SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ જે કાંઈ સાંભળ્યું છે. તેમાં વધુ વજનવાળી વાત ઐતિહાસિક નેધ જે પ્રખર તત્ત્વજ્ઞ શ્રી વા. મે. શાહે લખી છે તે જણાય છે. તેઓ લખે છે કે શ્રીમાન લંકાશાહ શહેર અમદાવાદના એક નામાંકિત શાહકાર હતા. રાજદરબારમાં તેમનું સારૂં માન હતું. તેમના દસ્કત ઘણું સુંદર હતા. અને સ્મરણ શકિત પણ ઘણી તેજ હતી. એદા તેઓ ઉપાશ્રયે ગયેલા, ત્યાં જ્ઞાનજી વગેરે યતિઓ ગ્રંથને પલેવતા હતા અને જીર્ણ થઈ ગયેલા ગ્રંથની દશા જોઈ ખેદ પામતા હતા. તે વખતે એક યતિએ લંકાશાહને મજાકમાં કહ્યું – શાહજી ” તમારા હરફ ઘણા સુંદર છે, પણ અમારે તે શા કામના ? આ ભંડારને ઉદ્ધાર કરવામાં તે દકત કાંઈ કામ લાગશે? જેમને સ્વભાવ હંમેશ કાંઈને કાંઈ ઉપકાર કરવાનો હતો, એવા લંકાશાહે જવાબ આપે –“ઘણી ખુશીથી, મારાથી બનશે તેટલા શાસ્ત્રોની નકલ લખી આપવા હું તૈયાર છું.' તે વખતથી તેમણે એક પછી એક સૂત્ર લખવામાંજ દિવસ વ્યતિત કરવા માંડયા. શ્રી દશવૈકાલિક સૂત્રમાં “ધો મંત્ર મુધિ હિંસા સંત તો ” એવો પાઠ તેઓના વાંચવામાં આવતાં અને તે વખતના સાધુઓને વ્યવહાર પોતાની આંખે હિંસામય જોવામાં આવતાં તેમને ઈચ્છા થઈ કે ધર્મનું અસલ સ્વરૂપ જેવું, એક પછી એક શાસ્ત્ર લખવામાં આવતાં તેમને ઘણું જ્ઞાન થયું. ઉતારવા લીધેલી શાસ્ત્રની એકેક પ્રત તે યતિઓ માટે અને એકેક પોતાના ખાનગી ઉપયોગ માટે કરાતી હતી. આ પ્રમાણે કેટલેક કાળે લંકાશાહ પાસે અછું જૈન સાહિત્ય એકઠું થયું. આ પ્રમાણે શ્રીમાન લેંકાશાહ પ્રથમ તે એક વિદ્યાર્થી અને સંશોધક બન્યા. વર્ષો સુધી શાસ્ત્રો લખવાનું અને એકાન્તમાં વિચારવાનું કાર્ય કરતા. તેઓ તે કામ માત્ર શોખ ખાતર કરતા, નહિ કે કઈ જાતના બદલા ખાતર. પુણ્યોદયને લીધે તેઓ સારી સ્થિતિના હેઈ, ઉદર પષણની તેમને લેશ પણ ચિંતા ન હતી. ધર્મ સંબંધી આવા મહાભારત કામ એવાઓથી જ થઈ શકે. આ લખાણ એતિહાસિક નંધમાં અપાયું છે. તેમજ આવાજ પ્રકારનું લખાણ અન્ય કેટલીક પટાવળીઓમાં પણ નજરે પડે છે. મેં પણ ઉપર્યુકત લખાણ પર આધાર રાખી આ ઇતિહાસ લખવાનું કાર્ય આરંડ્યું, પરંતુ મારે અંતરાત્મા તે વખતે કહેતો હતો કે આ વાત કોઈ પ્રકારે સત્ય માનવા લાયક નથી. એનું પ્રથમ કારણ તો એ કે -અત્યારે પાંચસે સાતસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy