SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ રૂપ ગુણ યુક્ત છે, તે મારી એકની એક પુત્રી “સુદર્શના”ના વિવાહ સંબંધ આની સાથે જોડું તો તે યુક્ત જ છે.” એવો વિચાર કરી ઓધવજી શાહ બીજે દિવસે અહટવાડે આવ્યા અને હેમાશાહના ઘેર ઉતર્યા. હેમાશાએ મહેમાનની એગ્ય સરકાર કરી વિનયપૂર્વક પૂછ્યું –શાહજી ! અત્રે કેમ પધારવું થયું છે ! મારા લાયક કામ સેવા ફરમાવશે. જવાબમાં ઓધવજી શાહ પોતાનો હદય ભાવ વ્યક્ત કરતાં બોલ્યા –ચેધરીજી ! હું મારી એકની એક પુત્રી સુંદરબાઈ ( સુદર્શના) છે, તેનું વેવિશાળ આપના પુત્ર વેરે કરવા આવ્યો છું; માટે આ રૂપીએ અને શ્રીફળ ગ્રહણ કરી આભારી કરશે. ઉમાશાહે ઓધવજી શાહની વાત સાંભળી કુટુંબી જનોને પૂછી ગ્ય સ્થળ અને ગ્ય કન્યા જાણી શ્રીફળ વધાવી લીધું. અર્થાત્ વેવીશાળ કરી સાકર વહેંચી અને તરતમાં જ લગ્ન લીધું. માઘ શુદિ સપ્તમીને દિવસે જાન જેડી તેઓ શિરોહી ગયા. અને શુભ ચોઘડીએ લંકાશાહને, ઓઘવજી શાહે કન્યાદાન દીધું. હેમાશાહે પુત્રને સુસ્થળે પરણાવી પિતાને માથેથી ઋણ ઉતાર્યું. ગંગાબાઈને પુત્રવધુ ઘેર આવવાથી આનંદની સીમા રહી નહિ. સંસાર સુખ જોગવતાં લંકાશાહ આનંદમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. અઢારમે વર્ષે લેકચંદ્રને ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ, તેનું નામ “પુનમચંદ” રાખવામાં આવ્યું. આ પ્રસંગથી હેમાશાહ અને ગંગાબાઈ પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યા. તે સંસાર વૃદ્ધિના કારણે નહિ, પણ સંસાર નિવૃત્તિને કારણે. જેમ ભકત નૃસિંહ મહેતાએ ગાયું હતું કે –“ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ”તેમ પોત્ર પ્રાપ્તિથી ઉભય દંપતીએ નિવૃત્તિમય જીવન ગાળવાનું અને ધર્મ કર્તવ્યમાં અહર્નિશ ઉત્સુક રહેવાનું ઈચછયું એટલે ગગાબાઈ એ ગૃહકાર્યભાર પુત્રવધુને સોંપી દીધો અને નિવૃત્ત બની તેઓ બંને સતત્ જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહી પ્રભુભકિત કરવા લાગ્યા. આ તરફ લોકચંદ્ર ( લેકશાહ ) હંમેશાં માતાપિતાનું પૂજન કરી આ જ્ઞાએ પ્રવર્તતા હતા અને દુકાનનો વહિવટ ચલાવતા હતા; પરંતુ તેમના ધંધાની મેટી ધીરધાર ખાસ કરીને કૃષિકારે (ખેડૂતે ) પ્રત્યેની હતી. અને દુકાળ આદિ દરેક પ્રસંગે ખેડૂતને ધીરેલાં નાણાં પાછા મેળવવામાં અવાર નવાર મુશ્કેલીઓ ઉત્પન્ન થતી, તેમજ ધીરેલાં નાણું પાછા આપતાં પણ ખેડૂતોને ત્રાસ છૂટે છે એમ જ્યારે તેમણે જોયું ત્યારે એ ધંધા પર તેમને અભાવ થયે, અને બીજે કઈ ઝવેરાતાદિને ધંધે કરી કુટુંબ નિર્વાહ ચલાવવાનું યોગ્ય લાગ્યું, આથી તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. દરમ્યાન તેવીસમા વર્ષે માતા અને ચોવીસમા વર્ષે પિતા એમ બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy