SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ એટલું જ નહિ પણ તેને પોતાની જાત પર પણ તિરસ્કાર છૂટયો. અને હવે કેઈપણ રીતે આ નોકરીમાંથી નિવૃત્ત થઈ ધર્મ માગે જ જીવન વ્યતિત કરવાને તેમણે નિરધાર કર્યો. મહમદશાહની જગ્યાએ કુતુબશાહ ગાદી પર આવ્યું, એટલે તરત જ લેકશાહે નોકરીમાંથી ફારેગ કરવાની કુતુબશાહને વિનંતિ કરી. નવા બાદશાહે વિચાર કર્યો કે લંકાશાહ ન્યાયી, પ્રમાણિક અને સત્યવક્તા પુરુષ છે, એ પુરુષ આ રાજ્યમાં મળવો મુશ્કેલ છે, એમ ધારી તેણે લંકાશાહને કહ્યું – શાહજી, શા માટે નોકરીમાંથી મુક્ત થવું જોઈએ ? તમે કહેતા હો તો હું તમારે દરમા (પગાર) વધારી આપું. એટલું જ નહિ પણ રહેવા માટે તમને બગીચા સાથે એક બંગલો આપું. આ સાંભળી લંકાશાહે કહ્યું – ગરીબ પરવર, આપની આ ભલી લાગણી માટે હું આપને આભારી છું પરંતુ હું આ માયાવી સંસારથી અલિપ્ત રહી પ્રભુભક્તિમાં મારું આખું જીવન ગુજા૨વા ઈચ્છું છું. કેમકે એક દિવસ વહેલું કે મોડું મૃત્યુ ” તો અવશ્ય આવવાનું છે. તો ખાલી હાથે ખુદા પાસે જવા કરતાં કાંઈ ધર્મ કર્તવ્ય કરીને જવાય તે ખુદા ખુશી થાય. માટે કૃપા કરી મને મારી આ ઈચ્છા પૂર્ણ કરવા પરવાનગી આપશે. બાદશાહને લાગ્યું કે આ પુરુષ રાજ પ્રપંચમાં પડવા ઈચ્છતો નથી. તેથી તેણે શ્રીમાન લંકાશાહને સારી પહેરામણી સાથે રજા આપી. લેકશાહ બાદશાહને નમન કરી ચાલી નીકળ્યા. ઈ. સ. ૧૪૫ર વિક્રમ સં. ૧૫૦૮ માં લોકશાહ, સ્ત્રી, પુત્ર કુટુંબીજનેને લઈ પાટણ આવ્યા. એક સુંદર રહેવા માટે મકાન લઈ ખાનપાનનો બંદોબસ્ત કરી આપી તેમણે હંમેશને માટે સંસાર જાળમાંથી અલગ થવાની એટલે દીક્ષિત જીવન ગુજારવા માટેની સ્ત્રી વગેરેની અનુમતિ મેળવી લીધી. તે વખતે પાટણમાં યતિશ્રી સુમતિવિજયજી બિરાજતા હતા. તેમની પાસે જઈ લંકાશાહે કહ્યું:-મહાત્મન્ ! આ સંસારના પરિતાપથી ત્રાસ્યો છું. સ્ત્રી પુત્રાદિક મળેલ સર્વ સાંસારિક સંબંધ ક્ષાણુક અને નાશવંત છે તેથી હું મારા હિતને માટે આત્મકલ્યાણને માર્ગ–જે દીક્ષા તે લેવા ઈચ્છું છું. માટે આપ મને દીક્ષિત બનાવી આ સંસાર સમુદ્રમાંથી પાર ઉતારશો એવી મારી નમ્ર વિનંતિ છે. આ પ્રમાણેના શ્રી લંકાશાહના નમ્ર અને વૈરાગ્ય ભર્યા વા સાંભળી, ગુરૂએ તેમને ભવભીરૂ આત્મા માની, સ્ત્રી પુત્રાદિક સંબંધીઓ અને શ્રી સંઘની અનુમતિ મેળવી દીક્ષા આપી. ઈ. સ. ૧૪૫૩ વિકમ સં ૧૫૦૯ ના ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy