SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કહે છે. તેમનુ ગેાત્ર ભારદ્વજ હતું. તેમણે ૩૨ વર્ષની ઉંમરે દાક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ૫૦ વર્ષ સુધી સેવામાં રહી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ૩૬ વર્ષ સુધી આચાર્ય પદે રહ્યા હતા. સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભાગવી વીરાત ૬૨૦ વિક્રમસંવત. ૧૫૦માં તે સ્વર્ગે પધાર્યાં હતા. તેમના વખતમાં પ્રથમ ચાર ગચ્છ નીન્યા હતા, અને ત્યાર પછી તેમાંથી ક્રમેક્રમે ૮૪ ગચ્છ થયા હતા. આવા પ્રથમ ચાર ગચ્છ નીકળ્યા, તે સંબંધમાં એવી વાત કહેવાય છે કેઃ-વજ્રાસેન સ્વામીના વખતમાં એક પાંચ વર્ષના અને બીજો સાતવષેના એમ અને મળી ખારવર્ષના દુષ્કાળ પડયા હતા. તે વખતે આજની જેમ અન્યદેશામાંથી અન્નાદિ લઈ જવા લાવવાના રેલવે, સ્ટીમર આદિ સાધના ન હતા. એટલે આ દુષ્કાળની ભયંકરતા વધુ ઉગ્ર હતી. ચાલુ સમયના એકજ દુષ્કાળે મનુષ્યાને કેટલી હાડમારીએ ભાગવવી પડે છે, તેા પછી ઉપરા ઉપર અને પાંચ પાંચ સાત સાત વર્ષના ભયંકર દુભિ ક્ષે મનુષ્યામાં ભયભીતતા પ્રસરાવી ઢાય, તેમાં શી નવાઈ ? એટલે આ દુષ્કાળને પરિણામે શ્રીમત માણસાને પણ અનેક પ્રકારની આપદાએ ભાગવવી પડી હતી, તેા પછી ભિક્ષુકા અને સાધારણ મનુષ્યેાના ઇંડા શી રીતે થાય તેને સ્વભાવિકત: વિચાર થઈ શકે છે. ભયંકર દુષ્કાળમાં હિંમતવાન મનુષ્ય પણ નાહિંમત અની માત્ર જીવનનીજ ચિંતા અનુભવી રહ્યા હતા; તેવે વખતે જૈન-સાધુપુરુષાને આદર સત્કાર અને નિર્દેષ આહાર મેળવવામાં મુશીબત પડે તેમાં કાંઇ આશ્ચય હાય નહિ. એટલે એ વખતે શુદ્ધ ક્રિયા પાલક અને આત્માથી ૭૮૪ સાધુઓએ તે આલેાવી, પડિકમ્મી, નંદી, નિઃશલ્ય થઈ સંથારા કરી સદ્ગતિને વરેલા; પરંતુ જે સાધુઓ શિથિલ-ઢીલા હતા તેઓ પેાતાની આજીવિકા ચલાવવા માટે ભાળા અને સ્વાર્થી મનુષ્યેાને કહેવા લાગ્યા કેઃ—આ ભયંકર કાળમાં સૌને મરવાનું તેા છે જ, પરંતુ તેમાં જીંદગીના સાક માટે તક મળતાં પ્રભુજી પાસે કાંઇ પણ નૈવેદ્ય કે ભેટ ધરશે તે પાપમાંથી પુણ્ય વર કહેવાશે, અને જેથી તમારા પરલેાક સુધરશે. એમ લાલચ અને આકર્ષણની અનેક વાતે તેઓ પેાતાના ભક્તો પાસે કરવા લાગ્યા. ભક્તાને પણ તેમની આ વાત ગમી અને પોતાના પરલેાક સુધારવા અર્થે, તેમને અન્નાદિ જે કાંઇ મળતું તેમાંથી તેએ થાડુ ભેટ ધરતા, અને બાકીનાથી પોતાને ગુજારા કરતા. આ આવેલ નૈવેદ્યથી શિથિલાચારી સાધુએ સતાષ માનતા અને આનંદ અનુભવતા. એવા કટોકટીના સમયે એક બહેાળા કુટુંબવાળા જીનદાસ નામના એક શ્રાવક હતા. તેની પાસે દ્રવ્ય પુષ્કળ હતું, પણ ખારાક ખીલકુલ ન હતા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy