SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ લેકશાહ કેટલાક શિષ્યો સહિત ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા જયપુર ( રાજપુતાના) આવ્યા. ત્યાં આવી ઘણુઓને ધર્મ પમાડો, પરંતુ વિધીઓએ તેમને અઠમને પારણે ઝેર આપ્યું. તે ઝેર મિશ્રિત આહારને એક કવલ લેતાં લેકશાહને માલમ પડયું કે આમાં ઝેર છે. તે વખતે તેમણે શરીરની ક્ષણભંગુરતા સમજી, પરદેશી રાજાની જેમ બાકીને આહાર પૂરે કરી “જાવજીવન અનશન તપ કર્યો અને સમભાવ પૂર્વક વેદન અનુભવ્યું. આત્માના અમરત્વને ભાવતાં મહાવીરના આ સાચા સપુતે ૬૯ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૪૮૫ વિ. સં. ૧૫૪૧ માં ભાવ સમાધિએ +દેહ છેડ. જેનશાસનના એ પરમ પ્રભાવક વીર લંકાશાહના સમસ્ત જૈન સમાજ પર મહાન ઉપકાર છે. ધન્ય છે એ વિજેતાને ! ઈતિ સેંકાશાહ ચરિત્ર સંપૂર્ણ. અમૂર્તિપૂજક તારણું તરણું દિગંબર સમાજ આ સમાજ સ્થા. જૈન સમાજની જેમ મૂર્તિપૂજાને માન્ય કરતો નથી. ઉક્ત સંપ્રદાયના સ્થાપક જૈનના મહાપુરુષોમાંના એક “ તારણ સ્વામી ” હતા. તેમણે પોતાના સમકાલીન શ્રીમાન લોંકાશાહને યાદ કરેલા, તેથી તેમના સંબંધીને થોડેક અહેવાલ આપ પ્રસંગેચિત ગણાશે, શ્રી તારણ તરણ શ્રાવકાચાર” (અનુવાદક શ્રી. બ્ર. શિતળપ્રસાદજી) નામક પુસ્તકની ભૂમિકામાં લખે છે કે –પુષ્પાવતી નગરીમાં તેમના પિતા ગાઢાશાહુ રહેતા હતા. તે પરવાર જ્ઞાતિના શેઠ હતા. અને દિલ્હીના પાદશાહને ત્યાં કોઈ કામ પર નિયત થયેલા હતા. પેશાવર શહેરને પહેલા પુષ્પાવતી કે પુષ્કલાવતી નગરી કહેતા. આ ગાઢાશાહની ધર્મપત્નીથી ઉકત ગ્રંથના કર્તા “તારણ સ્વામી ” ને જન્મ થયેલ. વિક્રમ સં. ૧૫૦૫ ઈ. સ. ૧૪૪૮ જે વખતે દિલ્હીમાં અલાઉદ્દીન સૈયદ રાજ્ય કરતો, ત્યાર પછી ઈ. સ. ૧૪૫૦ માં સુલતાન વહાલ લોદી રાજ્યાન પર આવ્યો. આ બાળક પાંચ વર્ષને થયે. તેવામાં તેમના પિતા પર કોઈ કારણથી બાદશાહની કફા મરછ થઈ; તેથી ગાઢાશાહુ પિતાના સ્ત્રી પુત્રને લઈ, પેશાવર છે ટેકરાજયના સમરખેડા પાસેના એક ગામમાં રહેવા આવ્યા. ત્યાં એક ધનાઢય જૈન શેઠની સહાયથી તે વ્યાપાર કરવા લાગ્યો અને પુત્રને વિદ્યાભ્યાસ કરાવવા + આ ઘટનાનું બીજું પ્રમાણ મને મળી શકયું નથી તેથી એક તરફીપણાના લેખન દોષથી મુકત થવા માટે મારે કહેવું જોઈએ કે આ હકીક્ત મુનિ શ્રી મિશ્રીમલજી મ. પાસેની હસ્ત લિખિત પ્રત પરથી મને કહેવામાં આવેલ હોઈ તે દાખલ કરી છે. તે કેટલે અંશે સત્ય છે તે હું ચોક્કસ કહી શકતો નથી. તત્ત્વ કેવળી ગયે. -લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy