SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ઐતિહાસિક વલ્લભીપુર જૈન સસ્કૃતિનું ઐતિહાસિક પૂર્વ ધામ વલ્લભીપુર વિષે ઉલ્લેખ આપતા સાક્ષરરત્ન શ્રી રમણભાઈ મહીપતરામ નીલકઠ ખી. એ. એલ. એલ. મી. “ગુજરાતના સંક્ષિપ્ત ઇતિહાસ '' નામના પાઠય પુસ્તકમાં જણાવે છે કેઃ અસલનું વલ્લભીપુર નગર હાલના ભાવનગર શહેરની ઉત્તરે દશમાર ગાઉને છેટે આવેલા “વળા” ગામની પાસે આવેલું હતું. જુના વલ્લભીપુરના ખડેરા અત્યારે પણ ત્યાં કાઇ કાઇ સ્થળે જોવામાં આવે છે. મેટા રજપુત રાજ્યની એ રાજધાની હતી. એ રાજ્યના વિસ્તાર ૧૩૦૦ ચેારસ માઇલના હતા. એના ખંડેરો ઉપરથી જણાય છે કે તે ઘણું મટુ અને શોભિતું શહેર હશે. તેમજ ત્યાં પૈસા ઘણા જ હશે. વલ્લભીપુરના હાલના ડેરા જોતાં પણ લાગે છે કે તે શહેર પાંચ માઇલ ઘેરાવામાં હશે. ઘેલારા” નામની નદી તેના થડમાં વહે છે. ચામાસાના પૂરથી જમીનનું ખેાદાણ થાય છે ત્યારે તેમાંથી મકાનાના પાયા, મૂર્તિ, જુના સિક્કા વગેરે મળી આવે છે. તે પરથી જણાય છે કે મકાના ઘણા વિસ્તારવાળા અને સુંદર બાંધણીના હાવા જોઈ એ. બૌદ્ધ ધર્મીઓના મઢ એ નગરીમાં હતા. તથા કરોડપતિઓની સંખ્યા સેા કરતાં વધારે હતી. વલ્લભીપુરની ગાદીએ ૧૯ રાજા થયા. તેમાં છેલ્લા છ રાજા વેદધમી અને શૈવમાગી હતા. એના છેલ્લા છ રાજાએ શિલાદિત્યના નામથી ઓળખાય છે. છેલ્લા રાજાના સમયમાં બૌદ્ધ તથા જૈન સાધુએ વચ્ચે ધર્માં સમધી ઝગડા ચાલ્યેા હતેા. એક વખત જૈનાની હાર થઈ હતી. જેથી તેમને દેશ તજવા પડયેા હતેા. પણ પાછળથી તેમની ચડતી થઈ એટલે તેઓએ હંમેશને માટે મૌદ્ધોને આ દેશ તજાળ્યે, વલ્લભીપુરના ભગ વિષે અનેક ઐતિહાસિક પુરાવા મળી શકે છે. પ્રખધ ચિંતામણી નામક ગ્રંથમાં લખ્યું છે કે શિથિયન આદિ પરદેશી જાતાના તથા અન્ય આક્રમણાથી વલ્લભીપુરના ભગ ત્રણ વખત થયા છે. પ્રભાવક ચિરત્રમાં વલભીના ભંગ વીર સ. ૮૪૫ અને વિક્રમ સ. ૩૮૫માં તુરૂષ્કના હાથથી થયા અને ત્યાંથી તેઓ ભૃગુપુરનેા નાશ કરવા ગયા. એમ સ્પષ્ટ જણાવે છે. પરંતુ જિન પ્રભસૂરિ પેાતાના તી કલ્પ નામક ગ્રંથમાં યથાર્થ લખે છે કે:-જિજ્ઞળવર્ ગીજનીના બાદશાહ હમીર દ્વારા વીર સ’. ૮૪૫માં વલ્લભીભંગ થયા હતા. ભગના અર્થ સર્વથા નાશ નથી થતા. પહેલે ભંગ વિક્રમ સ ૩૭૫માં થયેા. શિલાદિત્ય રાજા સૂર્યવંશી હતા. તેના વશો તથા જૈનેાના ઘણા કુટુ વલભીપુરની પડતીથી મારવાડ આદિ દેશેામાં જઇ રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy