SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પચીસમી પાટે શ્રી ગોવિંદાચાર્ય થયા. ૨૬ છવીસમી પાટે શ્રી ભૂતદિનાચાર્ય, પુનઃ મતે શ્રી સ્કંદિલાચાર્ય થયા કહે છે અને ત્રીજે મતે શ્રી દુષગણિ આચાર્ય પણ કહેલ છે. ૨૭ સત્તાવીસમી પાટે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. અહિં સુધી એટલે વીર સં. ૯૮૦ સુધીમાં ઉપર્યુક્ત આચાર્યો ભગવાન મહાવીરની પાટ પર અનુક્રમે થયા. આ સમય દરમ્યાન કેટલીએક જાણવા ગ્ય આશ્ચર્યજનક ઘટનાઓ બનવા પામેલી, તેને થોડોક ભાગ અત્રે આપીયે છીએ. મલવાદી અને બૌદ્ધ પરાજ્ય. ભૃગુકચ્છ (ભરૂચ) નામના નગરમાં તે વખતે “ શ્રી જિનાનંદ' નામના એક તાંબરીય આચાર્ય વસતા હતા. ત્યાં “આનંદ” નામના એક બૌદ્ધવાદીએ વિતંડાવાદથી તેમને જીત્યા, એટલે તે જિનાનંદાચાર્ય વલભીપુરમાં આવીને રહ્યા. ત્યાં “દુર્લભદેવી” નામની તેમની એક બહેન રહેતી હતી. તેને જિતયશા, યક્ષ અને મહલ એ નામે ત્રણ પુત્રો હતા. દુલભદેવીએ વૈરાગ્ય પામવાથી દીક્ષા લીધી; એટલે તેના ત્રણ પુત્રે પણ વૈરાગ્ય પામી શ્રી નિના નંદાચાર્ય પાસે દીક્ષિત થયા. અનુક્રમે તેઓ ત્રણે વ્યાકરણાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. હવે પૂર્વે થયેલા આચાર્યોએ “ જ્ઞાનપ્રવાહ” નામના પૂર્વમાંથી “નયચક્ર' નામનું શાસ્ત્ર રચ્યું હતું. તે નયચક્ર શાસ્ત્ર ઉપરાંત બીજા અનેક શાસ્ત્રનું ગુરૂ મહારાજે પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું હતું. હવે એવું બન્યું કે કઈ એક પ્રસંગે ગુરૂમહારાજને કોઈ કારણથી બહારગામ જવાનું થયું ત્યારે તેમણે વિચાર કર્યો કે મારી ગેરહાજરીમાં જે આ બુદ્ધિશાળી મલ પોતાના બાળપણને લીધે આ નયચક નામના પુસ્તકનું વાચન કરશે, તો ઘણું જ ઉપદ્રવ થશે. એમ વિચારી તેમણે મલને કહ્યું –હે વત્સ, આ પુસ્તક તમે ખોલીને વાંચશે નહિ; કેમકે તેથી કદાચ માટે ઉપદ્રવ થવા સંભવ છે. એટલું કહી ગુરૂમહારાજ તો વિહાર કરી ગયા. પાછળથી મને વિચાર થયો કે નયચકનું પુસ્તક ખોલવાની ગુરૂદેવે મના કરી છે, પરંતુ તેમાં અવશ્ય કાંઈક રહસ્ય હોવું જોઈએ. એવો વિચાર કરી તેણે તે ગુરૂઆજ્ઞાની અવજ્ઞા કરીને એકાંતમાં જઈ તે પુસ્તક ખોલ્યું અને તે માંહેનો એક લેક વાં; તેવામાં અચાનક મૃતદેવતાએ તે પુસ્તક ખેંચી લીધું. મલ્લ તો આ કૌતક જોઈ દિંગમૂઢ બની ગયો. એટલું જ નહિ પણ તેને ગુરૂ આજ્ઞાનો લોપ ર્યા બદલ દીલગીરી થઈ. પિતાની થયેલી ભૂલ તેણે શ્રી સંઘ સમક્ષ કબુલ કરી, પણ ખરે શોક તો તેને પુસ્તક ગુમ થયા બદલને હતો; તેથી કોઈપણ પ્રકારે તેણે તે પુસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy