SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સ્વર્ગવાસ પામ્યા. એટલે સુરતમાં જ તેમને વ્યાપાર આટેપી લઈ પરદેશ જવાને નિશ્ચય કર્યો. એ સિવાય તેમને સ્વભૂમિ છેડવાનું એક બીજું સબળ કારણ પણ એ જણાય છે કે તે વખતે શિરોહી રાજ્યમાં કેટલીક અંધાધુંધીએ પણ વ્યાપી રહી હતી. પૂવે શીહી અને આબુ પાસેની ચંદ્રાવતી એ બે રાજ્યો વચ્ચે વર્ષોથી વૈર હતું. જો કે છેલ્લા ૧-૨ સૈકાથી કાંઈક શાંતિ હતી, છતાં અંધાધુંધી, ધાડા વગેરે અવાર નવાર આવતા. આથી શ્રી લંકાશાહ ઉદ્દે લેકચંદ્ર સદાને માટે અહિટવાડા છડી જવાનો નિશ્ચય કર્યો. અને ઈ. સ. ૧૪૪૧ સં. ૧૪૯૭ માં પચીસ વર્ષની ઉંમરે લંકાશાહ પિતાની સ્ત્રી તથા પુત્ર વગેરેને લઈ અમદાવાદ આવ્યા. ત્યાં એક મકાન લઈને રહ્યા અને ઝવેરાતને ધંધો શરૂ કર્યો. તે અરસામાં મહમદ શાહ બાદશાહ ગાદીએ બેઠે, કે તરત જ તેણે ઝવેરાત લેવાની ઈચ્છા જણાવી. તેથી સર્વ ઝવેરીઓને બોલાવવામાં આવ્યા, તેમાં ફેંકાશાહ પણ આવ્યા. બધા ઝવેરીઓએ પિતાની પાસેનું ઝવેરાત બતાવ્યું તેમાં એક સુરતવાસી ઝવેરીએ જાંબુ જેવડાં બે અમૂલ્ય મેતી મૂક્યા. અને તેની કિંમત એક લાખ બહોંતર હજારની કરી. મહમદશાહે તે બે ખેતી અમદાવાદના ઝવેરીઓને પરીક્ષા કરવા માટે દેખાયા ત્યારે તેમણે મેતીને ઉત્તમ અને વ્યાજબી કિંમતના કહી સુરતના ઝવેરીની તરફેણ કરી, ત્યારે બાદશાહે બધા ઝવેરીઓની સામે જોયું. તે વખતે તેણે ફક્ત લંકાશાહનું મુખ હસતું ભાળ્યું. આ જેઈ શાહને વહેમ પડયે. તેથી તેણે લંકાશાને પૂછ્યું કે –તમે હસ્યા કેમ? જવાબમાં લંકાશાહ બેત્યા–જહાંપનાહ! આ બધા ભાઈઓ કરતાં મારે અભિપ્રાય જુદો જ છે. “શું તમે ઝવેરી છે?” બાદશાહે પૂછ્યું. “જી, હા. કાંઈક જાણું છું.' “જે તમે જાણતા હો તો લે આ મોતી અને કરે પરીક્ષા.” બાદશાહની આજ્ઞાથી લંકાશાહે મેતી હાથમાં લીધા. તે સમયે બીજા ઝવેરીઓ હસવા લાગ્યા. અને મનમાં બડબડયા કે જુઓને ! આ વળી આજકાલને દોઢ ડાહ્યો થાય છે તે, ઝવેરીઓની ઉપહાસ્ય યુક્ત આ મુદ્રા જોઈ બાદશાહે તેમના સામે કૂર દષ્ટિ કરી, એટલે તેઓ કાંઈ બોલી શક્યા નહિ. કાશાહે બંને મેતી બારિકાઈથી તપાસીને કહ્યું –જહાંપનાહ આ બે મોતી પૈકીનું એક સાચું અને મહાન કિંમતી છે, જ્યારે બીજું મચ્છ મેતી એબવાળું અને નકામું છે. આ સાંભળી સર્વ ઝવેરીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. પણ બાદશાહ બહુ જ શાણે હોવાથી સૌ કોઈને શાન્ત રાખીને પૂછયું – શાહજી, તેની પરીક્ષા બતાવો તે જ વખતે લંકાશાએ પારદર્શક મંગાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy