SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મન, વાણી અને કાયા તદૃન જીતી લીધાં હતાં. તેઓને ગુણની દ્રષ્ટિથી “જિન”૧ “અહંતુ ”૨ એ યથાર્થ નામ આપવામાં આવેલા છે. અને એમના ધર્મને ખાસ અનુસરનારા તે “જૈન” કહેવાય છે. એ મહાત્માઓએ પોતાના જીવનથી અને ઉપદેશથી અસંખ્ય જીને આ સંસાર સમુદ્રથી તાર્યા છે. અને તેથી તેઓ “તીર્થકર ” નામે ઓળખાય છે. જેને દરેક યુગ-મહાયુગમાં ૨૪ તીર્થકર થયેલા માને છે. વર્તમાન યુગમાં ૨૪ થયેલા, તેમાં સૌથી પહેલાં રાષભદેવજી અને છેલ્લા વર્ધમાનમહાવીર સ્વામી, અષભદેવજી અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા. તેમને બ્રાહ્મણે પણ વિષ્ણુના ૨૪ અવતારમાંના એક માને છે. અને એમના અદ્દભુત વૈરાગ્યની અને પરમહંસવૃત્તિની ખૂબ પ્રશંસા કરે છે. પુરાણોની પૂર્વે જૈન ધર્મ હતો તે પુરાણોથી સિદ્ધ થાય છે. તથા અષભદેવ માટે પણ વેદ, પુરાણે સાક્ષી પૂરે છે. “સત્યાર્થ દર્પણ” (જૈન પુસ્તકમાળા પુ. ૯ ચંપાવતી) નામક પુસ્તકના લેખક શ્રી. પં, અછતકુમાર શાસ્ત્રી તે પુસ્તકના પૃષ્ઠ ૧૧૧ થી “જન ધર્મક ઉદયકાળ સબસે પુરાતન હૈ” એ મથાળા નીચે લખે છે કે – સનાતન ધર્માવલમ્બિયાં કે ગણેશપુરાણ, શિવપુરાણ આદિ ૧૮ પુરાણેકે બનાને વાલે વ્યાસ ઋષિ મહાભારતકે સમયવતી બતલાયે જાતે હૈ, ક કિ પરાશર ઋષિ કે યે પુત્ર થે ઔર સત્યવતી (મસ્યગંધા ) નામક સલાહકી પુત્રી કે ઉદરસે ઉત્પન્ન હુએ થે જિસકે પરાશર ત્રાષિને પ્રસન્ન હેકર અનન્ત યૌવના કર દિયા થા. ઔર ફિર જિસકા પાણગ્રહણ મહારાજા શાન્તનુસે હુઆ થા. ઈસ વિષયમેં યદ્યપિ કઈ પ્રમાણિક સાક્ષી નહિ હૈ. કિન્તુ ફિર ભી ૧ જિન શબ્દ બુદ્ધના માટે તેમજ વિષ્ણુના માટે પણ વપરાય છે. ૨ અહિંગ્ય. પ્રાચીન ઋગ્રેદમાં અર્વત યોગ્ય, મહાન સામાન્ય વગેરે અર્થમાં વપરાય છે. જુઓ ક દ ૨-૩-૧; ૨-૩-૩; ૭–૧૮-૧૦-૨૦; ૨-૨; ૧૦-૦૯-૭ મૂળ. ૩ યુગ-મહાયુગ, એ શબ્દ માટે જૈનસૂત્રમાં “અવસર્પિણ” અને “ઉત્સર્પિણ” એ નામના બે મોટા કાલ-કાળચક્રના બે વિભાગો કહ્યા છે. અવનીચે સર્પ=સરવું એટલે રૂપ, રસ, ગંધ, આદિ વૈભવમાં ક્રમશઃ જે પડત–ઉતરત કાળ તે અવસર્પિણી અને રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ઉ=ઉંચે એટલે ક્રમશઃ ચડતા કાળ તે ઉત્સર્પિણી. આ બે વિભાગોમાં સંખ્યા ન થઈ શકે એટલા વર્ષો પસાર થઈ જાય છે. એ પ્રત્યેક વિભાગના છ ભાગ કર્યા છે. તેને છ આરા કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા પૂરા થાય કે અવસNિણીના છ આરા શરૂ થાય છે, એમ અનંતકાળ સુધી આ ઘટમાળ ચાલ્યા કરે છે. તેમાં વર્તમાન સમયે અવસર્પિણી કાળને પાંચમો આરો ચાલે છે. જે ૨૧૦૦ વર્ષ છે. હિંદુએ વર્તમાન યુગને કળિયુગ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy