SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ દહીલવાલ,કેહદરવાલ; હરિવાલ,જાએલવાલ, માનતવાલ, કાજોરીવાલ, કેરટાવાલ, ચેહેત્રાવાલ, સોની, સજનવાલ, નાગર, માડ, માઢ, જુલહેરા, કપિલ, ખડાયતા, બરૂરી, દશેરા, બાંભડવાલ, નગુદ્રા, કરબેરા, બટવરા, મેવાડા, નરસિંગપુરા, ખાતરવાલ, છરણવાલ; ભાગરવાલ, આરચિતવાલ, બાબરવાલ, શ્રીગેડ, ઠાકરવાલ, પંચમવાલ, હુનરવાલ, ખીરકેરા, બાઈસ; સુખી; કવાલ, વાયડા, તેરેટા, બાતબરગી, લાડીશાકા, વેદનેરા, ખીચી, ગુરા, બાહાએહર, જારોળા, પદમેરા, મેહેરી, ઘાકરવાલ, મોરા, ગએલવાડ, તેરેટી, કાકલિયા, ભારીજા, અંડરા, સારા, ભુંગરવાલ, મંડાહુલ, બ્રામુમા, બ્રાગીઆ, ટીડેરીયા, બરવાલા, હારવાલ, નાગેરી, વડનગર, માંડલિયા, અને પાંચા વગેરે ચેરાસી જાતના વાણિયાઓ ઘણા ખરા તો પોતાના ગામ, શેત્ર, શાખ વગેરેના નામથી પ્રસિદ્ધ ગણાય છે. એશીયાનગરમાં રહેનાર ક્ષત્રિયે હતા. તે જેને થયા ત્યારે ઓશવાળ ગણાયા. શ્રી જિનદત્તસૂરિએ સવાલાખ રજપૂતોને જન બનાવ્યા. જેઓ મોઢેરાના હતા તેઓ પરદેશ જવાથી મેઢ વાણિયા ગણાવા લાગ્યા, જિનદત્તસૂરિના પહેલાં મેઢેરામાં મેઢ વાણિયા જેની હતા. વિક્રમ સંવત ૧૪૨ માં લોહાચાચે અહાનગરના લોકોને જૈન ધર્મમાં લીધા તેઓ અગ્રતા નગરના રહેવાસી હોવાથી અગ્રવાલ તરીકે પ્રસિદ્ધિને પામ્યાં. હિંદુસ્તાનમાં અગ્રવાલ વાણિયાની વસ્તી વિશેષ છે તેમાંના કેટલાક જૈને છે અને કેટલાક બસે વર્ષ લગભગથી વૈષ્ણવ વગેરે ધર્મમાં દાખલ થયા છે. વીશા શ્રીમાળી વાણિયા પૂર્વે મારવાડમાં શ્રીમાલનગર અને માઘકવિના વખતથી ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ પામેલા નગરમાં રહેતા હતા. શ્રીમાલપુરાણમાં વિશાશ્રીમાલી વગેરેની ઉત્પત્તિ આપી છે. તે જૂઠી છે. મહાલક્ષમી શ્રીમાલીઓની કુલદેવી હતી, પણ લક્ષ્મી દેવીની જમણી બાજુમાંથી ઉત્પન્ન થયા તે “વીશા” અને ડાબી બાજુમાંથી ઉત્પન્ન થયા તે “દશા ” વગેરે ગગ્ય પુરાણ લખીને લોકમાં બેટી માન્યતા ફેલાવવા પ્રયત્ન કર્યો છે. કારણ કે દશા શ્રીમાલીની ઉત્પત્તિ વસ્તુપાલના વખતથી થઈ છે. શ્રીમાલ નગરના રાજા અને ક્ષત્રિઓને જૈનાચાર્યએ જેન ધર્મમાં દાખલ કર્યા. ત્યારથી તેઓ શ્રીમાલ નગરના નામે શ્રીમાલી વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા. આ બાબતમાં જૈન ગ્રંથે સારું અજવાળું પાડે છે. વસ્તુપાલના વખતમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહેનારા વીશાશ્રીમાલી વાણીયાએ દશા શ્રીમાલી તરીકે ગણાવા લાગ્યા. તે જૈન ગ્રન્થથી સાબીત થાય છે. શ્રીમાલ નગરને છેડીને કેટલાક શ્રીમાલી વાણિયાઓ મંડાવાડમાં ગયા ત્યાં ભદી, ચહુઆ, થેલેર, ગેડ, ગોહીલ, હાડા, જાદવ, મકવાણા, પરમાર, રાઠોડ અને થરાદરા રજપુતેને જેનાચાર્યોએ પ્રતિબધી જૈન બનાવ્યા અને તે પણ વ્યાપાર કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy