SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પહોંચ્યા હતા. આ વખતે ભારતવર્ષની પ્રજા કે જેની ગળથુથીમાંજ ધર્મ અને તત્ત્વજ્ઞાન ભર્યા છે. તેને એક સાચા ધર્મપ્રાણની–સાચા કાન્તિકારની ખૂબ જરૂર હતી. અને તે ધર્મપ્રાણ ફેંકાશાહ” શ્રીમાન લંકાશાહની ક્રાંતિ તદ્દન નવિન અને જિનાગમને અનુસરીને હતી, અને તેથી જ તેના લાખા અનુયાયીઓ થયા હતા. જે વખતે ભારતવર્ષમાં જૈન સાધુઓમાં ચિતરફ દિન પ્રતિદિન વધુને વધુ શથિલતા પ્રવતી જતી હતી; તે વખતે ખરતર ગચ્છના નાયકે અને તેમાં પણ ખાસ કરીને “ સંધપટ્ટક ” ના કતાં શ્રી જિન વલ્લભસૂરિએ જૈન ધર્મના તત્ત્વો પર સુંદર પ્રકાશ પાડ હતું. તે પણ તેઓ સદંતર શિથિલતાઓ છેડાવી શક્યા ન હતા. તેમ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને સ્પષ્ટ રીતે વ્યકત કરી શક્યા ન હતા. તેના ખાસ કારણોમાં એક તો તેઓ પોતાના ગચ્છને મમત્વ મૂકી શકયા નહિ, તેમજ પૂણાગ બળના અભાવે, તેઓ જનતા પર જોઈએ તેવી છાપ પાડી શકયા નહિ. પરંતુ આમનાં કરતા પણ વધુ બુલંદ અવાજવાળો, વધુ મજબુત નસોવાળે, વધુ દઢ જાહેર હિંમતવાળે, નિસ્પૃહી, શુદ્ધ ચરિત્રવાન અને મહાન યોગબળવાળે એક પુરુષ તેના પછી થોડા જ વખતમાં થયે અને તેણે તાર, ટેલીફોન, રેડીઓ, ટપાલ, રેલવે, એરોપ્લેન કે એવા કશાયે સાધન વિના હિન્દમાં એક છેડાથી બીજા છેડા સુધી શુદ્ધ જૈનધર્મનો ઉપદેશ ફેલાવ્ય; છતાં તેમના ઈતિહાસ સંબંધી આપણે જોઈએ તેવી માહિતી મેળવી શક્યા નથી. એ વખતે ચોતરફ ચિત્યવાસીઓનું એટલું તે જેર હતું કે અદઢ શ્રદ્ધાવાળ માણસ તેઓની વિરૂદ્ધ પ્રરૂપણ કરી ભાગ્યેજ જીવવા પામે. એવા વિકટ સમયમાં પણ ધર્મપ્રાણુ ઑકાશાહે હજારો-લાખો ચિત્યવાસીઓને નિરારંભી, નિષ્પરિગ્રહી શુદ્ધ જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને પ્રબળ પુરૂષાર્થ વડે એક મહાન ગચ્છ સ્થાપી લાખો મનુષ્યને તે શુદ્ધ જૈન ધર્મના અનુરાગી બનાવ્યા. આવા એક પ્રબળ તેજસ્વી ક્રાન્તિકાર અને ચારિત્રશીલ પુસપના વ્યકિતત્વને, તેના જીવન વૃત્તાંતને આપણે પાકે પાયે ખરી ખાત્રીથી જાણી શક્યા નથી. તે એક દુર્ભાગ્યનો વિષય છે. શ્રીમાન લંકાશાહ કેણ હતા, કયાં જન્મ્યા હતા, કઈ રીતે તેમણે સત્ય ધર્મની ઘોષણા કરી, અને તેઓ કયાં કયાં ફર્યા તેનો સંપૂર્ણ હેવાલ પણ આપણે જોઈએ તે રીતે મેળવી શક્યા નથી. પૃથપૃથફ વિદ્વાનના પૃથક્ પૃથક્ અનુમાન પર હજુએ આપણે લક્ષ દેરી રહયા છીએ. અદ્યાપિ સુધીમાં તેમના જીવન અને વિકાસ માટે આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy