SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦e એટલે જે ધાન્ય તેણે સંગ્રહેલું, તે લગભગ ખવાઈ ગયું હતું. “નાણું મળે પણ માણું ન મળે” એટલે દ્રવ્ય આપતાં છતાં પણ તેના બદલામાં માથું જાર પણ મળે નહિ એ આ પ્રસંગ હતે. આવે વખતે તે જીનદાસ અને તેનું કુટુંબ ભુખથી ટળવળી રહ્યું હતું. આમ તેમણે ત્રણ દિવસ સુધી ભુખ સહન કરી, પણ કયાંઈથી મુઠી અન્ન પણ મળ્યું નહિ. ત્યારે છનદાસે વિચાર કર્યો કે આ કુટુંબનું દુઃખ જેવું તે કરતાં તે મરવું વધારે ઈષ્ટ છે. એમ ધારી મહા મુશીબતે તેણે લક્ષ દ્રવ્ય આપીને એક પાલી જાર (જુવાર) મેળવી. અને તેને દળાવી રાબ બનાવરાવી. તે તૈયાર થઈ એટલે તેમાં હવે ઝેર ભેળવીને પી જવી, એ વિચાર કરી જીનદાસ તે રાબમાં ભેળવવા માટે ઝેર ઘોળીને તૈયાર કરતા હતા, તેજ સમયે વાસેન સ્વામી વહેરવા માટે ત્યાં પધાર્યા. તે સમયે જીનદાસની અંતિમ મૃત્યુની પરિસ્થિતિ જાણી તેને તેમ કરતાં અટકાવી શુભસૂચક ભવિષ્ય પ્રતિપાદન કરતાં બોલ્યા –જીનદાસ, સબુર. મારા ગુરૂ દેવે તેમના અંતિમ કાળે મને કહ્યું છે કે –“ જ્યારે તમને લક્ષ દ્રવ્યના અન્ન માં હથી ભિક્ષા મળે ત્યારે જાણવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે. ” તેથી તને કહું છું કે આવતી કાલના પ્રાતઃકાળથી જ સુકાળ પ્રવર્તશે, એટલે કે અન્ય દેશના વહાણે અન્નથી ભરેલાં અહિંયા આવશે. એટલું કહી શ્રી વજી સેનાચાર્ય સ્વસ્થાનકે ગયા. બીજા દિવસના પ્રભાતે દરિયા કિનારે જઈ જોતાં અન્નથી ભરેલાં વહણે આવેલાં જીનદાસે જેયાં એટલે તેમાં સઘળે માલ તેણે ખરીદી લીધો. તે માલ ગામમાં લાવી જીનદાસે સર્વ મનુષ્યને થોડે થોડો વહેંચી આપે; એટલે લેકેને શાંતિ થઈ. સૌ તે શેઠને ઉપકાર માનવા લાગ્યા. ધીરે ધીરે દુષ્કાળ દૂર થશે અને સર્વત્ર સુકાળ પ્રવર્તવા લાગ્યો. વસેન સ્વામીએ જે ભવિષ્ય કથન કહી જીનદાસ પર અથાગ ઉપકાર કરેલો; તેના બદલામાં જીનદાસ શેઠે પોતાના ચાર પુત્રઃ–૧ ચંદ્ર, ૨ નાગેન્દ્ર ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર વાસેન સ્વામીને શિષ્યાથે અર્પણ કર્યા. તે ચારેયને દીક્ષા આપીને ગુરૂદેવે ખૂબ ભણાવ્યા. પરન્તુ છેવટે તે ચારે શિષ્ય ગુરૂ આજ્ઞામાં ન રહેતા જુદા જુદા વિચર્યા અને તેમણે નવા ચાર ગ૭ સ્થાપ્યા. દિગંબર મતની ઉત્પત્તિ જેનેના અર્વાચીન ત્રણ ફિરકાઓ. વે. મૂર્તિપૂજક,વે. સ્થાનકવાસી અને દિગમ્બર; એ પ્રત્યેક પોતપોતાને પ્રાચીન, અને ભગવાન મહાવીરના શાસનથી ઉતરી આવેલા માને છે; પરંતુ આ પુસ્તકમાં પ્રત્યેક મતની કઈ રીતે સ્થાપના થઈ તેમજ તે તે મત ક્યા ક્યા કારણેએ જુદે પી કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy