SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ તેમણે સંધના અગ્રેસરા સમક્ષ કહ્યું, અને પવિત્ર ધર્મનું અવલંબન લઈ આત્મહિત સાધવાના ઉપદેશ કર્યો. લક્ષ્મીવિજયજી મહારાજની સાદી અને સ્પષ્ટ દલીલેા અને વિશુદ્ધ ધર્મનું સ્વરૂપ સાંભળી આગંતુક મહેમાને અતિ પ્રસન્ન થઈ ગયા અને તે વખતથી રાજ તેઓ શ્રીમાન લેાંકાશાહનું વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા. ક્રમેક્રમે તેમને વ્યાખ્યાનકાર પ્રત્યે ખૂબ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ. આ તરફ્ યતિ લેાકેાએ જાણ્યું કે સંઘના અગ્રેસર અને શ્રાવકાને મેટે સમૂહ લેાંકાશાહનું વ્યાખ્યાન સાંભળવા જાય છે, ત્યારે તેમના હૃદયમાં લાંકાશાહ પ્રત્યે ભારે ઈષ્યોની લાગણી થઇ આવી; એટલુંજ નહિ પણ આવેલ સંઘને વિદાયગીરી આપવા માટે યતિએ એ સઘવીને ખેલાવીને કહ્યું કે શ્રીમાન સંધના લેાકેાને ખરચી માટે હરકત થશે; માટે હવે ખીજે ગામ સંઘ ચલાવે. ત્યારે સાંધવીઓએ જવાબ આપ્યા –ચતિજી! આપ આ શું બેલે છે ? હમણા વરસાદ ઘણા પડયા હૈાવાથી જીવની ઉત્પત્તિ ઘણી થઇ છે; તેમ જ કીચડ પણ ઘણા થયા છે, માટે હમણાં ચાલવું ઉચિત નથી. આ સાંભળી યતિજીએ કહ્યું:મહાશય ! આવે. ધર્મ આપને કેણે શીખવ્યા ? ધર્મના કામમાં જે હિંસા થાય તે ગણાય નહિ. કેમકે હિંસા કરતાં યાત્રામાં ધર્મલાભ ઘણા છે. આ કથનથી સંઘવી ઘણા દીલગીર થયા ! શું આ જૈન યતિના મ્હાંના જવામ ? કરૂણારહિત ! મહાવ્રતરહિત ! એવા આ અસયતિ ને સતિ કેમ કહેવાય ? જ્યાં ભાષાસમિતિ નહિ, ત્યાં સાધુપણું રહ્યું જ ક્યાં! એમ વિચારી સંઘવીએએ તે યતિઓની નિટ્સના કરી, કેટલાક ખુલ્લી રીતે ત્યાં તિઆને અનાદર કરી લેાંકાશાહ તરફ વળ્યા. અને કેટલાક જેએ જાહેર હિમતના અભાવવાળા હતા તેઓ પાતપાતાને ઘેર ગયા. પરંતુ અંદર ખાનેથી તે તેઓ લાંકાશાહનાજ ભક્ત બન્યા હતા; એટલુંજ નહિ પણ તેએ એક બીજા સમક્ષ લાંકાશાહના યશેાગાન ગાતા. લેાંકાશાહનું શુદ્ધ પ્રચારકાર્ય વધુ ને વધુ વેગથી પ્રસરતું જતું હતું. સઘના નાયકા ઉપરાંત શહેર પરગામના ઘણાં મનુષ્યે તેમના વિશુદ્ધ ઉપદેશનું પાન કરવા આવતા, આથી તા યતિઆની ઇર્ષામાં વધુને વધુ ઉમેરા થતા ગયા. તેઓને પેાતાના માલા, માન પાન, પદવી ને કીર્તિ જોખમાયેલાં જણાયાં. એટલે સ્થાયી રહેલા યતિએ પેાતાના ભક્ત શ્રાવકાના કાન ભંભેર્યાં, અને કાઇ રીતે લક્ષ્મીવિજયજીને વિદાય કરવાનું સૂચન કરી દીધું. આથી સંઘના શ્રદ્ધાળુ શ્રાવકા તત્કાળ ઝવેરીવાડાના ઉપાશ્રયે ( જ્યાં લેાંકાશાહ ઉપદેશ આપતા હતા ત્યાં) આવ્યા, અને લાંકાશાહને સંધની માલીકીનું મકાન ખાલી કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy