SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ આ અરસામાં, ઈતિહાસકારે જણાવે છે કે અણહીલપુર પાટણથી લખેમશીભાઈ નામના એક સૂત્રસિદ્ધાંતના જાણનાર શાહુકાર અમદાવાદમાં આવ્યા અને તેમણે લોંકાશાહને વિતરાગ પ્રણિત શુદ્ધ ધર્મ સાંભળે. લખમશીભાઈ પ્રથમ તો આવા શુદ્ધ માર્ગનું સ્વરૂપ દર્શાવનાર શ્રીમાન પર પ્રસન્ન થયા, અને પછી એકાન્તમાં કેટલીક ધર્મ ચર્ચાઓ કરી. તે વખતે લખમશીભાઈને યાદ આવ્યું કે મહાવીર પ્રભુના નિવાણુ સમયથી બેઠેલો બે હજાર વર્ષને ભસ્મગ્રહ બરાબર આ વખતે ઉતરવાનો રોગ છે. અને એવે વખતે જે કોઈ હિંમતપૂર્વક બહાર આવી સત્ય ધર્મ ફેલાવવાનો પ્રયત્ન કરશે તે બરાબર તે ફતેહમંદ નીવડશે. આ વાત તેમણે લંકાશાહને કહી, અને પતિત થયેલા માગને પુનરૂદ્ધાર કરવાની વિનંતિ સાથે ફળિભૂત થવાની આગાહી આપી. એજ અરસામાં અરહટવાડા, પાટણ, સુરત વગેરે ચાર ગામના સંઘ અમદાવાદમાં આવી પહોંચ્યા અને તે વખતે ઘણું જ વરસાદ થવાથી સંઘને કેટલીક વખત ત્યાં સ્થિરતા કરવી પડી. દરમ્યાન સંઘના માણસે પૃથક પૃથક થળે યતિઓના વ્યાખ્યાન સાંભળવા જતાં. લંકાશાહની જુદા જ પ્રકારની પ્રરૂપણાથી શિથિલાચારને નભાવી લેવા ઈચ્છતા યતિઓ તેની અદેખાઈ કરતા. પ્રસંગોપાત યતિઓમાંના કેટલાકે સંઘના માણસોને મશ્કરીમાં કહ્યું કે અમારા કરતાં લક્ષ્મીવિજયજી (લેકશાહ) બહુ સરસ બોધ આપે છે, માટે તમે તેમની પાસે જાવ. આ શબ્દો કહેતી વખતે યતિઓને ન લાગ્યું કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા જતા પડતાના શીરેજ તે આવી પડે છે. સંઘના અગ્રેસર સંઘવીઓએ આથી વિચાર કર્યો કે લોંકાશાહ મૂળ અરહટવાડાના છે, અને દીક્ષા પણ ઘણા વર્ષથી લીધી છે, તો શું તે કોઈ જુદી જ જાતની પ્રરૂપણ કરે છે ? અને જે તેમ હોય તો શ્રી સંઘ તેમને માટે વિચાર કરે; એમ વિચારી સંઘના અગ્રેસર નાગજીભાઈ, દલીચંદભાઈ, મેતીચંદભાઈ અને શંભુજી ભાઈ પોતાની સાથે કેટલાક ગૃહસ્થો લઈને ઝવેરીવાડાના ઉપાશ્રયે શ્રી લંકાશાહના વ્યાખ્યાનમાં આવ્યા. તે વખતે લંકાશાહ બુલંદ અવાજે સત્ય ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવી રહ્યા હતા. ઉપર્યુંકત સંઘ નાયકે તેમનું પ્રતિભાશાળી અને સ્પષ્ટ વકતવ્ય સાંભળી ત્યાં જ સ્થિર થઈ ગયા અને ચાલતાં શાસનમાં પ્રવર્તી રહેલી આડંબરીય અને વિરૂદ્ધ આજ્ઞા વર્ગીય પ્રવૃતિઓથી વાકેફ થયા. જે અગ્રેસર ઓંકાશાહને ઠપકે આપવાના ઈરાદે આવ્યા હતા. તેઓ તેમના પરમ ભકત બની ગયા. આટલું છતાં એકજ શલ્ય તેમના હૃદયમાં રહયું હતું તે એ કે લેકશાહે મૂર્તિપૂજા વિરૂદ્ધની પોતાની માન્ય પ્રદર્શિત કરી હતી. તેથી સંઘના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy