SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કામમાં ફત્તેહ મેળવશે. હું તમને શુદ્ધ ત્યાગમાર્ગ ગ્રહણ કરવાની આજ્ઞા આપુ છું. જાઓ અને ભ. મહાવીરના સાચા જૈનત્વને દીપાવો.* આમ ગુરુનું આશીશવચન મેળવી, ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા ઈચ્છતાં કેટલાક યતિઓને સાથે લઈ ધર્મસિંહજી મુનિ દરિયાપુર દરવાજા બહારના ઈશાન કેણુમાં આવેલા એક ઉદ્યાનમાં પ્રવેશ્યા અને ત્યાં સંવત ૧૬૮૫ માં જૈનધર્મની પુનઃદીક્ષા ધારણ કરી. દીક્ષા લીધા પછી તેઓ દરિયાપુર દરવાજા પાસે આવ્યા, અને ત્યાં દરવાનની રજા લઈ એક ઓરડીમાં ઉતારો કર્યો. અને તેના ઓટલા પર બેસી જ તેઓ જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. સત્યધર્મને ઉપદેશ જનતાને રૂચે એ સ્વાભાવિક હતું, તેથી ઘણા લોકો તેમનો આ ઉપદેશ સાંભળવા હંમેશા આવતાં. તેમાં દલપતરાયજી નામના બાદશાહના કામદાર રોજ આ રીતે થઈને સાબરમતી નદીને કિનારે બાદશાહને મળવા જતા તે તેમના આ અલૌકિક બોધથી પ્રસન્ન થયા, અને જૈન ધર્મના અનુરાગી બન્યા. ગુરુભકિતથી પ્રેરાઈ દલપતરાયજીએ ધમસિંહ મુનિને પોતાના એક ફાલતુ મકાનમાં તેડી જઈ ત્યાં ઉતારો આવ્યો. જે મકાનમાં ઉતારો આપે તેજ મકાન હાલ છીપાપોળમાં આવેલો ઉપાશ્રય જે પુરાતન કહેવાય છે. શ્રી ધર્મસિંહ મુનિના શુદ્ધ ઉપદેશને અનુસરનારને જે સમૂહ થયે તે હાલ “દરિયાપુરી સંપ્રદાય ” નામે પ્રસિદ્ધ છે. શ્રીમદુ ધર્મસિંહજી અને તેમનું શિષ્યમંડળ વીતરાગ પ્રણિત સૂત્રોનું યથાત પાલન કરતાં હતાં. ઉત્તરાધ્યયન આદિ સૂત્રમાં આવેલા “ વિનય ? નામક અધિકા૨નું તેમણે બરાબર પ્રતિબિંબ પાડયું હતું. એકવાર તેઓ પોતાના શિષ્યોને વિનયનું મહાસ્ય સમજાવતા હતા, તે વખતે ત્યાં બેઠેલા એક બ્રાહ્મણ ગૃહસ્થને શંકા પડી, તેથી તેણે ધર્મસિંહજી મુનિને નમ્ર ભાવે પૂછ્યું:-મહારાજ, આપ જે પ્રકારનું વિનયનું સ્વરૂપ બતાવો છે, તે પ્રમાણે આજના જમાનામાં વર્તન થતું હશે ખરું ? ધર્મસિંહજીએ જવાબ આપો : હા. આજે પણ એવા વિનયવંત શિષ્ય હોય છે. બ્રાહ્મણ આ સાંભળી શાંત રહ્યો. ધર્મસિંહે વિચાર્યું કે બ્રાહ્મણ ગૃહસ્થને બરાબર સંતોષ થયે લાગતો નથી, તેથી તેમણે પ્રત્યક્ષ સાબીતી કરવા માટે પોતાના “સુંદરજી* નામના શિષ્ય કે જે એકાંતમાં થોડેક દૂર શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા, તેમને બેલાવવા માટે ધીરેથી બૂમ મારી. તરતજ સુંદરજી મુનિ ગુરુ પાસે આવી બે * આ સંબંધી એક ઐતિહાસિક ઉલ્લેખ મળી આવે છે કે – સંવત સોળ પંચાસીએ, અમદાવાદ મોઝાર; શિવજી ગુરૂકે છોડકે, ધર્મસિંહ હુવા ગચ્છ બહાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy