુના આચારવિચારમાં કાંઈક શિથિલ હતા, પરંતુ બીજાની જેમ તેઓ તદ્દન શિથિલાચારી કે ભ્રષ્ટાચારી હતા. વીરજી વોરાને કુલબાઈ નામે એક પુત્રી હતી. તેને એગ્ય ઉંમરે તેજ ગામમાં પરણાવી હતી. આપણું પ્રસ્તુત ચરિત્ર નાયક “લવજીત્રાષિ” ને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy