SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષની જુની હસ્ત લિખિત પ્રતે મળી આવે છે, તે શ્રીમાન લેંકાશાહને થયા માત્ર ચાર વર્ષ થયા છે તે તેમના જીવન સંબંધની હસ્તલિખિત પ્રત અવશ્ય કઈ ભંડારમાંથી મળી આવવી જોઈએ; છતાં શેાધ કરતાં મળી આવતી નથી તો તેઓ “લહીયા હતા ! એવું અસંબંધ અનુમાન આપણે કેમ કરી શકીએ ? બીજું કારણ એ કે –તેમણે પોતાના ઉપદેશ વડે લાખો મનુષ્યોને સમારંભ અને પરિગ્રહી પ્રવૃત્તિઓની માન્યતા ફેરવાવી શુદ્ધ દયામય જૈન ધર્મનો પ્રકાશ કર્યો. એવું પ્રબળ પુરૂષાથી અને મહાભારત કાર્ય એક “લહીયા ” થી થઈ શકે. તે વાત માનવામાં આવે ખરી ! ત્રીજું કારણ એ કે –લહિયા લેકો હંમેશા એશીયાળા હોય છે, ભલે શ્રીમાન લોકશાહ આર્થિક બદલાની ઇચ્છા વિના પરોપકાર બુદ્ધિએ કામ કરતા હોય, પણ સામાનું મન તે સાચવવું પડે ને ? અને આ વિચારક પુરુષ શ્રીમંત છતાં શા માટે કેવળ લખવામાં જ વર્ષો વ્યતિત કરે ? આપણે જાણીએ છીએ તેમ તે સુખી હોઈ શા માટે અન્ય પગારદાર પાસે લખવાનું કામ કરાવી, બચત વખત શાસ્ત્ર વિચારણામાં ન ગાળે ! આમ અનેક જાતના મનક્કલ્પિત તર્કોથી પ્રેરાઈ મારું મન તેઓનું જીવનવૃત્તાંત આલેખતાં સંકોચ પામતું; અને અતિહાસિક અન્ય કોઈ પ્રબળ પુરાવા માટેના સમયની હું રાહ જોતે. તેવામાં જ કેઈ એક ગૃહસ્થ મારી પાસે આવી મને એક પત્ર આપે –તે પત્ર કેડીને વાંચતાં હું ખૂબ આશ્ચર્ય પામ્યું; મારા હૃદયમાં હર્ષના આંદોલન શરૂ થયાં. આ પત્રમાં શ્રીમાન લંકાશાહનું પ્રમાણ યુકત જીવન વૃત્તાંત હતું. શ્રીમાન લેંકાશાહના જીવન પર પ્રકાશ પાડતો આ પત્ર કોણે મે હશે! તો આભાર સાથે કહેવું જોઈએ કે તે પત્ર મોકલનાર લીંબડી (મોટા ઉપાશ્રય) સંપ્રદાયના મહાપુરુષ શ્રી મંગળજી સ્વામીના શિષ્ય રત્ન મુનિ શ્રી કૃષ્ણજી સ્વામી કે જેમને પુરાતન વાતેના સંગ્રહને શેખ હોઈ તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંના ગ્રંથ ભંડારે અને જુના પુસ્તકને તપાસી ઉપગી માહિતી એકઠી કરે છે. એકવાર તેઓ કચ્છમાં ગયા હતા. ત્યાં કચ્છ નાની પક્ષના પતિ (ગોરજી ) શ્રી સુંદરજી પાસેથી એક કલ્પસૂત્રની લગભગ ૧૬ મા સૈકા પછીના શરૂઆતમાં લખાયેલી જુની પ્રત મળી આવી. તેની સાથે ચડતા આંકે પાછળના ભાગમાં લખેલાં બે જીર્ણ પાનાઓ હતાં. જેમાં શ્રીમાન લંકાશાહનું ટુંક જીવન આલેખાયેલું હતું, તે વાંચતાં આશ્ચર્ય સાથે આનંદ પ્રાપ્ત થયે. કેમકે તેઓશ્રીના જીવન પરત્વે આજ સુધી જે દંતકથાઓ, જે કલ્પનાઓ ચાલ્યા કરતી, તેના કરતાં કોઈ વધુ ઉત્સાહી, વધુ તેજસ્વી, વધુ પ્રેરણાત્મક, અને વધુ વિશ્વસનીય આ વાત હતી. આ જોઈ ઉક્ત મુનિશ્રી કૃષ્ણજી સ્વામીએ તે પાનાનો ઉતારે કરી લેવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy