SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તપાસ કરી તે જાહેરમાં મૂકવા ગ્ય પ્રયત્ન કરશે. તે ઘણું ઉપકારક કાર્ય ગણાશે. શ્રીમાન ધર્મસિંહજીએ પિતાની બુદ્ધિ, ઉપદેશ, ચારિત્ર, સ્મરણ શક્તિ, સહનશીલતા, અડગતા આદિ મહાન ગુણે વડે અનેક મનુષ્યને જૈનધમી બનાવી મહાન ઉપકાર કર્યો છે. તેઓને સારણગાંઠનું દરદ હોઈ ગુજરાત કાઠીઆવાડ સિવાય દૂરના દેશમાં વિહાર કરી શક્યા ન હતા. તેઓશ્રી ૪૩ વર્ષ દીક્ષા પાળી સંવત ૧૭૨૮ ના આસો સુદ ચોથને દિવસે સ્વર્ગવાસ પામ્યા હતા. ધર્મસિંહજી મુનિએ શાસ્ત્રાભ્યાસ કેટલો કર્યો હતો, તે ખાત્રીપૂર્વક કહેવાને હાલ કશા પુરાવા મોજુદ નથી, પણ તેઓએ જેન સાહિત્યમાં કરેલ વધારે એમને ઉડો અભ્યાસ અને શકિતનો ખ્યાલ આપે છે. ભગવતી સૂત્ર જીવાભિગમ, પન્નવણ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ એ પાંચ સૂત્ર સિવાયના બાકીના ૨૭ સૂત્ર પર તેમણે ટબા પૂર્યા હતા. ઉપરાંત તેઓએ નીચેના અમૂલ્ય ગ્રંથ રચ્યા છે, જેમાંના કેટલાક હાલ ઉપલબ્ધ નથી. સમાવાયંગ સૂત્રની હુંડી, ભગવતી, પન્નવણા, ઠાંણાંગ, રાયપ્રશ્નીય, જીવાભિગમ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, અને સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રને યંત્ર, વ્યવહારસૂત્રની હુંડી, સૂત્ર સમાધિની હુંડી, દ્રૌપદીની ચર્ચા, સાધુસમાચારી, ચંદ્ર પ્રજ્ઞપ્તિની ટીપ, ધર્મસિંહ બાવની, ઉપરાંત કેટલાક ગ્રંથ તેઓશ્રીએ રચેલાં છે. આટલું વિશાળ સાહિત્ય વારસામાં આપનાર અને સદ્દધર્મના બીજેને વાવનાર મહાપુરૂષને ઉપકાર આપણા પર અવર્ણનીય છે. ( ઈતિ શ્રી ધર્મસિંહજી મુનિનું ચરિત્ર સંપૂર્ણ) તેમની પાટે થયેલા મહાપુરૂષ ૧ પૂજ્ય ધર્મસિંહજી મ, ૨ માટે તેમના શિષ્ય શ્રી સમજીષિ થયા ત્યાર પછી ત્રીજી પાટે-૩ મેઘજીઋષિ થયા. પછી ક દ્વારકાદાસ ઋષિ, ૫ મોરારજી ઋષિ. ૬ નાથાજી ઋષિ, ૭ જયચન્દ્રજી ઋષિ અને ૮ મેરારજી ઋષિ થયા. શ્રી મોરારજી ષિના શિષ્ય શ્રી સુંદરજી ઋષિને ૩ શિષ્ય થયા હતા. (૧) નાથાજીત્રાષિ, (૨) જીવણજી ઋષિ (૩) પ્રાગજી ઋષિ એ ત્રણ પ્રભાવિક થયા. શ્રી મોરારજી ઋષિની હયાતિમાં જ સુંદરજીષિ કાળ ધર્મને પામેલ જેથી તેમની પાટે નાથાછઋષિને બેસાડયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy