SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ધર્મ તરીકે રહ્યા હતા. જો કે જેનોની સામે બૌદ્ધો પ્રતિસ્પર્ધી તરીકે હતા તે પણ જૈન ધર્મનું જોર તેઓ કરતાં ઘણું વધારે હતું. વરાહમિહિર અને ભદ્રબાહુ સ્વામી વીર સં. ૪૯૨ વિક્રમ સં. ૨૨ માં બીજા ભદ્રબાહુ સ્વામી થયા. (દિગં. બર પટાવળીમાં વિક્રમ સં. ૨૪માં થયા કહેલ છે તે આગળ આવશે.) પ્રથમ તો ભદ્રબાહુ સ્વામી એક થયા છે કે બે? તેને આપણે નિર્ણય કરીએ. “પ્રબંધામૃત દીકિ”માં ભદ્રબાહુ અને વરાહમિહિરનું વૃત્તાંત આપતાં જણાવવામાં આવ્યું છે કે –દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે નિરાશ્રિત બ્રાહ્મણ કુમારે વસતા હતા. તે વખતે યશોભદ્ર નામના એક ચૌદ પૂર્વધારી મહાત્મા પધાર્યા–આ વાત ઐતિહાસિક દ્રષ્ટિએ પરસ્પર વિરોધી જણાય છે, કેમકે યશભદ્રજીનો સમય વિ.નિ.૧૭૦ પહેલાને છે, માટે યશભદ્રજીના સ્થાને શ્રી સુભદ્રાચાર્ય સમજવા. વળી પ્રથમના ભદ્રબાહુ વી. નિ. સં. ૧૭૦માં થયા છે અને આ (બીજા) ભદ્રબાહ થયા તે વરાહમિહિરના ભાઈ છે, તેમને સમય ઈસ્વીસનની છઠી સદીનો છે. આ સંબંધી જેનસિદ્ધાંત ભવનઆરા” એતિહાસિક પત્રના ભા ૧લાના ત્રીજા કિરણમાં જણાવવામાં આવ્યું છે કે વરાહમિહિર જોકી વિકમસભામેં એક રત્નથે, ઉન્હોંને અપના સમય ૫૮૭ ઈરવીસન્ અર્થાત્ છઠવી શતાબ્દિમેં બતાયા છે. ” આ સિવાય “પંચસિદ્ધાનિકા”ની અંદર વરાહમિહિર પોતે જ લખે છે કે – શાકે ૪૨૭ના સમયમાં આ ગ્રન્થ રચ્યો છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વરાહમિહિરના મોટાભાઈ ભદ્રબાહુ હતા તે બીજા ભદ્રબાહ પહેલા ભદ્રબાહુને સમય વીર નિ. સં. ૧૭૦ અને બીજાને સમય વીર નિ. સં. ૪૯૨ એટલે વસ્તુતઃ ભદ્રબાહુ એક નહિ, પણ બે થયા છે. બીજા ભદ્રબાહુ સ્વામીને જીવન વૃત્તાંત નીચે પ્રમાણે છે. દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુર નગરમાં “ભદ્રબાહુ અને વરાહમિહિર” નામના બે નિરાશ્રિત બ્રાહ્મણ કુમારે વસતા હતા. એકદા સમયે શ્રી સુભદ્રાચાર્ય નામના પૂર્વધર મુનિ ત્યાં આવ્યા. તેમની દેશના સાંભળી બંને ભાઈઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમાં ભદ્રબાહુ મહા જ્ઞાની થવાથી ગુરૂદેવે તેને આચાર્યની પદવી આપી. વખત જતાં વરાહ મિહિર પણ વિદ્વાન બન્યો, પરંતુ તે અત્યંત અભિમાની હોવાથી તેને કઈ પણ પદવી મળી નહિ, આથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy