SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પાટ ૧૩ મી શ્રી શીવજી ઋષિ; હાલારના નવાનગરના રહીશ, સંઘવી અમરસી પિતા તેજબાઈ માતા. એમની દીક્ષાનો પ્રસંગ કાંઈક વિચિત્ર હતો–એવું કહેવાય છે કે રત્નસિંહજી ઋષિ શ્રી જામનગરમાં પધારેલા તે વખતે તેજબાઈ વાંદવા આવેલા; આ ભતિવંત અને શ્રદ્ધાળુ બાઈને પુત્ર રહિત જાણીને રત્નસિંહ ઋષિએ સ્વાભાવિક કહ્યું કે -પ્લેન! ધર્મની શ્રદ્ધાથી સુખ, સંતતિ અને સાહ્યબી સાંપડે છે માટે ધર્મમાં દઢ શ્રદ્ધા રાખે ” આવા પ્રકારનું વચન નીકળેલું તે ભદ્રિક બાઈએ ગ્રહણ કરી લીધું. અને બન્યું પણ એમજ કે તે વચન બોલ્યા પછી અનુક્રમે તે બાઈને પાંચ બાળક થયા. બાદ કેટલાક વર્ષે ફરીથી શ્રી રત્નસિંહજી ઋષિ તે ગામમાં પધાર્યા અને તેજબાઈ પિતાના પાંચ પુત્રો સાથે વાંદવા આવ્યા. તે પાંચ પુત્રમાનો એક શીવજી નામને તેણીને બાળક મહારાજના ખોળામાં જઈને બેઠો. તે જોઇ તેણીએ કહ્યું કે, આ બાળક આપની પાસે જ રહેવા ઈચ્છે છે. માટે આપ તેને શિષ્ય કરે. બાળક પણ તેમની પાસે જ રહેવા ઈચ્છતો હતો. જેથી મહારાજે બાળક અને માતાનો ભાવ જાણી પાસે રાખી ભણાવવું શરૂ કર્યું, અને થોડા વખતમાં તે શાસ્ત્રમાં પારગામી થયે એટલે સં. ૧૯૬૦માં તેને દીક્ષા આપી–તેને જન્મ સં. ૧૬૩૯માં થયેલ હતો અને સં. ૧૯૭૭માં પાટે બેઠા હતા. તેમણે પાટણમાં ચોમાસું કરેલું, ત્યાં તેમની કીર્તિ સહન ન થઈ શકવાથી તે સમયે દિલ્હીની ગાદીએ ઈ. સ. ૧૯૮૩માં “શાહજહાન” નામને બાદશાહ હતો, તેની પાસે કેટલાક ચૈત્યવાસીઓએ દિલ્હીમાં જઈ બાદશાહને તેમની વિરૂદ્ધ ઉશ્કેર્યો. તેથી શાહજહાન બાદશાહે શીવજીને દિલહી તેડાવ્યા એ વખતે ચાતુર્માસને વખત હતો. પરન્તુ ઠાણાંગજી સૂત્રના પાંચમાં ઠાણામાં ફરમાવેલ છે કે-દુષ્કાળને લીધે, રાજ્યના ભયથી કે એવા કઈ ગાઢ કારણથી ચોમાસામાં પણ વિહાર થઈ શકે છે; એમ વિચારી શીવજી ઋષિ દિલ્હી આવ્યા. કેટલાક હાજરજવાબી સવાલ જવાબ થવાથી બાદશાહ બહુ ખુશી થયો અને તેમને મહોર છાપ વાળો પટે આપ્યો તેમજ એક પાલખીની બક્ષીશ કરી (સં. ૧૬૮૩ના આશ્વિન સુદ ૧૦ વિજયાદશમીને જ) આ પ્રમાણે શ્રી શીવજી ઋષિએ ભેંકાગચ્છની કીર્તિ વધારી એ ખરી વાત; પરન્તુ પટે અને પાલખી ઉપાધિરૂપ થઈ પડયા ! એ સેનાની કટારી કેડે બાંધવાના કામની ન થતાં પોતાને ઈજા કરનારી નીવડી. તે દિવસથી યતિએ પાલખી ચમ્મર વગેરે રાખી સાહ્યબી કરતાં શીખ્યા. ત્યાગમાં આવી જાતના પરિગ્રહે મહાટી ખલેલ પહોંચાડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy