SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ધીરજ રાખે અને હજુ શાસ્ત્ર જ્ઞાન મેળવે; થડા વર્ષ પછી આપણે આ ગચ્છની એગ્ય વ્યવસ્થા કરી ફરી દીક્ષા લઈશું. ધર્મસિંહજીએ આ સાંભળી વિચાર કર્યો કે જે મારા ગુરૂ શુદ્ધ દીક્ષા લેતા હોય તે ઘણું જ સારું. વળી તે મારા પરમપકારી છે, તે તેમની ઈચ્છાને માન આપી, હમણું ગચ્છમાં રહેવું ઠીક છે, એમ ધારી તેમણે પોતાને તે વિચાર થોડાક વખત માટે મુલતવી રાખ્યો. આમ છતાં ગુરૂદેવને સત્ય બુદ્ધિ પ્રગટ થતા સુધીમાં ધર્મસિંહજી મુનિ છેક નવરા બેસી રહ્યા ન હતા. તેમણે વિચાર્યું કે ત્યાગી વર્ગને મળતી ફુરસદનો સારામાં સારે ઉપયોગ જ્ઞાન વૃદ્ધિના સાધન ઉભા કરવાથી થઈ શકે, સુખથી અપાતો ઉપદેશ એકજ વખત કામ લાગે, અને તે પણ એક જગ્યાના માણસોને કામ લાગી શકે, એમ વિચારી તેમણે વીતરાગ પ્રણત અને ગણધર દેવે ગુંથેલા સિદ્ધાન્તો પર દબાઓ ભરવાનું કામ શરૂ કર્યું. દિવસ ઉપર દિવસ અને મારા ઉપર માસ વ્યતિત થવા લાગ્યા, પણ ધમસિંહજી મુનિના ગુરૂદેવ પોતાને મળેલ પૌદ્ગલિક સાહ્યબીથી પરવાર્યા નહી, તેમજ આત્મશુદ્ધિ કરી, ફરી શુદ્ધ ચારિત્ર પાળવાને કટીબદ્ધ થઈ શકયા નહિ. પણ ઉલટું વધારે ખુંચવા લાગ્યા. આ જોઈ ધર્મસિંહજીએ કહ્યું: કૃપાનિધાન! આપની ઈચ્છા મુજબ મેં આજ સુધી સબુરી પકડી છે, પણ આપ તો પ્રમાદ રૂપી પ્રચલાને ત્યાગ કરી શકયા નહિ. તો હવે વધુ વખત આ વૈભવી જીવનમાં રચ્યા પચ્યા રહેવા કરતાં શીધ્ર આપણે બંને શુદ્ધ સંયમ પાળવા માટે નીકળી પડીએ. અને આપનાથી જે આ વૈભવ ત્યાગ ન કરી શકાતો હોય તો કૃપા કરી મને મારા આત્મ કલ્યાણાર્થે પરવાનગી આપશે. કારણ કે સંતપુરૂએ કહ્યું છે કે -ધર્મસ્થ ત્યજતા જતા આ સાંભળી શિવજીઋષિએ વિચાર્યું કે હવે ધર્મસિંહ કઈ રીતે આ ગચ્છમાં રહે તેમ નથી, તેમજ મારે તેને આત્મકલ્યાણ કરતાં શા માટે અટકાવવા જોઈએ ! એમ ધારી તેમણે કહ્યું –વહાલા શિષ્ય, તમારું કહેવું યથાર્થ છે; ધર્મના કામમાં ઢીલ કરવી વ્યાજબી નથી, પણ તમે જુએ છે કે મારાથી આ ગચ્છ, આ શિષ્યો, આ વૈભવ હાલ છોડી શકાય તેમ નથી; વળી મારી નિબળતાને કારણે તમને આત્મકલ્યાણ કરતાં રોકી રાખવા તે પણ ઈષ્ટ નથી, માટે ખુશીથી તમે શુદ્ધ દીક્ષા સ્વીકારો, અને તેમ કરીને જૈનમાર્ગને દીપાવે, એવી મારી તમને અંતરની આશીશ છે. પરંતુ મારે કહેવું જોઈએ કે તમે જે કામમાં જોડાવા માગો છે, તે એવું તો કઠિન છે કે તેમાં ખૂબ હિંમત, ધૈર્ય અને સહુનશીલતાની જરૂર છે, જે એને તમે બરાબર નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy