SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સ્વીકારતા ? અને જો સ્વીકારતા હો તે શરીરને પણ ત્યાગ કરવા જોઇએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલ ભરેલું છે. કેમકે સૂત્રમાં મુનિને માટે જે અપરિગ્રહપણું દર્શાવવામાં આવ્યું છે તે ધર્મોપકરણમાં પણ મૂર્છા ન કરવી, એ અપેક્ષાએજ. તીર્થંકરા પણ એકાન્ત અચેલક ન હતા. કેમકે આગમ સાક્ષી આપે છે કેઃ- સવ્વ વિપુત્તે નિશાળ્યા નિવા ચકવીલં દરેક તીર્થંકરાએ એક દેવદૃષ્ય સહિત સંસાર છેડેલે છે. એ પ્રકારે અનેક રીતે આચાર્ય તેને સમજાવ્યેા; પરંતુ તે ન માનતાં શિવભૂતિ મુનિ દિગમ્બર ( નગ્ન ) અની શહેરની બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા અને ત્યાં સ્થિરતા કરીને રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધવી થઇ હતી તે શિવભૂતિને વંદન કરવા ગઈ. ત્યાં શિવભૂતિને નગ્ન દેખી પાતે પણ નગ્ન બની વિચરવા લાગી. એક વખતે તે સાધ્વી ભિક્ષાને અર્થે શહેરમાં આવી, તે વખતે એક વેશ્યાએ તેને નગ્ન જોઈને તેના શરીર પર એક સાડી નાખી. તે સાડી શાથે જ્યારે તે સાધવી શિવભૂતિ પાસે આવી ત્યારે શિવભૂતિએ તેને કહ્યું કે—આ વસ્ત્ર તું તારી પાસેજ રાખ, કેમકે તે તને દેવતાએ અર્પણુ કર્યું છે. એટલે પછી તે સાધ્વી વસ્ત્ર સહિત ફરવા લાગી. શિવભૂતિએ “ કેાડિન્ય ’’ અને “ કાવીર ” એ નામના એ શિષ્ય કર્યા. ક્રમેક્રમે પરંપરા વધી અને નિવન પંથ ચાલવા લાગ્યા. વસ્ત્ર સંબંધીની આ વાતને વિચાર કરતાં એક માત્ર વસ્ત્રનેજ કારણે નવે પથ નીકળે એમ સથા અનવું અસભવિત જેવું લાગે છે; આના ગર્ભમાં કોઈ જુદુ જ કારણ ઉપસ્થિત થયું હાય અને અન્યાન્ય ઇર્ષ્યા વધવાથી આમ અલગ પંથ કાઢવાનું બન્યું હાય. ગમે તેમ ાય; પરંતુ વીર સં. ૬૦૯ ના અરસામાં આ નવે દિગંબર પંથ નીકળ્યો છે એ વાત સત્ય માનવાના અનેક કારણા દ્રષ્ટિગાચર થાય છે. આ કારણનું તારતમ્ય કાઢવાના પ્રયાસ કરવાને બદલે દિગંખર મતાવલખીચા એમ સ્પષ્ટ કહેવા મથે છે કેઃ- આજે જે શ્વેતાંખર મત અસ્તિત્વ ધરાવે છે તે વિક્રમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષે સૌરાષ્ટ્ર દેશમાં આવેલા વલ્લભીપુર નગરમાં શ્રી જીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યા છે. ” હવે આ એમાં સત્ય શું છે તે વિચારતાં કહેવું જોઇએ કે જે ઉપર પ્રમાણે પ્રરૂપણ કરવા મથે છે, તેઓ પેાતાના અંતર્ગત ઇતિહાસથી પણ અજ્ઞાત છે, કારણ કે તેઓની પટ્ટાવલીમાં લખાયલું છે કે:-‘ ભૂતમલી ’ નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy