SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ છે. તેના રાજ્યકર્તા ચહુઆણ જાતિના રજપુત છે. અને તે “મહારાવ ” કહેવાય છે. એની પૂર્વે મેવાડનું રાજ્ય, ઈશાન ખૂણે એરનપુરા, દક્ષિણે પાલણપુર અને દાંતાનું રાજ્ય તથા પશ્ચિમે–વાયવ્ય કોણમાં મારવાડનું રાજ્ય આવેલું છે. એ રાજ્યના પૂર્વ ભાગમાં “ અરવલી” નામે પર્વતની લાંબી એળ છે. તેની શાખાઓ ચેતરફ પ્રસરેલી છે તેથી ઘણે ખરે મુલક પહાડી અને ખડબચડે છે. ઝાડી પુષ્કળ છે. નૈઋત્ય અને વાયવ્ય ખૂણુનો ભાગ જરા ખુલ્લે છે. એ દેશની નૈનાત્ય દિશાએ આબુ” નામે પ્રસિદ્ધ પહાડ આવેલે છે. એવા આ શિરહી શહેરથી ઉતર દિશાએ આઠ કેશ દૂર “અરહટવાડા” ગામ હતું. તે શીરાઈ તાબાનું પુરાતન શહેર હતું. ત્યાં “અરહટે” બહુ ફરતાં હોવાથી તેનું નામ “અરહટવાડા ” પડેલું. ત્યાં અનાજનું મેટું પીઠું (બજાર) હવાથી ઘણું વેપારીઓ વ્યાપારાર્થે આવતા, પરંતુ કાળક્રમે તેનું પરિવર્તન થતાં હાલ તે એક ગામડું બની ગયું છે અને તે “અરહટવાડા” ને બદલે “અટવાડા ” નામથી ઓળખાય છે. પરંતુ ત્યાં જનાર આસપાસ જુએ છે તે જુના ખંડેરો અને જુના પડી ગયેલા દેરાસરે વગેરે દેખાય છે. ત્યાં અઢારે વર્ણની વસતી રહેતી હતી, તેમાં મુખ્ય ઘરે ઓશવાળ જ્ઞાતિના વણિકેના હતા. જેમાં ધન ધાન્ય કરી સંપૂર્ણ રીતે સુખી હતા. તેમાં કેટલાક ધીરધારને, વ્યાજ વટાવને અને અનાજ વગેરેને વ્યાપાર કરતા અને સંતોષી જીવન ગુજારતા. તે જ્ઞાતિમાં અગ્રેસર ચોધરી (નગરશેઠની પદવી અપાયેલ હોય તે ધરી કહેવાતા) અટકના “હેમાભાઈ” નામના એક સદગૃહસ્થ રહેતા. તેમને “ગંગાબાઈ' નામે ધર્મ પરાયણ અને પતિભક્ત પત્ની હતી. આ દંપતી શ્રાવક ધર્મને અંગીકાર કરી શુદ્ધ જૈનધર્મનું આરાધન કરતાં અને યથાશક્તિ સુપાત્રને દાન દઈ પોતે જમતા હતા. હેમાભાઈ પણ નિષ્પક્ષપાતી, ઉદાર અને નીતિજ્ઞ હોઈ, આખાયે શિરહી જીલ્લામાં પ્રતિષ્ઠા પાત્ર હતા. આ રીતે પતિપત્ની બંને સુખી હતા, પરંતુ તેમને એક જાતનું અંતરમાં દુ:ખ હતું તે એ કે અદ્યાપિ તેમને એક પણ પુત્ર-પુત્રી આદિ સંતાન ન હતું. પુણ્યશાળી જીવોને આ પ્રકારનું દુ:ખ હોવા છતાં પણ જેઓ ધર્માનુરાગી હોય છે તેઓ તે ચિંતાને પણ ક્ષણભર સંસારજન્ય પરિતાપ રૂપ માની, પૂર્વ પુરુષોના સદ્ધચનને લક્ષમાં લઈ વિસ્મૃતિ અનુભવે છે. પણ આ પુણ્યશાળી દંપતીનો ભાગ્યરવિ ખીલવાનો હતો. કોને ખબર હતી કે આ ઉદ્દગમગ્ન સ્થિતિને નષ્ટ કરી આ દંપતીના ધર્મસંસ્કારના બીજ કેને ભારત ભરમાં પ્રસરાવનાર કોઈ અમૂલ્ય બીજને ઉદ્ભવ થશે ? કેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy