SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ આ ઉપરાંત સદ્ગુવ, સદ્ગુરૂ અને સદ્ધર્મ એ રત્નત્રયનું આબેહુબ ખ્યાન ચૈત્ય ચિત્યા” એ ચાર શબ્દોમાં શબ્દનું મૂળ જડી આવે છે. એ ચારેય શબ્દોને અર્થ એક સરખા છે અને તે “ચે ” થાય છે. અર્થાત્ “ચે ”તુ સંબંધી એટલે એના ઉપર બનેલું કે તે નિમિત્ત બનેલું વા તેની કાઇ બીન આકારે રહેલી સત્તાયાદગીરી, તેને “ ચૈત્ય ” કહેવામાં આવે છે. જે સ્થળે મૃતકને અગ્નિસ્થાયી કરવામાં આવે છે તેને જ “ચ્ય કહેવામાં આવે છે. ચૈત્ય શબ્દના એ અ મૂળ અર્થ છે, મુખ્ય અર્થ છે અને પ્રાચીનમાં પ્રાચીન અથ છે. kr 39 આટલું લખી તે પંડિતજીએ “ ચૈત શબ્દના પલટાયલા વિધવિધ અર્થો વર્ણ વ્યા છે તે જાણવા જેવા છે. ૧ ચૈત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક ચિન્હ, ચિતાની રાખ. ૨ ચૈત્ય=ચિતા ઉપરના પાષાણુખંડ–ટકું કે શિલાલેખ. ૩ ચૈત્યતિચતા ઉપરનુ પીપળાનું કે તુળથી વિગેરેનું પવિત્રવૃક્ષ ( જુએ મેધદૂતપૂ મેધ શ્લોક ૨૩). ૪ ચૈત્ય=ચિતા ઉપર ચણેલાં સ્મારકની પાસેનું યજ્ઞસ્થાન વા હેામકુંડ, Jain Education International "" ૫ ચૈત્ય—ચિતા ઉપર દેરીના ઘાટનું ચણતર–સામાન્ય દેરી, ૬ ચૈત્યચિંતા ઉપરની પગલાંવાળી દેરી કે ચરણ પાદુકા. ૭ ચૈત્ય=ચિતા ઉપરનું દેવળ કે વિશાળકાય મૂર્તિ ચૈત્યના આ અર્થા તેની વ્યુત્પતિને છાજે તેવા છે અને તેને રિઢ જન્ય આઠમે તથા નવમા અર્ધાં તેની વ્યુત્પત્તિથી ઘણા દૂર છે. હું આગળ જણાવી ગયે। છું કે આપણા પૂર્વજોએ ચૈત્યાને પૂજવા માટે નહિ પણુ તે, મરનાર મહાપુરુષની યાદગીરી રાખવા માટે બનાવ્યા હતા. પરંતુ પાછળથી તેની પૂજા શરૂ થઈ હતી અને તે આજસુધી પણ ચાલી આવી છે. જે ભાઇ એક પદાર્થના વિકાસક્રમને ઇતિહાસ સમજી શકે છે, તે જ ભાઇ ઉપરની બાબતાને સહજમાં સમજી શકશે. પરંતુ જે ભાઇના મનમાં વર્તમાન ધ, તેના વર્તમાન નિયમે। અને તેમાં પરાપૂર્વથી પેસી ગયેલી કેટલીક અસંગત રૂઢિએ તથા વર્તમાન મૂર્તિ પૂજા વગેરે અનાદિનું ભાસતું હશે. રાજા ભરતના સમયનુ લાગતું હશે. તે અને હું જાતે શાસ્ત્રો વાંચવાની ભલામણ કર્યાં સિવાય ખીજું કાંઇ સમજાવી શકતા નથી. આપ સૌ કાઇ જાણા છે કે વડનું ખી કેટલું બધું સૂક્ષ્મ અને હલકુ હોય છે; પણ જતે દહાડે અનેક જાતના અનુકુળ સંયેાગા મળવાથી તેજ બી એવું રૂપ ધારણ કરે છે કે જેની કલ્પના પણ આપણને આવી શકતી નથી. આજ પ્રકારે પદ્ધતિ માત્ર જેની શરૂઆત તદ્દન સાદી અલ્પ અને અમુક હેતુ ઉપર અવલંબેલી હાય છે તે, જતે દહાડે એવું મેટું અને વિચિત્ર રૂપ ધારણ કરે છે કે જેથી આપણને તેની પ્રારંભિક સ્થિતિને ખ્યાલ આવવે કે આપવેા પણ કઠણ થઇ પડે છે. જે ચૈત્યેા માત્ર યાદગીરી માટે હતાં તે પછીથી પૂજાવા લાગ્યાં. ક્રમે ક્રમે તે સ્થળે દેવ કુલિકાઓ થવા લાગી, તેમાં ચરણુ પાદુકાઓ સ્થપાવા લાગી અને પછી ભકતાની હેાંશથી (!) તેજ જગ્યાએ મેટાં મેટાં દેવાલયેા અને મેાટી મેાટી મૂર્તિ વિરાજવા લાગી. આ સ્થિતિ આટલેથી જ ન અટકી, પશુ હવે તેા ગામેગામ અને એક ગામમાં પણ શેરીએ શેરીએ એવાં અનેક દેવાલયેા બંધાઈ ગયા છે અને બંધાતા જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy