SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ ધમસિંહ ઋષિને જેમ જેમ શાસ્ત્ર સિદ્ધાન્તનું જાણપણું થતું ગયું, તેમ તેમ મનમાં વિચારો ઉદ્દભવવા લાગ્યા કે—કયાં વિતરાગને શુદ્ધ માર્ગ અને કયાં અત્યારના યતિઓની પ્રવૃત્તિ ! સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તો અમે કાંઈ વર્તતા નથી માટે જે ટુકડા માગી ખાવા માટે આ ભેખ પહેર્યો ન હોય તે શુદ્ધ સંયમ પાળ જોઈએ; એમ મનમાં દઢ સંકલ્પ કરી તેઓ ગુરુજી પાસે આવ્યા અને કહ્યું : કૃપાળુદેવ ! શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી સૂત્રના વીસમાં શતકમાં ફરમાવ્યું છે કે-મારૂં શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે, અર્થાત્ શુદ્ધ મુનિ માર્ગ પ્રવર્તશે. તે છતાં પંચમકાળનું બહાનું દઈ મુનિ માર્ગના આચારથી ઢીલા થવું એ એગ્ય ગણાય નહી; કારણ કે મનુષ્યભવ અમૂલ્ય ચિંતામણી સમાન મળે; તેમાં શુદ્ધ વિતરાગને માગ પણ મળે તો પછી કાયરતા તજી શુદ્ધ માર્ગે ચાલવા શુરાતનપણું બતાવવું જ જોઈએ. આપ જેવા સમર્થ વિદ્વાન અને બુદ્ધિશાળી પુરૂષ બીજા પામર પ્રાણીઓ પેઠે કાયર થઈ બેસે તે પછી બીજા પ્રાણીઓનો દેષ શે! માટે આપ આળસ તજી સિંહની માફક શૂરવીરતા ગ્રહણ કરી શુદ્ધ મુનિ માર્ગને અનુસરે અને બીજાઓને શુદ્ધ માગે પ્રવતા. આ પ્રમાણે વર્તવાથી જૈન શાસન દિપશે ને આત્માનું શ્રેય પણ ત્યારે જ થશે-સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ, દાતારને હુંપદપણું ઘટે નહીં, તેજને તાજણે હેય નહિ, તેમ આપ શૂરવીર થઈ કાયર પણું બતાવે એ શેભે નહિ. જેમ ત્રણે કાળમાં અગ્નિમાં શીતલતા સંભવે નહી, તેમ જ્ઞાની પુરુષોના મનમાં પણ સંસારને વિષે કદી પણ રાગ હોતો નથી, માટે આપ પુદગળ પ્રેમને તિલાંજલી આપી શુદ્ધ સંયમ માર્ગ આચરવા તૈયાર થાઓ, અને આપની સેવા માટે આ આત્મા પણ ફરી દીક્ષા લેવા તૈયાર છે. અને જે આપ મેહ ન છોડી શકે તો પછી આ શિષ્યને આજ્ઞા આપે કે જેથી ફરી દીક્ષા લઈ આત્માને ઉદ્ધાર કરૂં; કારણ કે સંસાર છોડયા પછી આરંભ પરિગ્રહ યુક્ત પ્રવૃત્તિ કરવી એ સર્વથા ઈષ્ટ નથી. માટે હે કૃપાળુ દેવ ! કાયરપણું તજી શૂરવીર થાઓ; અગર આ બાળકને અનુજ્ઞા આપે. ઉપર્યુક્ત ધર્મસિંહ મુનિના સત્ય વચન સાંભળી ગુરૂદેવ મનમાં વિચારવા લાગ્યા કે-મુનિનું કહેવું યથાર્થ છે, પણ મારાથી નીકળાય તેમ નથી અને જે આ પંડિત વિનયવંત શિષ્ય ગ૭ છેડીને ચાલ્યો જશે, તે મારા ગચ્છમાં ઘણા પ્રકારની હરકત આવશે, માટે તેને ગચ્છમાં રેકી રાખું તે ઠીક એમ મનમાં વિચાર કરી યુક્તિ રચી ગુરૂએ કહ્યું કે–તમારું કહેવું યથાર્થ છે પણ મારાથી હાલ આ પૂજ્ય પદવી છેડી શકાય તેમ નથી, પણ તમે હમણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy