SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦, શ્રાવણ શુદિ એકાદશીને ભગુવારે શુભ ગ શુભ નક્ષેત્રે પ્રહર દ્વિતીય લાભ ચેઘડીએ શ્રીમાન લંકાશાહ ખરેખરા ભાવયતિ બન્યા, અને તે વખતે તેમનું નામ “લમી વિજય રાખવામાં આવ્યું. છતાં લોકાશાહ તરીકેની તેમની લાંબી કીતિ જગત ભૂલી શકયું નહિ, તેથી લોકો તો તેમને ભેંકાશાહ” નામથી જ બોલાવવા લાગ્યા. દીક્ષા લીધા પછી લંકાશાહે સુત્રજ્ઞાન મેળવી લેવાનો નિશ્ચય કર્યો અને સતત્, સૂત્રો વાંચવામાં મશગુલ રહેવા લાગ્યા. પરિણામે અનેક સુત્ર સિદ્ધાન્તોના તેઓ પારગામી બન્યા. ઘણુ ગ્રંથનું મનન અને અવલોકન કર્યું. એક તે સ્મરણ શકિત અને બુદ્ધિને સ્વભાવિક વિકાસ અને તેમાંય દીક્ષિતાવસ્થાનું કેવળ નિવૃત્તિમય જીવન એટલે જ્ઞાનની શોધમાં લાગેલા મુમુક્ષુને શું દુર્ઘટ હોય? મતલબ કે શાસ્ત્રના રહસ્યને ઉકેલતાં તેમના પવિત્ર હૃદયમાં શ્રી વીર પરમાત્માના શુભાશયે ખડા થયા, શાસ્ત્રોના અભેદ્યભાવોને સમજતાં તેઓ આશ્ચર્ય પામ્યા અને જ્ઞાન ચક્ષુઓ ખીલ્યા. એ વખતે બરાબર તેમણે જોયું કે વીતરાગને આ માર્ગ ખરેખર વિષમ અને ભયાનક છે, ખાંડાની ધાર પર ચાલવા જેટલો કઠિન છે; સાધારણ મનુષ્ય તેના માર્ગને ભાગ્યેજ પાર પામી શકે? આ વિચારો સાથે તેને તે વખતે પ્રવર્તી રહેલી યતિ વર્ગની પામર મનેદશાને ખ્યાલ આવ્યેઃ–પોતાની નજર સામે તેણે વિતરાગની આજ્ઞાનું છોક ખૂન થતાં જોયું. ધર્મને નામે થતો આરંભ તેના હૃદયને કારી ઘા જેવો વસમું લાગ્યું. તેણે શુદ્ધ માર્ગનું અવલંબન લેવાનો નિશ્ચય કર્યો. બસ. બીજે જ દિવસે કાશાએ સત્ય ધર્મના ઉપદેશનું કાર્ય આરંભ્ય જે જે મનુષ્ય તેની પાસે આવતાં, તેમને લંકાશાહ વિતરાગ ધર્મનું ખરું રહસ્ય સમજાવી આધુનિક ગંદી પ્રણાલિકાથી દૂર રહેવાનું ઉપદેશતા. એક તે ચારિત્રશીલઆત્મા, આગમાનુસાર ઉપદેશ; અને જાહેર હિંમત એ વગેરે સદગુણે અનેક મનુષ્ય લંકાશાહના ભકત બન્યા. અને તેમ બનવું સ્વાભાવિક હતું. તેઓ પાટણથી સિદ્ધપુર અને આસપાસના પ્રદેશમાં ફર્યા એટલામાં તેમના ઘણા અનુયાયીઓ થયા. એક વખત તેઓ કેટલાક યતિઓ સહિત ફરતા ફરતા અમદાવાદ આવી ઝવેરી વાડાના ઉપાશ્રયમાં ચાતુર્માસ રહયા. તે દરમ્યાન તેમના શુદ્ધ ઉપદેશને અનુલક્ષીને કેટલાક યતિઓએ પણ પિતાને ચાલુ યતિપણે છેવને પુન: શુદ્ધ વિતરાગ ધર્મની દીક્ષા લેવાનું લંકાશા સમક્ષ જાહેર કર્યું અને થોડા વખતમાં તે તે સઘળા યતિઓ સાચા મુનિએ વિતરાગના માર્ગને અનુસરનારા સાચા ત્યાગીઓ બની ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy