SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સત્ય માની તે પ્રમાણે કદાગ્રહ રહિત આત્મ કલ્યાણના માર્ગે પ્રવૃત્તિ કરે એટલું ઈચ્છી વિરમવું એ જ શ્રેયસ્કર છે.* આ બધા ઉપરથી સમજાય છે કે વીરનિર્વાણ પછી બીજા સૈકામાં જૈનોમાં મૂર્તિપૂજાની પ્રથમ શરૂઆત થઈ અને તે માત્ર સ્વધર્મીઓને વિધર્મમાં ઘસડાઈ જતાં અટકાવવા ખાતર જ; પરંતુ વખત જતાં ક્રમશ: મહાન આરંભ, પરિગ્રહ, પૂજા લાઘા અને ધામધુમ વધી પડયાં પરિણામે તેમાં વિકૃતિ થવા પામી; તેથી જ તે પછીના આચાર્યોને તે વિકૃતિ પર યથાશકય પિષ્ટપેષણ કરવું પડયું. ચૈત્ય વાસીઓના સંબંધમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. પિતાના “જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થીતિ ” નામક પુસ્તકમાં લખતા જણાવે છે કે – “શિષ્ય--ગુરૂદેવ, જેની પડતીને પ્રારંભ કેવી રીતે થયે તે કૃપા કરીને જણાવશે. ગુરૂ––હે શિષ્ય ! જેની ચડતી છે તેની પડતી પણ હોય છે. એક વખત આયોવત યાને હિંદુસ્તાન દેશમાં જૈન ધર્મ એ રાજકીય ધર્મ ગણતે, સર્વ રાજાઓ અને ચાર વર્ષે જેન ધર્મની આરાધના કરતા. તે જૈન ધર્મ હવે પ્રાયઃ વિશ્ય–વ્યાપારી વાણીયા તરીકે ગણાતી જાતિ પાળે છે. જૈન ધર્મની પડતીને પ્રારંભ વિક્રમની બીજી સદીથી દિગબર મત નીકળતાં થયો. જનમાં વેતાંબર અને દિગબર એ બે પક્ષો વચ્ચે અરસ્પરસ કલેશ થવાથી જૈનાચાઓંનું બળ ક્ષીણ થયું, આંતરિક વિગ્રહના આ કારણે તેઓ અન્ય ધર્મની હિલચાલ તરફ લક્ષ આપી શકયા નહિ. વિકમસંવત. ૪૧૨ માં જેમાં ચૈત્યવાસ નામનો પક્ષ ઉભે થયો અને ચૈત્યવાસીઓએ નિગમ પર વિશેષ ભાવ દર્શાવી આગને ભડારોમાં દાબી રાખ્યા. વનરાજ ચાવડાના વખતમાં અત્યવાસીઓનું ઘણું જોર હતું, અને તે વખતે તેમણે રાજામહારાજાઓને પણ પિતાના પક્ષમાં લીધા હતા. જેના આ કલેશને પરિણામે વેદ ધર્મને પ્રચાર વધારે પ્રબળ થયો. અને જૈનેની દિનપ્રતિદિન કુસંપને લીધે પડતી થવા લાગી. ” વીરાત્ ૯૮ વિક્રમ સં. ૫૧૦ માં વલભિપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ અને બીજા આઠ આચાર્યોએ મળીને ૮૪ આગમને પુનરૂદ્ધાર કરી પુસ્તકારૂઢ કર્યા. એ વિષે શ્રી. મે. દ. દેસાઈ “વલ્લભીસંઘ પરિષદુ” એ મથાળા નીચે લખે છે કે —– - આ લેખ સંબંધી સદાનંદી જૈન મુનિશ્રી છોટાલાલજીએ મને સુંદર સહકાર આપે છે. તે બદલ હું તેમને અત્યંત આભારી છું–લેખક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy