SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ પિતાની ઈચ્છા પતિશ્રી સુંદરજી પ્રત્યે વ્યક્ત કરી, યતિશ્રીની અનુ મતિથી તેને ઉતારે કરી લેવામાં આવ્યું જે નીચે પ્રમાણે છે – અથ લૉકાશાહનું જીવન આ મહાત્માને જન્મ અરહટવાડાના ઓશવાલ ગૃહસ્થ ચેધરી અટકના શેઠ હેમાભાઈની પવિત્ર પાતવૃત પરાયણુ ભાર્યા ગંગાબાઈની કુક્ષિથી સંવત ચૌદખ્યાસીનાં કાર્તિક સુદી પુનમને દિવસે થયો હતો. અને પંદરમે વર્ષે સંવત ૧૪૯૭ ના માઘ માસમાં યૌવન પ્રાપ્ત થયે માતા પિતાએ શીરાઈ શહેરના શાહ ઓધવજીની પુત્રી બાઇ સુદર્શન સાથે તેમને વિવાહ કર્યો હતો. તેમને એક પુત્ર પુનમચંદ નામે થયો હતો. લોકાશાહની વર્તણુંક નીતિવાલી હતી. વ્યસન રહિત હતા. માતાપિતાની આજ્ઞા ગમે તેવી કાઠીન્ય હોય તો પણ તત્કાળ ઉઠાવતા હતા. વૈરાગ્યવાળા પુસ્તકે વાંચતા હતા. દરરોજ તેઓ સમાધિમાં ધ્યાન ધરતા હતા. ધાર્મિક કાર્યો કરવામાં ઉત્સાહ ધરાવતા હતા. પરણ્યા પછી પણ ઘણી વખત એકાંતમાં વિચારતા કે હે જીવે સંસારના પદાર્થો સ્થિર નથી. ક્ષણ ક્ષણમાં અનેકરૂપે ફર્યા કરે છે. પર્યાય બદલાયા કરે છે અને ચિંતન્ય તારા દેખતા આ સંસારે પશુ પક્ષીઓ અને મનુષ્ય વગેરેના ફેરફાર પામતો વારંવાર જોવામાં આવે છે. આમાં તારું કાણું છે, તું કે છે, અરે તારી સાથે શું આવશે તેને સ્વયમેવથી વિચાર કર. વિષય કષાયની જવાળામાં બળતા આત્માને બચાવવા માટે એક વિતરાગ પ્રણિત ધર્મ જ છે. લોકાશાહની બુદ્ધિ ઘણી નિર્મળી હતી. તેમના અક્ષરે ઘણું જ સુંદર હતા પિતાના વતનમાંથી અમદાવાદમાં આવી નાણાવટીનો ધંધો કરતા હતા. તેમાં એક દિવસ મંમંદશાહ બાદશાહથી ઓળખાણ થતા મહંમદશાહે જાણ્યું કે આ લોંકાશાહ તો પક્ષપાત રહિત છે. તેથી તેને પાટણના તેજુરીદારની જગ્યાએ નિમવા લાયક ધારી નીમી દીધા. બાદશાહે પોતાના મિત્ર તરીકે ગણુતા હતા. જેથી તેને પાછા સંવત પન્નર એકમાં અમદાવાદમાં તેજુરીદારની જગ્યા ઉપર પાટણથી બોલાવી લીધા. રાજદરબારમાં તેમનું ઘણું માન હતું. તે દરમ્યાન પંદરસેંને સાતની સાલમાં જે વખતે મહમદશાહે ડરીને દીવ બંદર નાસી જવાનું નક્કી કર્યું તે વાત તેમના દીકરા જમાલખાના જાણવામાં આવતા ઝેર અપાવી પિતાના બાપને મારી નખાવ્યો અને પિતાનું નામ બદલી કુતુબદિન શાહ નામથી તખ્ત ઉપર બેઠે. આ અનર્થ જાણી લોકશાહને વિશેષ વૈરાગ્ય વધે. આ સંસારમાં શરીરાદિ સંયોગ સર્વ ક્ષણિક છે. પણ દેખવામાં બહીર દૃષ્ટિથી સુંદર લાગે છે. પરંતુ અંતરમાં અત્યંત દુઃખદાયક છે. પુત્રપુત્રી કે કલત્ર ઉપર મોહ રાખવો એ કેવળ અજ્ઞાન છે. આવા વિચાર કરી પોતાના સંબંધી વર્ગની અનુમતિ મેળવી પાટણ આવી સવંત પંદર નવના શ્રાવણ શુદિ અગીયારસને શુક્રવારે શુભ યોગ શુભ નક્ષત્રમાં પ્રથમ પ્રહરે દ્વિતીય ચોઘડીયે યતિશ્રીજી સુમતિ વિજયજી મહારાજની પાસે યતિપણની દીક્ષા સ્વીકારી અને ગુરૂ મહારાજે શ્રી લક્ષ્મીવિજયજી નામ આપ્યું પણુ જગતવાસી લોકો તેમને લોકાશાહના નામથી બોલાવતા હતા. એ સમયમાં યતિ વર્ગની પ્રનાલીકા મર્યાદા શાસ્ત્રોક્ત વિરૂદ્ધપણે પ્રવર્તતી હતી. શ્રી સુમતિ વિજય યતિજીના વખતમાં ઠેર ઠેર શ્રીપજ્યા છડી, ચામર છત્ર સાથે પાલખી માનાદિ વાહનોમાં બેસી મોજમજા માણતા હતા. શ્રાવકના ધરે ઘર પગલા કરાવતા હતા, નવાંગી પુજા પણ કરાવતા હતા અને પૈસા પણ લેતા હતા. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy