SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કચી. તેથી તેની પાછળ થનાર રામાનુજ આચાયે શંકરના અદ્વૈત મત ઉપર શતદૂષણ નામનો ગ્રંથ રચ્યો, અને શંકરાચાર્યને પ્રચ્છન્ન-બોદ્ધ કહ્યા. શંકરા ચાચે જૈનાચાર્યો સાથે વાદ કર્યો હોય એવું સિદ્ધ થતું નથી. તેમજ શંકર ભાગ્યમાં શંકરાચાર્યે જૈનતનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેઓ જેના તને જાણી શકયા નથી, તેથી તેઓએ જિનશાસ્ત્રોનું રહસ્ય સમજ્યા વિનાજ ઉપર ટપકે જેનતનું ખંડન કરવા મિથ્યા પ્રયાસ કર્યો છે. શંકરાચાર્યની પાછળ ઈ. સ. ૧૧૧૯ માં ભૂતપુરીમાં (દક્ષિણદેશ) રામાનુજ આચાર્ય જન્મ્યા હતા. રામાનુજે શંકરાચાર્યના મતનું ખંડન કરી કેટલાક રાજાઓને પોતાના પક્ષમાં લીધા હતા. તેમજ જૈનધર્મ પાળનારા કેટલાક રાજાઓને પણ તેણે પોતાના ધર્મમાં દાખલ કર્યા હતા. જેન રાજાઓ જૈન ધર્મ તજીને વિષ્ણુ ધર્મમાં દાખલ થયા, તેનું કારણ એ હતું કે તેઓ જૈનધર્મના તને સમજી શકયા ન હતા. અને તે વખતમાં જૈનાચાર્યોમાં પરસ્પર સંપ અને ધર્મજુસ્સો પ્રગટાવવા માટેની ઉપદેશ પદ્ધતિ જોઈએ તેવી ન હોવાથી વેદ ધમીનું જોર ફેલાવા લાગ્યું. તેથી ચારે વર્ણમાંથી ઘણુ મનુષ્યો હિન્દુ ધર્મ પાળવા તરફ વળ્યા અને તેથી જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગે. વિક્રમની અગ્યારમી સદીમાં “લિંગાયત” નામને નવો ધર્મ સ્થાપનાર બસવ” નામને એક બ્રાહ્મણ હતું, તે જેનધમી બિજલરાજાને ત્યાં મંત્રી હતો. તેણે લિંગાયત ધર્મની સ્થાપના કરી તે વખતે બ્રાહ્મણ તથા જેમાં ધર્મ સંબંધી ટટે ચાલ્યો હતો. શાલિવાહનના અગીયારમા સૈકામાં બસ લિંગાયત ધર્મની સ્થાપના કરી અને જેનલમ બિજલરાજાને ગાદી પરથી ઉઠાડવા પ્રયત્ન કર્યો. ભીમા નદીના કાંઠે બસંવે જૈનધર્મી બિજલરાજાને ખેરાકમાં ઝેર દીધુ તેથી રાજ ત્યાંજ મરણ પામ્યા. શાલિવાહન શાકે ૧૦૭૭ માં જે વખતે દક્ષિણ દેશમાં જૈનધમ બિજલરાજ રાજ્ય કરતો હતો, તે વખતે ગુજરાતમાં જૈનાચાર્યોને સહાય કરનાર સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતો હતો. બિજલરાજાના વખત સુધી દક્ષિણ દેશમાં જેનેનું પુષ્કળ જેર હતું, વિકમ સંવતની તેરમી સદી સુધી તે ગુજરાત અને દક્ષિણમાં જૈન રાજાઓ રાજ્ય કરતા. આ ઉપરથી આપણે સમજવાનું કે રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ વિકમની તેરમી સદી સુધી રહ્યો. દક્ષિણમાં મૈસુર તરફના ભાગમાં તો લગભગ પંદરમી સદી સુધી જેનધર્મ રાજકીય ધર્મ તરીકે ગણાતો હતો. મુસલમાનોના હિન્દુસ્થાન પરના હુમલાથી લોકોમાં અજ્ઞાન બહુ પ્રસર્યું. અને તેથી લોકોમાં રજોગુણ અને તમે ગુણનું જેર ફેલાવા લાગ્યું. પરિણામે હિંસા વગેરેને પ્રવેશ થયે, અને તેથી જૈનધર્મના સૂક્ષમતા તરફ લોકેનું ચિત્ત ચેટી શકયું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy