SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આચાર્ય થયા, તેમણે શાસ્ત્રો રચ્યા, અને પછી તે પુસ્તકારૂઢ થયા. આ પ્રમાણે જ્યારે ઈતિહાસ ર્તાએ પટ્ટાવળીને આધારે લખ્યું છે, ત્યારે તેનું પ્રથમ વાચન કર્યું હોત તો તે પ્રમાણે ન લખાત. અમે આ ગ્રંથમાં તેઓની પટ્ટાવાળી આપીયે છીએ તે ઉપરથી કેટલીક સત્ય બીનાઓ પ્રકાશમાં આવી શકશે. “જેન સિદ્ધાંત ભવન આરા” ઐતિહાસિક મુખપત્ર સંપાદક પદ્મરાજ રાનીવાળા કલકત્તા પ્રથમ ભાગના કિરણ ૪થામાં પૃષ્ઠ ૭૧ થી ૮૦ સુધીમાં” નન્દી સંધ બળાત્કાર ગણ સરસ્વતી ગ૭ પટ્ટાવળી” આપેલી છે તે અત્રે ૨જુ કરીએ છીએ. પ્રથમ પટ્ટાવળીમાં યુગાદિ ૧૪ કુલકર થયા. પછી જુદા જુદા ૨૨ તીર્થકર થયા, ત્યાર પછી ૨૪ મા તીર્થકર શ્રી મહાવીર સ્વામી થયા. તેમના પછી ૬૨ વર્ષ સુધી ત્રણ કેવળી રહ્યા. ગૌતમ સ્વામી ૧૨ વર્ષ સુધી કેવળી રહ્યા, તેમના પછી સુધર્માચાર્ય ૧૨ વર્ષ સુધી અને પછી જંબુસ્વામી ૩૮ વર્ષો સુધી કૈવલ્ય પ્રવજ્યમાં રહ્યા. એ પ્રકારે ૬૨ વર્ષો સુધી ત્રણ કેવળી એનું કૈવલ્યપણું રહ્યું. તે પછી પાંચ શ્રુતકેવલી થયા. સો વર્ષમાં પાંચ શ્રુતકેવળી થયા. ૧૪ વર્ષ સુધી વિષ્ણુનંદી, ૧૬ વર્ષ સુધી નંદીમિત્ર, ર૨ વર્ષ અપરાજિત, ૧૯ વર્ષ વર્ધન અને ૨૯ વર્ષ સુધી મહાત્મા ભદ્રબાહુ સ્વામી રહ્યા. ત્યાર પછી એટલે કે શ્રી મહાવીર સ્વામી પછી ૧૬૨ વર્ષે ૧૧ મુનિએ દશ પૂર્વધારી થયા. શ્રી મહાવીર સ્વામી પછી ૧૬૨ મે વર્ષે વિશાખાચાર્ય ૧૦ વર્ષ સુધી ૧૭૨ વર્ષ પછી પિષ્ટિલાચાર્ય ૧૯ વર્ષ સુધી, ૧૯૧ વર્ષ પછી ક્ષત્રિયાચાર્ય ૧૭ વર્ષ સુધી, ૨૦૮ વર્ષ પછી જયસેનાચાર્ય ૨૧ વર્ષ સુધી, ૨૨ વર્ષ પછી નાગસેનાચાર્ય ૧૮ વર્ષ સુધી, ૨૪૭ વર્ષ પછી સિદ્ધાર્થાચાર્ય ૧૭ વર્ષ સુધી, ૨૬૪ વર્ષ પછી ઘતસેનાચાર્ય ૧૮ વર્ષ સુધી, ૨૮૨ વર્ષ પછી વિજયાચાર્ય ૧૩ વર્ષ સુધી, રેલ્પ વર્ષ પછી બુદ્ધલિંગાચાર્ય ૨૦ વર્ષ સુધી, ૩૧૫ વર્ષ પછી દેવાચાર્ય ૧૪ વર્ષ સુધી, અને ૩૨૯ વર્ષ પછી ધર્મસેનાચાર્ય ૧૪ વર્ષ સુધી રહ્યા. અર્થાત્ ૧૮૧ વર્ષ સુધી દશ પૂર્વધરો રહ્યા. આ સ્થિતિ પછી ૨૨૦ વર્ષ સુધી ૧૧ અંગના ધારણહાર (જ્ઞાત) ૧૧ મુનિઓ રહ્યા. અને ત્યારપછી ૧૨૩ વર્ષ સુધી ૧૧ અંગના ધારણહાર ૫ મુનિઓ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy