SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શ્રીમાન હેમચંદ્રાચાર્ય જેન સાહિત્યના અવાચીન યુગમાં હેમાચાર્યનું નામ મશહૂર છે. તેઓ એક પ્રખર અભ્યાસી અને અનેક શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે કુમાળપાળ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર, સિદ્ધહેમ વ્યાકરણ, અધ્યાત્મ ઉપનિષદ, યેગશાસ્ત્ર અલંકાર ચુડામણી, વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર. ઈત્યાદિ અનેક ગ્રંથની રચના કરી, તે વખતના જેનામાં સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવ્યું હતું, અને તેથી જ વેતાંબર જૈને અદ્યાપિ પણ તેમને “કલિકાળ સર્વજ્ઞ” તરીકે સંબંધે છે. તેમને જન્મ વીર સં. ૧૯૨૯ વિ. સં. ૧૧૫૦ માં ધુતારાપુર પાટણ (હાલ જેને ધંધુકા કહે છે) માં થયો હતો. જ્ઞાતે વીશા મોઢ વણિક હતા. નાનપણથી જ તીવ્ર બુદ્ધિવાન હતા. તેથી વાલીની આજ્ઞા મેળવી દીક્ષિત થયા અને પછી અનેક ગ્રંથે આગમને અભ્યાસ કરી વિદ્વાન બન્યા. તેમણે કુમારપાળ રાજાને પ્રતિબધી જૈનધર્મી બનાવ્યા હતા. એમના જીવનવૃત્તાંત સંબંધી “ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ ” નામક પુસ્તકમાં સાક્ષર શ્રી. ૨. મ. નિલકંઠ લખે છે કે – હેમાચાર્યનો જન્મ ઈ. સ. ૧૦૮૯ માં ધંધુકામાં થો હતો. બાળપણની એમની ચતુરાઈ જઈ દેવચંદ્ર નામના જૈનાચાર્યે તેને પોતાની પાસે રાખે અને નવા વરસની ઉંમરે દીક્ષા આપી. ૨૧ વર્ષની ઉંમરે તે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ બન્યા. તેથી તેને આચાર્યની પદવી મળી. ઈ. સ. ૧૧૭૨ માં તે અવસાન પામ્યા. (ગરીબાઈમાં જન્મ લીધા છતાં પિતાની બુદ્ધિ અને ઉદ્યોગથી માણસ કે નામાંકિત થાય છે તે હેમાચાર્યના ચરિત્રથી જણાય છે. ) આ ઉપરાંત થોડાક વધુ પ્રકાશ પાડતાં માસ્તર ડાહ્યાભાઈ પ્રભુરામ દવે (વેરાવળ) લખે છે કે – હેમાચાર્ય ૮૪ વર્ષની ઉમરે ગુજરી ગયા. તેની પાછળ થોડા માસે ઈ. સ. ૧૧૭૪ માં કુમારપાળ રાજા રક્તપિત્તના રોગથી મરણ પામ્યા. ગછની ઉત્પત્તિ હવે આપણે ગની ઉત્પત્તિ સંબંધી વિચાર કરી મૂળ મુદ્દા પર આવીએ. વીર સં. ૧૬૨૯ વિ. સં ૧૧૫૯ શ્રી ચંદ્રપ્રભાચાયે પુનમની પમ્પી સ્થાપી ત્યારથી “પુનમીયા ગચ્છ '' કહેવાયા. તેમની બીજી શાખા ભદ્રેશ્વરસૂરિથી શરૂ થઈ. વીર સં ૧૬૮૩ માં અંચલગચ્છની ઉત્પત્તિ થઈ. આ સંબંધી બે મત છે. કોઈ ‘પુનમીયા ? ગ૭ના નૃસિંહાચાર્યથી થઈ માને છે અને કોઈ બીજા આર્યરક્ષિતથી થઈ એમ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy