SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિક્રમ સંવત ૧૮૫થી ૬૪૫ સુધીમાં વિદ્યમાન હતા. તેમણે સંક્ષિણ ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બહસંગ્રહણિ, વિશેષાવશ્યક વગેરે ગ્રન્થ રચ્યા છે. તેઓનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું હતું. શીલાંકાચાર્ય—આ પ્રસિદ્ધ જૈન ટીકાકાર આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. તેમનું બીજું નામ કોટયાચાર્ય ”પણ કહેવાય છે. તેઓ વિકમ સંવત ૬૪૫ પછી થયા છે. તેમણે અગીયારે અંગે પર ટીકાઓ રચેલી છે, એમ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે. વીરાત્ ૧૨૦૦ વિક્રમ સં. ૬૩૦ માં સ્વાતિઆચાયે પૂનમની ૫ખી જે ચાલી આવતી હતી, તેને ફેરવીને ચઉદસની પખી સ્થાપી. વરાત્ ૧૨૭૨ વિક્રમ સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું, અને જૈનધર્મનો ફેલાવે કરવા પ્રયત્ન કર્યો. પણ પડતીનું પ્રબળ જોર વધેલું, તેથી પૂરેપૂરી સફળતા મળી નહી. જૈનેની પડતીના કારણે દર્શાવતાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી લખે છે કે – વિક્રમ સંવત ૮૦૫માં દક્ષિણમાં શંકરાચાર્યને જન્મ થયો. તેણે વેદ ધર્મનો પ્રચાર કરવા આરંભ કર્યો. સંવત આઠની સાલમાં દક્ષિણ દેશમાં કુમારિલે જૈન ધર્મનું ખંડન કરવા લક્ષ આપ્યું. કુમારિલ અને શંકરાચાર્યના સામા ધર્મ યુદ્ધમાં જેને ઉભા રહ્યા હતા, તેથી તેમણે માળવાના રાજાને પક્ષમાં લીધો, અને લોકોમાં વેદ ધર્મને પ્રચાર થાય તેવી રીતે તે વખતના લોકેની આગળ ઉપદેશ શૈલીને આરંભ કર્યો. શંકરાચાયે કઈ જૈનાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો નહિ. પણ તેણે વેદ ધર્મને પ્રચાર થાય એવાં પુસ્તક તથા શિ ઉભા કર્યા. જૈનાચાર્યોને ચારે તરફ લક્ષ દેવું પડતું હતું. એક તો વેદધમી આચાર્યોની સામે, બીજું બૌદ્ધ ધમી સાધુઓની સામે, ત્રીજું પરસ્પરના મતભેદની સામે અને એથું પિતાના ધર્મને પ્રચાર કરવા બાબત. આ પ્રમાણે ચારે ઠેકાણે લક્ષ રાખીને જૈનાચાર્યોએ સ્વધર્મ રક્ષણના ઉપાય ચાલુ રાખ્યા. વેદધમીઓના ઉપદેશથી કેટલાક રાજાઓ ખુલ્લી રીતે શિવના ઉપાસક થયા. જૈનધર્મના શુદ્ધાચાર તથા ઉત્તમ નિયમ તરફ કેટલાક તામસ ગુણ રાજાઓને પ્રેમ ઘટવા લાગ્યું. દારૂ માંસની છુટી વગેરેને તેઓ વિશેષ પ્રકારે ઈચ્છવા લાગ્યા. તેથી રજોગુણી વાસનાઓની તૃપ્તિ થાય તે તરફ તેઓનું ચિત્ત ખેંચાયું. કેટલાક રાજાઓ જૈનધર્મ પાળવા લાગ્યા, તો કેટલાક વેદધર્મને માન આપવા લાગ્યા. શ્રી શંકરાચાર્યે જૈને અને બૌદ્ધો જ્ઞાન માર્ગની સામે માન નહિ પામે એવું સમજી કર્મ કાંડની ઉપેક્ષા કરી ઉત્તર મિમાંસાને માર્ગ પક. અને બૌદ્ધધર્મમાંથી કેટલાક તો ગ્રહણ કરી ઉપદેશ દેવો શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy