SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અનાદિ છે તેમ જૈન ધર્મ પણ અનાદિ છે. કાઇવાર તે પુરબહારમાં ખીલી ઉઠે છે, તેા કાઈવાર તે અન્ય પંથના પ્રમળ તેજે ઝાંખા ઝાંખા દશ્યમાન થાય છે. એથી એમ માનવાનુ લેશપણ કારણુ ન હેાઈ શકે, જૈન ધર્મ પુરાતન -અનાદિ કાળના નથી. જેમ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ અનાદિ છે, તેમ જૈન ધર્મ પણ અનાદિ છે. પરંતુ તે કયારે શરૂ થયા હશે. એવી શકાને સ્થાન રહેવા પામતું નથી. જૈન ધર્મની પ્રાચીનતાના વિષયમાં જામનગરવાળા શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ તરફથી જૈન ધર્મોના પ્રાચીન ઇતિહાસ ? ભાગ ૨ જો. છપાયેલ છે. તેના પુષ્ટ. ૮ થી ૧૮ સુધીમાં તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ’ એ પુસ્તકનો પૃષ્ટ ૮-૯માં શાકટાયનાચાર્ય વેદ તથા પુરાણેાના દાખલા આપી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરી આપેલ છે. તે અત્રે ટાંકીએ છીએ. * વેદધમથી પણ જૈન ધર્મ પ્રાચીન છે. "" શાકટાયનાચાર્ય—આ પ્રસિદ્ધ જૈન ગ્રંથકારે “ શાકટાયન ” નામનુ વ્યાકરણ રચેલું છે. તે શાદ્રાયન આચાર્ય કઈ સાલમાં થયા, તેને સપ્રમાણ ઉલ્લેખ મળતા નથી; તાપણ તે વ્યાકરણ કર્યાં શાકટાયનાચાય પ્રસિદ્ધ વ્યાકરણ કર્તા પાણિની નામના ઋષિથી પણ પ્રાચીન છે. એમ કહેવું નિર્વિવાદ છે. કેમકે પાણિની ઋષિએ પેાતાના વ્યાકરણમાં " व्योर्लघुप्रयत्नतरः शाकटायनस्य ઈત્યાદિ શાકટાયનના સૂત્રેા ગૃણુ કરીને શાકટાયન આચાર્ય ની પ્રાચીનતા સૂચવેલી છે. હવે તે પાણિની મહિષ કયા સમયમાં વિદ્યમાન હતા ? તે તરફ ષ્ટિ કરતાં વિદ્વાનેાની અને પ્રાચીન શેાધખાળ કર્તાઓની સમતિ પ્રમાણે એ મહર્ષિ ઇસ્વીસન પૂર્વે ૨૪૦૦ વર્ષ પહેલાં વિદ્યમાન હતા. એમ નિર્ણિત થયેલું છે. સમાલેાચક નામના ચેાપાનીયાના બીજા પુસ્તકના ત્રીજા અંકના ૮૯મા પૃષ્ઠ પર લખ્યું છે કે:-પાણિની મુનિનું ચરિત્ર શ્રી કથારિત સાગરમાં પ્રથમ લખકના ચેાથા તરગમાં છે. તેમાં લખ્યું છે કેઃ-પાણિની મુનિની માતાનું નામ • દાક્ષિતા ’ હતુ અને તે પરથી તેમનુ બીજું નામ દાક્ષેય પણ કહેવાય છે. તેમના જન્મ ગાંધાર દેશના શાલાતુર નામક સ્થળમાં થવાથી તે શાલાતુરીય ’” નામથી પણ ઓળખાય છે. અને તેમને સમય. ઈ. સ. પૂર્વે એહાર ચારસો વર્ષના નિતિ થયેા છે. એ સિવાય અન્ય વિદ્વાનેના લેખેાથી પણ પાણિની ઋિષ માટે ઉપર લખેલેા સમય નિર્ણિત થાય છે. આ બધા ઉપરથી એમ સાખીત થાય છે કે પાણિનીઋષિ આજથી લગભગ ચારહારને ત્રણસે Jain Education International For Private & Personal Use Only C www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy