SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ૬૬૩ માં થયું છે જ્યારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે (એમ મૂળ સંઘની પટ્ટાવળીમાં બતાવવામાં આવ્યું છે ) ત્યારે આ બધાને સમાગમ કેવી રીતે થયો ? અત એવ પૂર્વોકત પરસ્પર અસંબંધક વાત વિચારતાં સ્વાભાવિક માની શકાય કે દિગંબર શાસ્ત્રની રચનાને કાળ જે રીતે બતાવવામાં આવે છે તે મન: કપિત છે. ઘીભર એમ માની લો કે દિગંબર મત પ્રાચીન હતો, તે ગણધરાદિ મુનિઓના બનાવેલા કોઈપણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય આદિ વસ્તુઓ હોવી જોઈએ; પરંતુ વાસ્તવિક રીતે તે નથી, એટલે એમ કહી શકાય કે દિગંબરોએ પિતાને મત ચલાવવાને માટે, વેતાંબરમાં થયેલા મહાપુરુષોના રચેલા ગ્રંથને આશ્રય લઈ, તેમાં ગ્યાયોગ્ય ફેરફાર કરી, તથા સ્વ પટ્ટાવલીમાં તે સમર્થ પુરુષના નામે દાખવી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે પૂર્વ પુરુષ દિગંબર સંપ્રદાયના જ હતા, અને નવિન ગ્રંથ રચના પણ તેઓએ જ કરી છે. વેતાંબરમતની પ્રાચીનતા » બાબતમાં “અંગે ” પૈકી કેટલાક ભાગ અત્યારે પણ તેની સાક્ષી આપી રહ્યો છે. જ્યારે દિગંબર મત કથે છે કે અંગે અને પૂર્વો તો વિચ્છેદ થઈ ગયા છે, તે સાથે દશ વૈકાલિક, ઉત્તરાધ્યયનાદિ સૂત્રે પણ વિચછેદ ગયા છે ! અહિં આશ્ચર્ય એ થાય છે કે “ધરસેન ” મુનિને સમુદ્ર સમાન બીજા પૂર્વનું જ્ઞાન તો કંઠાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા સૂત્રો શું વિચ્છેદ ગયા ? આ વાત આજના બુદ્ધિવાદના જમાનામાં શું ગળે ઉતરી શકે ખરી ? વેતાંબરના સૂત્રોજ માત્ર પ્રાચીન છે અને દિગંબરના અર્વાચીન છે એમ અમેજ પ્રતિપાદન કરીએ છીએ એમ નહિ; પણ સમર્થ બુદ્ધિવાદીઓ અને પાશ્ચાત્ય વિદ્વાનો પણ પુષ્કળ શોધખોળ પછી તે કબુલ કરે છે. જેના સૂત્રોના ઉંડા અભ્યાસી ૮ મી જેકેબી ” પોતાના “The Sacred Books of the last Volume XXII 1884 A. D” નામક ગ્રંથની પ્રસ્તાવનામાં પાના ૪ર પર લખે છે કે —– Additions and alterations may have been made in the sacred texts after that time; but as our argument is not based on a single passage or even apart of the Dhammpada, ut on the metrical laws of a variety of metres in this and other pali Books, the admission of alterations and additions in these books will not materially influence our Con Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy