SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ થયેલું કથન સત્ય માનીયે, એ વાત વિચારતાં પણ વેતાંબર આગની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બીજી એક વાત –મનુષ્યોની મંદ સ્મરણશક્તિને પહેલ વહેલો ખ્યાલ શ્રી સ્થળભદ્રજીને આવ્યો, એટલે તેમણે ભાવિ ચતુર્વિધ સંઘના શ્રેયને માટે ૮૪ આગમની રચના કરી સુવ્યવસ્થિત રખાવ્યા અને ત્યારબાદ બીજી વાર એટલે વીર નિર્વાણ પછી લગભગ છઠ્ઠા સૈકાની શરૂઆતમાં શ્રી સ્કંદિલા ચાર્યાદિએ મથુરામાં સૂત્ર સંકલના કરી. અને ત્યારપછી ત્રીજીવાર એટલે વીર નિર્વાણ સં. ૯૮૦ માં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ આદિ એક પૂર્વના જ્ઞાનવાળા આઠ આચાર્યોએ મળી વલ્લભીપુરમાં તે અવ્યવસ્થિત થયેલાં જિનાગને પુનરૂદ્ધાર કર્યો એટલે ભયંકર કાળને લીધે જે સૂત્રે અસ્તવ્યસ્ત થઈ ગયેલા તેને સરખી રીતે સંકલિત કર્યા. પણ દિગંબર ભાઈઓ કહે છે કે શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે જ પહેલ વહેલા પુસ્તકો આરૂઢ કર્યા! તે હકીકતમાં સત્યાંશ હોય તેની શંકા છે. કેમકે જે તેમણે જ પુસ્તકોની નવિન રચના કરી હોય તે, તેમના પહેલાં દિગંબર કે વેતાંબર જે મત જુદો પડયે તેનું અવશ્ય ખંડન કર્યું હોત, પણ તેમ થયું નથી, તેથી પણ સહજ કલપી શકાય કે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે નવિન રચના કરી નથી; પણ પૂર્વાચાર્યોએ કરેલી સંકલનાને ( અવ્યવસ્થિત થઈ જવાથી) વ્યવસ્થિત કરી પ્રકાશમાં આણી. દિગંબર મત વીરનિર્વાણ સં. ૬૦૯માં નીકળ્યા. અને ત્યારબાદ વીર સં. ૬૫૬માં દિગંબરમતના “ ભૂતબલી ” નામક આચાર્ય થયા, જેમણે મનઃ કલ્પિત નવાં શાસ્ત્રોની રચના કરી કે જે શાસ્ત્રોમાં પરાપૂર્વથી ચાલ્યા આવતા વેતાંબર મતનું ખંડન કરવામાં આવ્યું છે. આ પરથી પણ માની શકાય કે દિગંબર અર્વાચીન અને વેતાંબર પ્રાચીન છે. કારણ કે સ્વભાવિક એ નિયમ હોય છે કે જે કોઈ પંથ ન નીકળે કે નવીન શાસ્ત્ર રચના કરવામાં આવે, તેમાં પૂર્વે ચાલતી પ્રથાનું, અને પૂર્વના શાસ્ત્રનું ખંડન કરવામાં આવે છે, અને જે ખંડન કરવામાં આવે તેજ નવા નીકળનાર પંથને અનુસરવા સો કઈ તૈયાર થાય. એજ રીતે દિગંબરના શાસ્ત્રોમાં પણ પ્રાચીન વેતાંબર મતનું ખંડન કરવામાં આવ્યું છે, જ્યારે વેતાંબર ધર્મશાસ્ત્રોમાં દિગંબર મતનું બીલકુલ ખંડન નથી. કારણ કે મૂલંનાસ્તિ કુતઃ શાખા મૂળ ન હોય, તે પછી શાખા કયાંથી હોય? એટલે તે વખતે દિગંબર મતની ઉત્પત્તિ ન હતી. આ ઉપરના કારણેથી પણ વેતાંબર પ્રાચીન અને દિગંબર અર્વાચીન સિદ્ધ થઈ શકે છે. અસ્તુ. દિગંબર મતની ઉત્પત્તિ શ્રી હરિભદ્રસૂરિકૃત આવશ્યસૂત્ર બ્રહવૃત્તિના પૃષ્ઠ ૩૨૩માં લખે છે કે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy