SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ કરતાં રસ્તામાં એક નદી આવી. તે નદી ઉતરતાં તેમાંનું પાણી તેમને બહુ ઠંડુ લાગ્યું; પણ મસ્તકે તાપ પુષ્કળ લાગતો હતો. આથી તેમને મનમાં વિચાર થયો કે ભગવંતે તો એક સમયે એકજ ક્રિયા કહી છે, છતાં હું ઠંડક અને ઉષ્ણુતા એ બંનેય અનુભવું છું માટે ભગવંતનું આ કથન ખોટું છે. એમ નિશ્ચય કરી તે ગુરૂ પાસે આવ્યા અને ખુલાસે માગ્યો. ગુરૂએ કહ્યું- મહાનુભાવ ! એક સમયે બે ક્રિયા થઈ શકે, જેમ કે ચાલતાં ચાલતાં પ્રભુનું નામ યે, તે ન્યાયે બે ક્રિયા કહેવાય. પરંતુ ઉપયોગ તો એકજ હોય. ચાલવાના ઉપગે ચલનક્રિયાને ઉપગ કહેવાય પણ તેમાં ભગવંતના નામને ઉપયોગ સમાઈ ન શકે. માટે એક સમયમાં ભિન્ન ભિન્ન બે ઉપગ કહેવાય નહિ. માટે વિવેકપૂર્વક વિચાર કરી આપને હઠવાદ દુર કરો અને વીતરાગ પ્રણિત વચન પર વિશ્વાસ રાખો. એ પ્રમાણે અનેક ન્યાય વડે સમજાવ્ય; પરંતુ ગંગ અણુગાર સમજે નહિ; ત્યારે તેને ગુરૂદેવે ગચ્છની બહાર કર્યો. ગચ્છની બહાર રહી તે ઉસૂત્ર પ્રરૂપવા લાગ્યા. એક પ્રસંગે કઈ યક્ષદેવે તેને બીવડાવ્યું, ત્યારે તે ગંગ સાધુપણાના ઉપયોગને મૂકી “ભય”ના ઉપગમાં જોડાયે. તેથી તે ઠેકાણે આવી ગયે. અને ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થઈ ગ૭માં ભા–એ પાંચમે નિન્હવ. વીરાત્ ૨૪૫ આર્યસુહસ્તી મ. આચાર્યપદે આવ્યા પછી, તેમના ઉપદેશે સંપ્રતિ રાજા જૈનધમી થયે. , ૨૯૧ આર્યસહસ્તી મહારાજનું સ્વર્ગગમન. ૧૧ અગીયારમી પાટપર સુપ્રતિબુદ સ્વામી બિરાજ્યા તેઓશ્રીનું વ્યાધ્રપત્ય ગોત્ર હતું. દીક્ષા લઈ ૨૮ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું. પછી આચાર્યપદને પ્રાપ્ત થયા. ૪૮ વર્ષ આચાર્યની પદવી મેળવી. કુલ ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી વીર સં. ૩૩૯ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. સુસ્થિત ” નામના મુનિ તેમના ગુરૂભાઈ હતા. બંનેએ મળીને ક્રોડવાર સૂરિમંત્ર જાપ કર્યો હતો, તેથી સુધર્મ સ્વામીના વખતથી તે ગચ્છ “નિગ્રંથગછ ” ના નામથી ઓળખાતો તેને બદલે “કોટીલગચ્છ” એવું નામ પડયું. અહિં સુધી તો શુદ્ધ નિગ્રંથ માર્ગ ચાલતો હત; પરંતુ ત્યારબાદ તેમાં ફેરફાર થતો ગયે એમ અનુમાન થઈ શકે છે. આ સમયમાં “ કાલિકાચાર્ય ઉફે “ શ્યામાચાર્ય » થયાને ઉલ્લેખ મળી આવે છે. આ સંબંધમાં શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ પોતાના “જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ '' ભાગ ૨ જા માં લખે છે કે –તેમના સમયમાં ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy