SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ clusion, Viz that the whole of the Jain siddhanta was composed after the fourth century B. C. અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રંથની અંદર ઉમેરે અથવા ફેરફાર કરવામાં આવ્યા હોય, પરંતુ જેથી કરીને આપણે દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયો આ અને બીજાં પાલી પુસ્તકો માંહેના વિવિધ પદ્યોના માત્રા મેળના નિયમ ઉપર નિર્ભર રહેલો છે. તેથી કરીને આ પુસ્તકોની અંદરના ફેરફાર અને ઉમેરાનો આપણે સ્વીકાર કરીએ તો પણ સંપૂર્ણ જેનસિદ્ધાંતને ઈ. સ. પૂર્વે ચોથા સૈકા પછી સંગ્રહ કરવામાં આવ્યું હતું એ પ્રકારના આપણું અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધો આવશે નહિ. વળી તેજ પુસ્તકમાં આગળ જતાં લખે છે કે કેટલાક દિગંબર મતાનુયાયીઓ “નિગ્રંથ ” શબ્દને દેખીને સહર્ષ પોકારી ઉઠે છે કે –“જુઓ, વેતાંબરે પણ નિગ્રંથને માન આપે છે.” આ એકજ શબ્દ ઉપર તેઓ કેટલો બધે ભાર મૂકે છે તેનું એકજ પ્રમાણ બસ છે. તેઓના “જેનહિતૈષી” નામક પત્રના સાતમા ભાગના બારમા અંક પર લખવામાં આવ્યું છે કે – Kતાંના સૂત્રો ની નિરથરવા મા વિશા શું બરાબર છે. વેતાંબર જેનસાધુઓને નિગ્રંથ તરીકે જ માને છે, પૂજે છે. અને તે સંબંધી એક પટ્ટાવળીમાં પણ લખ્યું છે કે –“શ્રી સુધર્મસ્થાનો નચાવનિર્ઝન્થા: સાધવાડનાર ત્યાદ્ધિ સામાજાથfપાન્યાહssણવીર અર્થાત્ સાધુ, અણગારને નિગ્રંથ શબ્દથીજ નવાજ્યા છે, એળખાવ્યા છે; પણ નિગ્રંથ એટલે નગ્ન-વસ્ત્રરહિત એવો અર્થ કરવામાં આવતો નથી. માટે દિગમ્બર મતની પ્રાચીનતા, ઉપર દર્શાવેલા તમામ આધારે અને કારણેથી સિદ્ધ થઈ શકતી નથી. હવે વેતાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલી ધૂળ યુક્તિઓ આપીએ છીએ. પ્રથમ આપણે મંખલીપુત્ર ગોશાલકનું દષ્ટાંત લઈએ – મંખલીપુત્ર શાલક (ગોશાળે ) નું વર્ણન વેતાંબરોએ માન્ય રાખેલા ભગવતી આદિ અનેક સૂત્રોમાં આવે છે, ઉપરાંત બૌદ્ધ ધર્મગ્રંથ-પિટકમાં પણ તે ગોશાલકને અધિકાર આવે છે. જ્યારે દિગંબરમાં એક પણ ધર્મગ્રંથમાં મંખલીપુત્ર શાલકનું નામ દષ્ટિગોચર થતું નથી. આ ઉપરથી પણ આપણને સહજ ખ્યાલ આવી શકે કે વેતાંબર જિનાગમાં પ્રાચીન હોવા જોઈએ; કેમકે શ્રી મહાવીર અને શ્રી બુદ્ધની સમકાલીનતા પછી પ્રત્યેકની પરંપરાએ ચાહ્યું આવેલું કથન આપણે કઈ રીતે અસત્ય માનીએ અને અર્વાચીન ઉપસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy