SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ વલભિપુરના વિનાશ વિષે એક એવી દંતકથા મળી આવે છે કે તે વખતે તે નગરમાં “ક” નામનો એક વ્યાપારી રહેતો હતો, તેની દુકાને એકવાર કેાઈ એક ચેગી સિદ્ધરસનું તુંબડું લઈને કાંઈક ખરીદવા આવેલે પણ તે પિતાનું તુંબડું ત્યાંજ ભૂલી જવાથી પેલા રંક વ્યાપારીએ તે સંતાડી દીધું. પછી તે તુંબડા સાથે લોખંડનો સ્પર્શ થવાથી સુવર્ણ બની ગયું. રંક આશ્ચર્ય પામ્યા, અને વધુ ધનવાન બનવાની ઈચ્છાએ તેણે ઘણું સુવર્ણ બનાવ્યું. પરિણામે તે ધનવાન થયો. હવે એક વાર એવું બન્યું કે આ રંક નામના વ્યાપારીને એક પુત્રી હતી, તેની પાસે એક રત્નજડાવ કાંસકી હતી, તે ત્યાંના રાજાની પુત્રીએ માગી; પણ રંકની પુત્રીએ તે ન આપી. તેથી રાજાએ બળાત્કારે તે કાંસકી રંક પાસેથી છીનવી લીધી. આથી ક્રોધાયમાન થઈને રંક ગીઝનીના બાદશાહ પાસે ગયે, અને વલ્લભીપુરની જાહોજલાલીની વાત કરીને તે જીતવા બાદશાહને ઉશ્કેર્યો. આથી બાદશાહે સ્વેચ્છના એક મોટા સૈન્ય સાથે આવી વલ્લભીપુરને નાશ કરાવ્યું. તેમાં શિલાદિત્યનું મૃત્યુ થયું. પછી કેટલાક વર્ષો બાદ તે શહેરનો પુનદ્ધાર થયો હતો. હાલનું જે વળા એજ વલભીપુરનું શેષાવશેષ કહેવાય છે, ત્યાં હાલ ગેહિલ રાજા રાજ્ય કરે છે. વલભીપુરનો ભંગ થયે તે વખતે તે શહેર જેનેનું એક કેન્દ્રસ્થાન ગણાતું. તે વખતને હેવાલ “ટેડરાજસ્થાનમાં આપતાં ડેડ સાહેબ લખે છે કે – - જ્યારે વલ્લભીપુર નગર પર ધાક પડી ત્યારે તમામ વસનાર નાસી ગયા. અને “વાલી સંદેરાય” તથા “નાદેલ” વગેરે ગામે મધર દેશમાં સ્થપાયા. આ શહેરો હજુ પણ જાણવા લાયક છે, અને ત્યાં જૈનધમીઓની સારી સંખ્યા છે. વલભીપુરમાં હલે કરવા માટે જ્યારે જંગલી લેકો આવ્યા, ત્યારે ત્યાં મુખ્ય ધર્મ “જૈન” હતો. જૈન લોકેએ બચાવી રાખેલા હેવાલ પ્રમાણે આ બનાવ સન્ પર૪માં બન્યો હતો. વલભીપુર પર હલ્લો કરવામાં આવ્યું ત્યારે આ શહેરને ત્રીસ હજાર કુટુંબે છેડી ગયા હતા. અને તેમને આગેવાન એક જૈન ધર્મગુરૂ હતે. તેમની પાછળ પિતાના ધર્મનું રક્ષણ કરવાને તેઓએ મરૂધર (મારવાડ)માં ગયા. ત્યાં તેમણે સદેરાય અને બાલહી નામના શહેરો વસાવ્યા. જેમાં મૂર્તિ અને મૂર્તિપૂજાની શરૂઆત કયારે થઈ? મૂર્તિપૂજાની શરૂઆત જેનોમાં શ્રીવીર નિર્વાણુનાં બીજા સૈકાના અંતમાં થઈ હોય એમ કેટલાક પ્રમાણે પરથી સમજી શકાય છે. શ્રીવીર નિર્વાણ ૧૭૦ માં શ્રીભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસી થયા બાદ શ્રી વિશાખાચાર્ય નેપાળથી પાટલીપુર આવ્યા, તે વખતે શ્રી સ્થળીભદ્ર ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy