SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ જોડો ઉભા રહ્યા. પણ ધમસિંહજી તેમની સાથે કોઈપણ વાત કર્યા વગર બ્રાહ્મણ સાથે જ્ઞાન ચર્ચા કરવા લાગ્યા. થોડીક વાર પછી સુંદર મુનિ પાછા સ્વસ્થાનકે જઈ બેઠા, અને અધ્યયન કરવા લાગ્યા. તેવામાં પુનઃ શ્રી ધર્મસિંહજીએ સુંદરજીને હાકલ મારી, તરતજ સર્વ કામ છોડી સુંદરજી ગુરુદેવ પાસે હાજર થઈ ગયા; પરંતુ ગુરુદેવે આ વખતે પણ તેમના સામે જોયું નહિ, અને વાર્તાલાપમાં ગુંથાયા. કેટલીકવાર ઉભા રહી સુંદરજી સ્વસ્થાનકે ગયા. ત્યારે ધમસિંહજીએ ત્રીજીવાર તેમને બોલાવ્યા. તરતજ મનમાં લેશ પણ ક્ષોભ પામ્યા વગર સુંદરજી ગુરૂદેવ પાસે આવી ઉભા રહ્યા; તેપણ ગુરૂદેવ કાંઈ બોલ્યા નહિ. આ જેઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામી બેલી ઉઠઃ બસ મહારાજ. આપ કહો છો તેવુંજ બરાબર વિનયનું પાલન મેં આપના શિષ્યમાં જોયું. શ્રીમદુ ધર્મસિંહજી મુનિની સ્મરણ શકિત પણ ઘણી જ તીવ્ર હતી. એકવાર એક બ્રાહ્મણ પંડિત એક હજાર લોકવાળ નવિન ગ્રંથ લઈ ને ધર્મસિંહજી પાસે આવ્યે અને કહ્યું –મહારાજ, આ લોકોને અર્થ મહારાથી સમજાતું નથી, કૃપા કરી સમજાવશે ? ધર્મસિંહજીએ કહ્યું: હા આજે તમે આ ગ્રંથ અહિં મૂકતા જાવ. કાલે સવારમાં વહેલાસર આવશો, એટલે હું તમને તેના સ્પષ્ટ અર્થ સમજાવીશ. એટલે તેણે તે ગ્રંથ મુનિને આપે, પછી શ્રી ધર્મસિંહજીએ તેમાંના ૫૦૦ લોકો પોતાના શિષ્ય સુંદરજીને મુખપાઠ કરવા આપ્યા, અને બાકીના કે પોતે મુખપાઠ કર્યા. સંધ્યાકાળે પ્રતિક્રમણ થઈ રહ્યા બાદ ગુરૂ શિષ્ય બંનેએ અરસ્પરસ તમામ કે મેઢે કરી લીધા. બીજે દિવસે સવારે તે બ્રાહ્મણ પંડિત આ, અને અર્થના ખુલાસા પૂછયા. ત્યારે પ્રત્યેક શ્લોક ધર્મસિંહ મુનિએ પોતાના મુખે બોલીને, તેને અર્થ સમજાવ્યું. તે જેઈ બ્રાહ્મણે વિચાર કર્યો કે આ ગ્રંથ તદ્દન નવિન જ અને તે ફક્ત મારી પાસે જ છે, તો તે મુનિશ્રીને મુખપાઠ કયાંથી હોય? એમ શંકા સેવી તેણે મુનિને પૂછ્યું કે મહારાજ ! આ ગ્રંથ આપના મુખે ક્યારથી છે? ધર્મસિંહે કહ્યું: “ગઈ કાલથીજ ” તમે મૂકી ગયેલે ગ્રંથ અમે, ગુરૂ શિષ્ય બંનેએ મુખપાઠ કરી લીધું છે. આ સાંભળી બ્રાહ્માણ ખૂબ આશ્ચર્ય પામ્યો અને ધર્મસિંહજીની સ્મરણશક્તિ અને તેમના પરિશ્રમની પ્રશંસા કરી, તે જૈન ધર્મને અનુયાયી બન્યા. શ્રીમદ્ ધર્મસિંહજીને જૈન સમાજ પર મોટામાં મોટો ઉપકાર હોય તો તેમણે શાસ્ત્રો પર પૂરેલાં ટબાઓને. ( આ સ્થળે એક સૂચન કરવું ઉચિત લાગે છે કે શ્રીમદ્ ધર્મસિંહજીના હસ્તાક્ષરે પુરાયેલા દબાવાળો ગ્રંથ અદ્યાપિ જોવામાં આવ્યો નથી, તો તેમના અનુયાયીગણ આ બાબત પુરાતન ભંડારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy