SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ રાજા મહારાજાઓને તિષ, વૈદક, મંત્રાદિ કરી આપી રંજન કરી છડી છત્રાદિ લેતા હતા. રાજકચેરીમાં બેસતા પણ હતા વળી પૈસા આપે તે લઈ લેતા હતા પિતાના નામના ઉપાશ્રય બંધાવી કલમ તોડી માંહી રહેતા હતા. લોકાશાહ યતિજી થયા પછી સિદ્ધાન્તનું અવલોકન કરવા લાગ્યા. તેમને સૂત્રજ્ઞાન ઘણું વિશાળ થયું. તેમની નિર્મળ મતિ શ્રી વીર પરમાત્માની વાણીના પવિત્ર આશયને પામી ગઈ. પોતાના જ્ઞાન ચક્ષ ઉઘડયા શ્રી મહાવીર ભાષિત અણગાર ધર્મ અને આ સમયના યુતિવર્ગની પ્રવૃત્તિઓ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર જણાયું. યતિ લોકો ઉસૂત્રની પ્રરૂપણ કરતા હતા વળી દિગંબર ને વેતાંબર આ બંનેની મૂર્તિમાં તફાવત અને પ્રભુને નામે થતો આરંભ આવો જૈનસમાજનો ગતિપ્રવાહ ઉલટી દિશામાં વહેતે જોઈ તેમનું અંતઃકરણ જગતની છો ઉપર દયાત્મ ભાવથી જોવા લાગ્યું. તેમના હૃદયમાં પ્રબળ પ્રેરણા થઈ. તેથી લોકાશાહ નીડરપણે જાહેરમાં ઉપદેશ આપવા લાગ્યા. સત્યમાં ખાસ ભાવિક રીતે રહેલા અદ્ભૂત આકર્ષણ શક્તિના પ્રભાવથી તેમના ભક્તોની સંખ્યા પ્રતિદિન વધવા લાગી. સિદ્ધપુર પાટણ વગેરેમાં વિચરી લાખ જીવોના ઉદ્ધાર કર્યો. એક વખત સવંત પર એકત્રીસમાં કેટલાએક યતિઓ સહિત શ્રી અમદાવાદ ઝવેરીવાડમાં ચાતુરમાસ રહ્યા. તેમના સદુપદેશની અસરથી કેટલાક યતિપણે મકીને જેન શાસ્ત્રાનુસાર અણગારપણાની તત્પરતા બતાવી તેથી લોકાશાહજી પણ પુનઃ ચારિત્ર ધારણ કરી અણગાર ને ગૃહસ્થના બને ધર્મો સમજાવવા લાગ્યા. ઈતિ લખીતંગ તપગચ્છના યતિ નાયકવિજયના શિષ્ય કાંતિવિજ. પાટણ નગરે સંવત ૧૬૩૬ ની વસંતપંચમીએ એમ લખેલું હતું તે પ્રમાણે ઉતારો કર્યો છે. આ ચરિત્ર ઘણાને નવું લાગશે, અને કઈ કઈ વિધીએ તેને કદાચ હગ ગણી હસી પણ કાઢશે. ગમે તેમ હો પણ મને મળેલી આ માહિતીમાં મેટે ભાગે સત્યાંશ જણાયેલું છે અને તેથી જ હું, ઉપરની નકલ મેળવ્યા પછી અનેક અતિહાસિક સાધન વડે અને આ લેખની શરૂઆતમાં દર્શાવેલ વિચારે વડે બુદ્ધિગમ્ય વિચાર કરતાં આ વાત સત્ય માનવાને પ્રેરા છું. અને એવા દીક્ષાધારી પ્રબળ પુરુષાથ પુરુષના ચારિત્ર, જ્ઞાન, આત્મબળ અને શ્રદ્ધા તરફ જન સમૂહને માટે વિભાગ આકર્ષાય તે સ્વાભાવિક છે. અને તેથી જ તેની સત્ય ઘોષણાને ઝીલનારા લાખ અનુયાયીઓ તેને મળ્યા હતા. હવે આપણે શ્રીમાન લંકાશાને પુનિત જીવન પ્રવાહ અવલોકીયે; તે સાથે તેને સત્ય રાહ પણ કેટલે કંટક ભર્યો હતો, તેમને સત્ય ઉદ્દઘાષણાના માર્ગમાં કેવા ભયાનક પાષાણે નડતા હતા, તેમજ તેઓને ક્યા કારણે ક્રાંતિ કરવાની આવશ્યક્તા જણાઈ હતી, તે બધું સવીસ્તર વર્ણવવાથી તે પ્રબળ ક્રાંતિકાર મહાપુરુષને આપણને ખ્યાલ આવી શકશે. લોકશાહ ઉર્ફે લેકશાહનું ચરિત્ર શિરોહી––આ રાજ્ય સાથે આપણું ચરિત્ર નાયકનો વ્યવહારિક સંબંધ હોઈ. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે. આ રાજ્ય શિરોહીના રાજ્ય તરીકે પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy