SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી હતા; તેથી કાલિકાચાર્યે કોપાયમાન થઈ, ઈરાન, તુર્કસ્તાનના શાહિઓને બોલાવી સોરઠ દેશમાં થઈ લાટદેશ અર્થાત્ ભરૂચ તરફના પ્રદેશના રાજાઓને જીતીને ઉજજયિનીના ગર્દભિલને પરાભવ કરાવ્યો હતો. તે વખતથી હિંદમાં શાકી દેશના રાજાઓ અર્થાત શકરાજાઓનું સામ્રાજ્ય સ્થપાયું હતું. ત્યારપછી કેટલેક કાળે વિકમરાજાએ શકવંશને ઉચછેદ કરી સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરી. શ્રી કાલિકાચા દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં જૈનરાજા શતવાહનની સમક્ષ પાંચમની સંવત્સરી હતી તેના બદલે એથની કરી હતી. પ્રભાવક ચરિત્ર તથા નિશિથ શ્રેણીમાંથી આ બાબતના પાઠે મળી આવે છે. આપણે અત્ર એ વિચારવાનું છે કે શ્રી કાલિકાચાર્યના સમયમાં દક્ષિણ દેશની રાજધાનીભૂત પ્રતિષ્ઠાનપુરમાં જેન રાજા હતા. અને દક્ષિણ દેશમાં જેનધર્મ પ્રવર્તતે હતે. શ્રી પાદલિપ્તકુળમાં સ્કંદિલાચાર્ય થયા, તેમણે “ગેડદેશમાં વિહાર કર્યો. અને ત્યાંના “મુકુંદ નામના બ્રાહ્મણને દીક્ષા આપી. તે વૃદ્ધ હતા; પણ આગળ જતાં મહાન વિદ્વાન થયા. આપણે પૂર્વ ચરિત્રમાં વાંચી ગયા તેજ સુપ્રસિદ્ધ શ્રી વૃદ્ધવાદી ! જેમણે સિદ્ધસેનને સભામાં હરાવી પોતાને શિષ્ય બનાવ્યો હતો અને જેનું નામ “ કુમુદચંદ્ર ” પાડયું હતું. વિક્રમ સંવતના પહેલા સૈકા સુધી તે ક્ષત્રિય જૈન રાજાઓ દીક્ષા અંગીકાર કરતા; એમ પ્રભાવક ચરિત્રથી સિદ્ધ થાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરના સમય સુધી તે જેનેની પૂર્ણ જાહેરજલાલી હતી. વાસ્વામીના વખતમાં પણ હિંદુસ્તાનમાં ઘણું જન રાજાઓ હતા. શ્રી વાસ્વામીના હયાતિકાળે ભાવડશાહના પુત્ર જાવડશાહના વખતમાં કાઠિયાવાડ વગેરે દેશપર ગ્રીસ, તુર્કસ્તાન ઈરાન આદિ દેશના ઑછ લેકની ઘણી સવારી આવી હતી અને તે વખતે પરદેશીઓ આ દેશના જૈનને પકડી પોતાના દેશમાં લઈ ગયા હતા. અને ત્યાં ગુલામગીરી કરાવતા; તે બધા જેને વીર જાવડશાહે પરદેશમાંથી પાછા આણ્યા હતા. આ વિષયની વધુ માહિતી “ટેડ રાજસ્થાન” નામક પુસ્તકમાંથી મળી આવે છે. વાસ્વામીના સમયમાં આર્યાવર્તમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી. તેમજ તે વખતે રાજાઓ પણ જૈનધમી હોવાથી રાજકીય ધર્મ જન” ગણાતો હતે. ત્યારપછી શ્રી મહલવાદીના સમયમાં પણ વલ્લભીપુરને રાજા શિલાદિત્ય જૈનધમી હતો. વીર સંવત્ ૭૮૪ અને વિક્રમ સં. ૩૧૪માં શ્રી મલવાદીએ શિલાદિત્ય રાજાની સભામાં બોદ્ધોને પરાજય કર્યો હતો. તેથી પ્રતિજ્ઞા પ્રમાણે બૌદ્ધોને દેશપાર થવું પડયું હતું. વિક્રમ સંવત ૧૩૭ સુધી તો જેમાં « Aવેતાંબર અને દિગંબર” એવા બે પક્ષે પડયા ન હતા. વિક્રમના છઠ્ઠા શતક સુધી તે જેનોનું પુષ્કળ જેર હતું. તેમજ ભારત વર્ષમાં જૈન ધર્મ સાર્વભૌમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy